એપશહેર

ST નિગમે માર્ચથી જુલાઈમાં 84.50 કરોડની ભેદી ખોટ કરી

I am Gujarat 6 Sep 2016, 4:13 am
નવગુજરાત સમય > અમદાવાદ
I am Gujarat st 84 50
ST નિગમે માર્ચથી જુલાઈમાં 84.50 કરોડની ભેદી ખોટ કરી


ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) ને ચાલુ વર્ષે માર્ચથી જુલાઈ-2016 સુધીમાં 84.50 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. માહિતી અધિકાર અધિનિયમ અંતર્ગત નિગમ પાસે માહિતી માંગવામાં આવી હતી, તેમાં આ ખુલાસો થયો હતો. ગયા વર્ષે આ સમયગાળા દરમિયાન નિગમને 60 કરોડનું નુકસાન થયું હતું જ્યારે આ વર્ષે પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટવાને કારણે નિગમની બસો નફો કરવી જોઈએ ત્યારે ચાલુ વર્ષે નુકસાનનો આંકડો ગયા વર્ષ કરતા પણ વધારે આવ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ ચાલુ વર્ષે ડીઝલના ખર્ચમાં ભાવ ઘટાડાના કારણે નિગમને સાત કરોડ 10 લાખનો ફાયદો થયો હતો. તેમજ ભાવ ઘટાડાના કારણે ટાયર ખર્ચમાં 54 લાખ 66 હજાર, બેટરીના ખર્ચમાં 18 લાખ 97 હજાર, લ્યુબ્રિકન્ટમાં 48 લાખ 66 હજારનો મોટો ફાયદો થયો હતો. જ્યારે બીજી તરફ નિગમ દ્વારા મુસાફરી ભાડામાં માર્ચથી જુલાઈ દરમિયાન કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી. આ ઉપરાંત ભાડાની વોલ્વો બસોમાં માલિકોને ચાલુ વર્ષે પાંચ લાખ 82 હજારની રકમ ગયા વર્ષ કરતા વધુ ચૂકવવામાં આવેલી છે.

એસ.ટી. સૂત્રો કહે છે કે, વાસ્તવિક રીતે એસ.ટી.ને ચાલુ વર્ષે ફાયદો જ થયો છે, પરંતુ નિગમના અધિકારીઓ ચોપડે નુકસાન બતાવી રહ્યા છે. આમ થવા પાછળનું કોઈ સ્પષ્ટ કારણ દેખાતું નથી. આ અંગે સરકારની વિજિલન્સ ટીમ દ્વારા નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો મોટું કૌભાંડ સામે આવે તેવી પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો