એપશહેર

ધોરણ-1માં પ્રવેશ માટે વય મર્યાદાના નિયમમાં રાજ્ય સરકાર છૂટછાટ આપે એવી શક્યતા

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 1માં પ્રવેશ મેળવવા માગતા વિદ્યાર્થીઓની વય મર્યાદાને લઈને નવો નિયમ બનાવવામાં આવ્યો હતો. શિક્ષણ વિભાગે ગયા ડિસેમ્બર મહિનામાં કહ્યું હતું કે, સ્કૂલો ધોરણ 1માં ફક્ત એવા જ વિદ્યાર્થીઓને પ્રવેશ આપે કે જેમણે 1 જૂન 2023ના રોજ છ વર્ષ પૂર્ણ કર્યા હોય. જે બાદ વાલીઓ અને સ્કૂલો દ્વારા પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી અને વિભાગમાં રજૂઆત કરવામાં આવી હતી.

Edited byમનીષ કાપડિયા | TNN 17 Jan 2023, 7:48 am

હાઈલાઈટ્સ:

  • ધોરણ 1માં પ્રવેશ માટે રાજ્યના શિક્ષણ વિભાગે બદલ્યો છે નિયમ
  • વિદ્યાર્થીઓની વય મર્યાદામાં રાજ્ય સરકાર છૂટછાટ આપે એવી શક્યતા
  • કટ ઓફ ડેટ 1 જૂનના બદલે 14 જૂન સુધી લંબાવવાની માગ
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat class one age criterion relax
વાલીઓ અને સ્કૂલના મેનેજમેન્ટ દ્વારા આ મામલે રાજ્ય સરકારને વિનંતી કરવામાં આવી હતી.
અમદાવાદઃ ધોરણ 1માં પ્રવેશ માટેની વય મર્યાદામાં સુધારો કરીને રાજ્ય સરકાર હવે આ નિયમમાં છૂટછાટ આપે એવી શક્યતા છે, એવં સૂત્રોએ જણાવ્યું હતું. ગયા ડિસેમ્બર મહિનામાં રાજ્યના શિક્ષણ વિભાગે જણાવ્યું હતું કે, સ્કૂલો ધોરણ 1માં ફક્ત એવા જ વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકે છે કે જેમણે 1 જૂન, 2023ના રોજ છ વર્ષ પૂર્ણ કર્યા હોય. આ કટ ઓફ ડેટ હવે 1 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવે એવી શક્યતા છે, એવું સૂત્રોએ જણાવ્યું હતું.
અમદાવાદ: ગોતામાં આવેલા ફન પાર્કમાં ભીષણ આગ, ફાયરની 9થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે
શિક્ષણ વિભાગ છૂટછાટ આપવાની તરફેણમાં નહીં
સૂત્રોના જણાવ્યા મુજબ, રાજ્યનો શિક્ષણ વિભાગ કોઈ પણ જાતની છૂટછાટ આપવાની તરફેણમાં નથી, પરંતુ રાજ્ય સરકારને વાલીઓ અને શાળાના વહીવટી તંત્ર દ્વારા ઘણી રજૂઆતો મળી છે, જેમાં વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવે એવી વિનંતી કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, રાજ્ય સરકાર વય મર્યાદામાં છૂટછાટ અંગે ઔપચારિક નિર્ણય લેવા માટે વરિષ્ઠ અધિકારીઓની બેઠક બોલાવે તેવી શક્યતા છે. રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરને અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા દ્વારા ફોન કરવામાં આવ્યો હતો, પરંતુ તેમના દ્વારા કોઈ જવાબ મળ્યો નહોતો.
અમદાવાદની SMS હોસ્પિટલના 7મા માળેથી નર્સનો મૃતદેહ મળ્યો, ત્રણ દિવસથી હતી ગુમ
કટ ઓફ ડેટ 14 જૂન સુધી લંબાવવાની માગ

ગઈ 7મી જાન્યુઆરીના રોજ રાજ્યના સ્કૂલ મેનેજમેન્ટ એસોસિએશને રાજ્યના શિક્ષણ મંત્રીને એક પત્ર લખ્યો હતો. જેમાં ધોરણ 1માં પ્રવેશ માટે નવી જાહેર કાયેલી વય મર્યાદામાં છૂટછાટ માગવામાં આવી હતી. એસોસિએશને પત્રમાં એવું પણ કહ્યું હતું કે, કટ ઓફ ડેટ 1 જૂનના બદલે 14 જૂન સુધી લંબાવવી જોઈએ. કારણ કે ઘણા વિદ્યાર્થીઓ થોડા દિવસોમાં સુધારેલી વય મર્યાદાને પૂર્ણ કરવામાં ઓછા પડી જશે. 12 જાન્યુઆરીના રોજ રાજ્યના શિક્ષણ વિભાગે જાહેરાત કરી હતી કે, જે વિદ્યાર્થીઓ વય નિયમના કારણે ધોરણ 1માં પ્રવેશ માટે લાયક નથી તેમને બાલવાટિકામાં પ્રવેશ આપવામાં આવશે. આવા વિદ્યાર્થીઓ માટે સ્કૂલોમાં વિશેષ વિભાગ બનાવવામાં આવ્યો છે. સ્કૂલો વય મર્યાદાના સુધારાના કારણે ધોરણ 1ના પ્રવેશમાં ભારે ઘટાડો થાય એવી અપેક્ષા રાખી રહી છે.
Latest Ahmedabad News And Gujarat News
લેખક વિશે
મનીષ કાપડિયા
મનીષ કાપડિયા છેલ્લાં 13 વર્ષ કરતા પણ વધુ સમયથી પત્રકારત્વના ક્ષેત્રમાં કાર્યરત છે. કારકિર્દીની શરુઆતથી ક્રાઈમ, આર.ટી.ઓ., સ્પેશિયલ સ્ટોરીનું રિપોર્ટિંગ અને ફોટોગ્રાફીનો અનુભવ ધરાવે છે. આ સિવાય ન્યૂઝ એડિટિંગ અને પેજ મેકિંગનોનો પણ અનુભવ ખરો. ઉપરાંત ન્યૂઝ ચેનલમાં કોપી એડીટર, બુલેટિન પ્રોડ્યુસર અને શિફ્ટ હેન્ડલ કરવાનો પણ અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કૉલેજમાંથી ગ્રેજ્યુએશન (બી.એ.) કર્યુ છે. ત્યારબાદ ગૂજરાત વિદ્યાપીઠમાંથી માસ્ટર ઓફ જર્નલિઝમ કર્યા પછી પત્રકારાત્વના ક્ષેત્રમા્ં જોડાયા. તેઓ સંદેશ, ગુજરાત સમાચાર, સંદેશ પૂર્તિ જેવા અખબારો તથા જીએસટીવી, વીટીવી, બુલેટિન ઈન્ડિયા જેવી ન્યૂઝ ચેનલ સાથે પણ કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો