એપશહેર

રાજ્યમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે વહેલી ચૂંટણીના ભણકારા

Mitesh Purohit | TNN 29 Jul 2017, 7:53 am
ગાંધીનગરઃ પાછલા બે દિવસોમાં ગુજરાતના રાજકીય ફલક પર અનેક ઉથલપાથલ જોવા મળી હતી. વિરોધ પક્ષ કોંગ્રેસના 6 જેટલા ધારાસભ્યોએ રાજીનામુ આપી કેસરીયો ધારણ કર્યો હતો અને હજુ પણ બીજા કેટલાક ધારાસભ્યો ભાજપ સાથે જોડાય તેવી ચર્ચા ચાલી રહી છે. આ બધા વચ્ચે ભાજપમાં પણ ગણગણાટ શરૂ થઈ ગયો છે કે રાજ્યસભાની ચૂંટણી પત્યા બાદ તુરંત જ ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી શકે છે. રાજકીય વર્તુળોમાં ચાલતી ચર્ચા મુજબ ભાજપ રાજ્યસભાની ચૂંટણી પછી રાજ્યમાં વહેલી ચૂંટણી કરાવી શકે છે. સત્તામાં રહેલી ભારતીય જનતા પાર્ટી વિધાનસભાને ભંગ કરીને દિવાળી પહેલા ચૂંટણીની જાહેરાત કરશે તેવું ભાજપના જ કેટલાક ઉચ્ચ સૂત્રોનું માનવું છે. ભાજપના એક વરિષ્ઠ નેતાના જણાવ્યા પ્રમાણે ‘પક્ષના પ્રમુખ અમિત શાહ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુરુવારે યોજાયેલ બેઠકમાં ધારાસભ્યોને ચોખ્ખા શબ્દોમાં હિન્ટ આપી દીધી હતી કે તેમણે દિવાળી પહેલા ચૂંટણી માટે તૈયાર રહેવું જોઇએ. કોંગ્રેસમાંથી શંકરસિંહ વાઘેલા અને બળવંતસિંહ રાજપૂત જેવા કદાવર નેતાઓની વિકેટ ખડી ગયા બાદ રાજ્યમાં ભાજપ હાલ બેસ્ટ પોઝિશન પર છે.’ એક વરિષ્ઠ ધારાસભ્યનું કહેવું છે કે ‘ગુરુવારે બેઠકમાં અમિતભાઈ અને સીએમ રૂપાણીએ સંકેતો આપતા કહ્યું હતું કે કોંગ્રેસને તાજેતરમાં થયેલા નુકસાનનો જેટલો શક્ય બને તેટલો ફાયદો ભાજપે ઉઠાવવો જોઇએ. આ સમયે કોંગ્રેસને શું થઈ રહ્યું છે અને તેમાંથી બહાર આવવાનો સમય આપવો જોઈએ નહીં. તેમજ 19 ઓક્ટોબર(દિવાળી) પહેલા તહેવારોના દિવસોનો લાભ લેવા માટે પક્ષ વહેલી ચૂંટણી કરાવી શકે છે. તેમજ કોંગ્રેસમાંથી ભાજપના જોડાયેલા ધારાસભ્યો પણ આ જ ફેવરમાં છે.’

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો