એપશહેર

અમદાવાદી વિદ્યાર્થીઓએ શોધ્યો જુગાડ! ફ્લાઈટ બંધ થઈ તો આ રીતે પહોંચશે કેનેડા

કોરોનાની બીજી લહેર વખતે કેનેડાએ ડાઈરેક્ટ ફ્લાઈટ્સ પર પ્રતિબંધ મુક્યો તો વિદ્યાર્થીઓ હવે ફરી-ફરીને કેનેડા પહોંચી રહ્યા છે.

Authored byBharat Yagnik | I am Gujarat 24 Jun 2021, 9:37 am

હાઈલાઈટ્સ:

  • કેનેડાએ ડાઈરેક્ટ ફ્લાઈટ્સ પર પ્રતિબંધ મુક્યો.
  • ટ્રાન્ઝિટ વિઝાની મદદથી કેનેડા પહોંચી રહ્યા છે સ્ટુડન્ટ્સ.
  • ઓનલાઈન નહીં કેમ્પસમાં જઈને ભણવા માંગે છે વિદ્યાર્થીઓ.
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat airport
અમદાવાદ- ગુજરાતના અને ખાસકરીને અમદાવાદના ઘણાં વિદ્યાર્થીઓ આગળના અભ્યાસ માટે કેનેડા જતા હોય છે. તેઓ કેનેડા પહોંચવા માટે કોઈ રસ્તો કાઢી જ લેતા હોય છે. વધારે પૈસા ખર્ચવા પડે કે પછી ફરીફરીને જવું પડે, તેઓ કેનેડા પહોંચવાનો જુગાડ કરી લે છે.

અત્યારે કોરોનાની સ્થિતને ધ્યાનમાં રાખીને અમદાવાદ અને ટોરન્ટો વચ્ચેની ડાઈરેક્ટ ફ્લાઈટ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ કારણે સ્ટુડન્ટ વિઝા પર કેનેડા જનારા ઘણાં વિદ્યાર્થીઓ ફસાઈ ગયા હતા. પરંતુ તે વિદ્યાર્થીઓ ટ્રાન્ઝિટ વિઝાની મદદથી અન્ય દેશમાં જઈને પછી કેનેડા પહોંચી રહ્યા છે. વિદ્યાર્થીઓ અન્ય દેશના એરપોર્ટ પર રોકાઈને પછી ત્યાંથી ફ્લાઈટ લઈને કેનેડા પહોંચી રહ્યા છે જેથી તેમનો અભ્યાસ બગડે નહીં.
23 વર્ષીય યશ પટેલે કેનેડા જવા માટે 4 મેની ફ્લાઈટની ટિકીટ બુક કરાવી હતી, પરંતુ 22મી એપ્રિલથી ડાઈરેક્ટ ફ્લાઈટ પર પ્રતિબંધ મુકાયો હોવાને કારણે એક મહિનાથી તે દુવિધામાં છે. યશ પટેલ જણાવે છે કે, અત્યારે ઓનલાઈન ક્લાસ ચાલુ છે પરંતુ મારે કેમ્પસમાં જઈને ક્લાસમેટ સાથે ભણવું છે.

અમદાવાદઃ રથયાત્રાની અવઢવ વચ્ચે માત્ર એક ગજરાજ સાથે સાદાઈપૂર્વક યોજાઈ જળયાત્રા

કેમ્પસના અનુભવની સાથે સાથે ઘણાં વિદ્યાર્થીઓ એટલા માટે જવા માંગે છે કે પાર્ટ ટાઈમ નોકરી કરીને ભણતરના ખર્ચને કવર કરી શકે. ઉલ્લેખનીય છે કે, પોસ્ટગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે વાર્ષિક ફી 15-30 લાખ રુપિયા હોય હોય છે. આ પહેલા કેનેડા જતી ડાઈરેક્ટ ફ્લાઈટની સાથે સાથે ત્રણ કનેક્ટીંગ ફ્લાઈટ પણ હતી, જેમાંથી એક મસ્કત અને યુથોપિયા થઈને જતી હતી અને અન્ય એક રશિયા અને સાઈબેરિયા થઈને જતી હતી.

આ વર્ષે ભારતમાં માસ્કથી છૂટકારો મળશે? જાણો શું કહી રહ્યા છે એક્સપર્ટ્સ

અમદાવાદની એક કન્સલ્ટન્સી ફર્મના ડિરેક્ટર ભાવિન ઠાકર જણાવે છે કે, ભારતમાં કોરોનાની ત્રીજી લહેર આવે તે પહેલા આ વિદ્યાર્થીઓ કેનેડા પહોંચી જવા માંગે છે. ડાઈરેક્ટ ફ્લાઈટ તમને દોઢ અથવા બે દિવસમાં કેનેડા પહોંચાડી શકે છે પરંતુ આ રીતે જવાથી ચાર દિવસ લાગી જાય છે. આ સિવાય ટિકિટના પૈસા પણ વધારે હોય છે. પરંતુ અમને આશા છે કે કોરોનાના કેસમાં ઘટાડો થવાની સાથે કેનેડા જતી અન્ય ફ્લાઈટ પણ ટુંક સમયમાં શરુ થશે.

કેનેડામાં પ્રવેશ કરતા પહેલાના ડેસ્ટિનેશન પર આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવો જરુરી છે. આ માટે વિદ્યાર્થીઓએ ટેસ્ટના પરિણામની રાહ જોઈને 1-2 દિવસનું રોકાણ કરવાની જરુર પડે છે. અને જો ટેસ્ટ પોઝિટિવ આવે તો સારવાર પતે નહીં ત્યાં સુધી તેઓ આગળ નથી વધી શકતા. અમદાવાદના વિદ્યાર્થીઓ કેનેડામાં કમ્પ્યુટર સાયન્સ, હોટલ મેનેજમેન્ટ, બિગ ડેટા આર્કિટેક્ચર, સાયબર સિક્યોરિટી અને ફૂડ ચેઈન મેનેજમેન્ટ જેવા કોર્સમાં એડમિશન લેતા હોય છે. જે વિદ્યાર્થીઓએ રસીના બન્ને ડોઝ લઈ લીધા હોય તેમણે કેનેડા સહિત અન્ય દેશોમાં જવા માટે ક્વોરન્ટાઈન થવાની જરુર નથી.
લેખક વિશે
Bharat Yagnik
Bharat Yagnik is special correspondent at The Times of India, Ahmedabad, and reports on education-related issues, including primary school and higher and technical education. His interest areas include travelling and has recently been to Mansarovar.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો