એપશહેર

4200 ગ્રેડ પેના મુદ્દે શિક્ષકોએ આપી આંદોલનની ચીમકી, રાજ્ય સરકારે તાત્કાલિક યોજી બેઠક

ગાંધીનગરમાં રાજ્યના શિક્ષકોના 4200 ગ્રેડ પે મુદ્દે મહત્વની બેઠક રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા વચ્ચે યોજાઈ હતી.

I am Gujarat 4 Dec 2020, 5:05 pm
અમદાવાદ: કોરોના વાયરસની મહામારી દરમિયાન જ્યાં એકબાજુ હજુ સુધી સ્કૂલ-કોલેજો શરૂ થઈ નથી ત્યાં બીજી બાજુ રાજ્યના પ્રાથમિક શાળાના શિક્ષકોએ 4200 ગ્રેડ પેના મુદ્દે આંદોલનની ચીમકી આપી છે. પોતાના પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે રાજ્યના પ્રાથમિક શાળાના શિક્ષકોએ આંદોલનની ચીમકી આપી હોવાનું જાણવા મળ્યું છે ત્યારે આજે ગાંધીનગરમાં રાજ્યના શિક્ષકોના 4200 ગ્રેડ પે મુદ્દે મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
I am Gujarat q2


ગાંધીનગરમાં રાજ્યના શિક્ષકોના 4200 ગ્રેડ પે મુદ્દે મહત્વની બેઠક રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા વચ્ચે યોજાઈ હતી. આ બેઠકમાં શિક્ષણ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પરંતુ, આ બેઠકમાં હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નહીં હોવાનું જાણવા મળ્યું છે. અગાઉ પણ રાજ્યના શિક્ષણ સંઘ દ્વારા સરકારને 4200 ગ્રેડ પેના મુદ્દે અનેક રજૂઆત કરવામાં આવી હતી.

અહીં ઉલ્લેખનીય છે કે મોંઘવારી ભથ્થા મુદ્દે કર્મચારી મંડળે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો. જેમાં અટકાવવામાં આવેલા મોંઘવારી ભથ્થાને રિલીઝ કરવાની માગ કરવામાં આવી હતી. જાન્યુઆરીથી જૂન સુધીના ભથ્થા રિલીઝ કરવા અંગેની આ પત્રમાં રજૂઆત કરવામાં આવી છે. જ્યારે બીજી બાજુ રાજ્યના પ્રાથમિક શિક્ષણ મહાસંઘે આંદોલનની જાહેરાત કરી છે. પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવાની માગ સાથે રાજ્યના પ્રાથમિક શાળાના શિક્ષકોએ તારીખ 8 ડિસેમ્બરથી આંદોલનની ચીમકી આપી છે. આ શિક્ષકોએ પોતાની લડાઈમાં કોંગ્રેસ સાથ આપે તેવી માગણી કરી હોવાનું જાણવા મળ્યું છે.

Read Next Story