એપશહેર

ગુજરાતમાં શિયાળો જામ્યો, સામાન્ય કરતા 3 ડિગ્રી નીચે તાપમાન જતા અમદાવાદીઓ ઠુંઠવાયા

Yogesh Gajjar | TNN 19 Dec 2019, 8:35 am
અમદાવાદઃ શહેરમાં ગુલાબી ઠંડી ધીમે ધીમે જામી રહી છે. બુધવારે મહત્તમ તાપમાનનો પારો સામાન્ય કરતા 4 ડિગ્રી જેટલો રહેતા અમદાવાદીઓ દિવસભર સ્વેટરમાં જોવા મળ્યા હતા. ગુરુવારે પણ તે સામાન્યથી 3 ડિગ્રી નીચે 27 ડિગ્રી નોંધાયું હતું.આ દરમિયાન બુધવાર અને ગુરુવારનું લઘુત્તમ તાપમાન અનુક્રમે 15 અને 16 ડિગ્રી જેટલું નોંધાયું હતું. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: ગુજરાતના નલિયામાં બુધવારે સૌથી ઓછું 6.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. આ સાથે જ સમગ્ર ગુજરાતમાં તાપમાનનો પારો ગગડ્યો હતો. જેના કારણે સવારના સમયે લોકો ઠુંઠવાયા હતા. અમદાવાદમાં મોટાભાગના લોકોએ ઠંડીથી બચવા માટે જેકેટ, શાલ અને સ્વેટર કાઢી લીધા છે. સેટેલાઈટમાં રહેતા રેખા પટેલે કહે છે, પાછલા બે દિવસોથી સવારના સમયે ખૂબ જ ઠંડો પવન આવે છે. રાત્રે પણ ઠંડીના કારણે પંખો ચાલુ કરવાની જરૂર નથી પડતી. ગુજરાતમાં રાજ્ય સરકારે ટુ-વ્હીલર ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત પહેરવાનો નિયમ રદ કર્યો છે, ત્યારે ઠંડા પવનોથી બચવા માટે સવારે અને રાત્રે ઠંડા લોકો હેલ્મેટ પહેરીને નીકળી રહ્યા છે. જનરલ ફિઝિશિયન ડૉ. મનોજ વિઠ્ઠલાનીએ કહ્યું, ટુ-વ્હીલર ચાલકો માટે ઠંડા પાવનો અને વાઈરલ ઈન્ફેક્શનથી બચવા માટે હેલ્મેટ ખૂબ ઉપયોગી છે. ઠંડીના કારણે વાઈરલ ઈન્ફેક્શનના કેસો વધી રહ્યા છે. ત્યારે શિયાળાની શરૂઆત થતા જ ડોક્ટર્સે સામાન્ય તાવને હલકામાં ન લેવાની સલાહ આપી છે, કારણ કે ઠંડીમાં પાછલા વર્ષની જેમ સ્વાઈન ફ્લૂ ફરી માથું ઉચકી શકે છે. આ કારણે દરેક પ્રકારના તાવમાં ડોક્ટર્સ પાસેથી સારવાર લેવાની સલાહ અપાઈ છે. એવામાં તાવનો ઘરે ઉપચાર કરવો ગંભીર સાબિત થઈ શકે છે.

Read Next Story