એપશહેર

પરત આવશે હરિદ્વાર-નેપાળમાં ફસાયેલા મુસાફરો, સરકારે કરી 28 બસની વ્યવસ્થા

Gaurang Joshi | I am Gujarat 29 Mar 2020, 12:11 am
અમદાવાદઃ કોરોના વાયરસને પગલે લૉકડાઉનમાં લોકોને અનેક હાડમારીઓનો સામનો પણ કરવો પડી રહ્યો છે. લૉકડાઉનના કારણે કેટલાક યાત્રાળુઓ પણ હરિદ્વાર અને નેપાળ જેવી જગ્યાએ ફસાઈ ગયા છે. તાજેતરમાં જ આ શ્રદ્ધાળુઓનો વિડીયો પણ વાઈરલ થયો હતો. જેમાં તેઓ સરકારને અપીલ કરતાં જોવા મળ્યા હતાં. હવે ગુજરાત સરકારે દૂરના સ્થળે ફસાઈ 1800 જેટલા ગુજરાતી મુસાફરોને 28 બસ દ્વારા પરત લાવવાની વ્યવસ્થા કરી છે. ઉપરાંત હજારથી વધુ શ્રમિકો-કામદારોને પોતાના વતન મોકલવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરોબે જ દિવસમાં એકઠું થયું 12.85 કરોડ રુપિયાનું દાનકોરોના સામેનો જંગ લડવાના ફંડ માટે મુખ્યમંત્રી રાહતનિધિમાં ઉદાર હાથે દાન આપવાની મુખ્યમંત્રીની અપિલને વ્યાપક પ્રતિસાદ મળ્યો હતો. જે અંતર્ગત બે દિવસમાં જ 5200 લોકો-સંસ્થાઓએ 12.85 કરોડ રુપિયાનું ભંડોળ આપ્યું હતું. આ ઉપરાંત રાજ્યમાં દૂધ-શાકભાજી સહિતની આવશ્યક ચીજવસ્તુઓનો પુરતો જથ્થો ઉપલબ્ધહોવાની માહિતી આપી હતી. જે અંતર્ગત રાજ્યમાં 72 હોલસેલ શાક માર્કેટ કાર્યરત છે. ઉપરાંત 42 લાખ 40 હજાર લીટર દૂધનું વિતરણ થયું હતું. રાજ્યમાં અત્યાર સુધીમાં 2.82 લાખ ફૂડપેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.મુસાફરોનું કરાશે સંપૂર્ણ ચેકઅપઆ ઉપરાંત આવશ્યક ચીજવસ્તુઓ લોકો સુધી પહોચાડવા માટે 96158 જેટલા પાસ ફેરિયાઓ તેમજ છૂટક વેપારીઓને અપાયા હતાં. રાજ્ય સરકારના વિભાગો નાગરિકોને આ લોકડાઉન દરમિયાન કોઇ જ દુવિધા ન પડે તે માટે સતત કાર્યરત છે. બહાર ફસાયેલા મુસાફરોને 28 જેટલી ખાસ બસો મારફત ગુજરાત પરત લાવવામાં આવી રહ્યા છે. સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, ખેડા અને આણંદ જિલ્લાઓના આ મુસાફરો રાજ્યની સરહદમાં અરવલ્લી જિલ્લામાં પ્રવેશે ત્યારે તે તમામનું હેલ્થ ચેક અપ કરીને તેમના જમવા તેમજ અન્ય વ્યવસ્થાઓ કરી તે મુસાફરોને પોતાના ગંતવ્ય સ્થળે પહોંચાડવાની વ્યવસ્થાઓ કરવામાં આવશેઅત્યાર સુધીમાં 2 લાખ કરતા વધુ ફૂડપેકેટનું વિતરણમુખ્યમંત્રીના સચિવે શ્રમિકો અને મજૂરોને અપીલ કરી હતી કે કોઈ પોતાના વતન કે ગામ ન જાય અને હાલની સ્થિતીમાં સુરક્ષિત રહેવા જ્યાં છે ત્યાં જ રહે આ ઉપરાંત તેમણે ઉમેર્યુ કે રાજ્યમાં આવા શ્રમિકો-કારીગરો અને જરૂરતમંદ વ્યકિતઓ માટે જિલ્લા વહિવટીતંત્ર અને સ્વૈચ્છિક સેવા સંગઠનો ફૂડપેકેટ તૈયાર કરીને તેનું વિતરણ કરે છે તેમાં અત્યાર સુધીમાં રાજ્યમાં 2 લાખ 82 હજાર ફૂડપેકેટ વિતરીત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજ્યકક્ષાએ સ્ટેટ કંટ્રોલરૂમમાં હેલ્પલાઇન 1070 કાર્યરત છે. જેને મદદ માટે અત્યાર સુધીમાં 477 જેટલા કોલ્સ મળ્યા છે અને જિલ્લા કક્ષાએ કાર્યરત હેલ્પલાઇન 1077ને 1727 કોલ્સ મળ્યા હતાં.કોરોનાની મુશ્કેલીમાં વહી દાનની સરવાણીકોરોના વાયરસની આ મહામારી સામે લડવા માટેના ફંડ એકત્રીકરણની મુખ્યમંત્રીની અપિલ હેઠળ અદાણી ફાઉન્ડેશનના પ્રિતીબહેન અદાણીએ પાંચ કરોડનું દાન, ગુજરાત રાજ્ય બીજ નિગમ દ્વારા રૂ. 1 કરોડ, શ્રી આરાસૂરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તરફથી રૂ. 1 કરોડ 1 લાખ, રાજકોટના મુકેશભાઇ શેઠ દ્વારા રૂ. 51 લાખ તેમજ ખોડલધામના દિનેશ કુંભાણીના વ્યકિગત ફાળા પેટે રૂ. 11 લાખ, સ્વામિનારાયણ મંદિર વાસણા SMVS-ગાંધીનગર દ્વારા રૂ. 21 લાખ અને સુપ્રસિદ્ધ કથાકાર જિજ્ઞેશકુમારે રૂ. 5 લાખ 55 હજાર મુખ્યમંત્રી રાહતનિધિમાં આપેલા છે.આમ અત્યાર સુધીમાં અંદાજે રૂ. 12.85 કરોડ જેટલું દાન એકઠું થયું હતું.

લોકડાઉનમાં ફરતા યુવાનોને પોલીસ વડાની ચેતવણી, ‘પકડાયા તો કારકિર્દી બગડશે’

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો