એપશહેર

નવી જંત્રીના ભાવ સરકારે કર્યા જાહેર, મકાન, ઓફિસ અને જમીન લેવા માટે ચૂકવવી પડશે બમણી રકમ

જંત્રીના ભાવ અંગે રાજ્ય સરકારે ફેબ્રૂઆરીમાં પરિપત્ર જાહેર કર્યો હતો. જેમાં જંત્રીના ભાવ ડબલ કરવામાં આવ્યા હતા. રાજ્યની બિલ્ડર લોબી દ્વારા આ જંત્રીના ભાવનો વિરોધ કરવામાં આવ્યો હતો. બિલ્ડર લોબીના વિરોધને કારણે સરકારે પોતાનો પરપિત્ર મોકૂફ રાખ્યો હતો. જો કે, હવે સરકારે જંત્રીના ભાવમાં વધારો કરતો પરિપત્ર જાહેર કર્યો છે. અને નવી જંત્રીના ભાવ 15 એપ્રિલથી જ લાગુ થશે.

Edited byમિહિર સોલંકી | I am Gujarat 13 Apr 2023, 11:00 pm

હાઈલાઈટ્સ:

  • ખેતી અને બિનખેતીની જમીનની જંત્રીના દરમાં બે ગણો વધારો
  • રહેણાંક મકાનના ભાવમાં 1.8 ગણો વધારો કરવામાં આવ્યો
  • ઓફિસરના ભાવમાં 1.5 ગણો વધારો કરવામાં આવ્યો
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat પ્રતિકાત્મક ફોટો
પ્રતિકાત્મક ફોટો
અમદાવાદ: રાજ્યમાં નવી જંત્રીના ભાવ 15 એપ્રિલથી અમલ થવા જઈ રહ્યા છે. જેના કારણે મકાન અને જમીનના ભાવમાં વધારો થવા જઈ રહ્યો છે. હાલ બિલ્ડરો અને સામાન્ય લોકોનો દસ્તાવેજ માટે વિવિધ કચેરીઓમાં ધસારો જોવા મળી રહ્યો છે. ત્યારે જંત્રીના ભાવને લઈને સરકાર દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત સરકારે જંત્રીના નવા ભાવ જાહેર કર્યા છે. ખેતી અને બિનખેતીની જમીનની જંત્રીના દરમાં બે ગણો વધારો કરવામા્ં આવ્યો છે. જ્યારે રહેણાંક મકાનના ભાવમાં 1.8 ગણો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે ઓફિસરના ભાવમાં 1.5 ગણો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે દુકાનના જંત્રીના ભાવમાં 2 ગણો વધારો કરવામાં આવ્યો છે.
જ્યારે ખેતીથી ખેતીની જમીનની વાત કરીએ તો, ખેતીમાં હવે 25 ટકાને બદલે 20 ટકા પ્રિમિયમ લેવાનું નક્કી કરવામાં આવેલ છે. તેમજ ખેતીથી-બિનખેતીમાં 20 ટકાને બદલે 30 ટકા પ્રિમયમ લેવામાં આવશે. પ્લાન પાસીંગની પ્રક્રીયામાં સ્ક્રીટિની ફી ભરેલ હોય તેવા કિસ્સામાં જૂની જંત્રી મુજબ પેઈડ FSI વસુલવામાં આવશે. જે કિસ્સામાં પ્લાન પાસ થયેલ હોય અને FSIના પેમેન્ટ હપ્તા ચાલુ હોય તેવા કિસ્સામાં નવી જંત્રીની અસર પેઈડ FSIમાં લાગુ થશે નહીં. ઉપરાંત TDRનો ઉપયોગ કરવામાં આવે તેવા મામલામાં જૂની જંત્રીના દર વસુલવામાં આવશે.

ખેતી તથા બિનખેતીની જમીનના દરોમાં બે ગણી જંત્રી યથાવત રાખવામાં આવી છે. જ્યારે જમીન અને બાંધાકમના સંયુક્ત દરમાં રહેણાંકના દર બે ગણાને બદલે 1.8 ગણાા તથા ઓફિસના ભાવ બે ગણાને બદલે 1.5 ગણા તથા દુકાનના ભાવ બે ગણા નક્કી કરવામાં આવ્યા છે. જ્યારે જંત્રી બાબતે ઈસ્યુ થયેલી 18 એપ્રિલ 2011ની ગાઈડલાઈન મુજબ બાંધકાનના નક્કી થયેલા દરો 15 એપ્રિલ 2023થી દોઢ ગણા કરવામાં આવ્યા છે. આ તમામ જંત્રીના ભાવમાં વધારો 15 એપ્રિલથી લાગુ કરવામાં આવશે.
લેખક વિશે
મિહિર સોલંકી
મિહિર સોલંકી છેલ્લા 4 વર્ષ કરતા વધુ સમયથી પત્રકારના ક્ષેત્રમાં છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી માસ્ટર ઈન ડેવલોપમેન્ટ કમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે અને દિવ્યભાસ્કર, મંતવ્ય ન્યૂઝ, ગુજરાત ફર્સ્ટ અને વીટીવી ન્યૂઝ સાથે તેમણે અગાઉ કામ કર્યું છે.... વધુ વાંચો

Read Next Story