એપશહેર

અમદાવાદમાં 17 ઓક્ટોબરથી ખુલશે થિએટર્સ, જોવા મળશે આ ગુજરાતી ફિલ્મ્સ

સરકારે જાહેરનામામાં પચાસ ટકા ક્ષમતા સાથે 15 ઓક્ટોબરથી થિયેટર્સ ખોલવાની મંજૂરી આપી હતી.

I am Gujarat 15 Oct 2020, 12:16 am
અમદાવાદઃ ગુજરાતમાં સરકારની ગાઈડલાઈન્સ મુજબ ગુરુવારે ગુજરાતમાં થિયેટર્સ શરૂ થવાના હતાં પરંતુ તેમના માલિકો અને ફિલ્મ વિતરકો વચ્ચે જૂની ફિલ્મ્સ ફરીથી રીલિઝ કરવા માટે સમજૂતી ન થવાને કારણે શનિવારે સિનેમા હોલ ખુલે તેવી શક્યતા છે. થિયેટર માલિકોના એક પ્રતિનિધિએ આ બાબતની માહિતી આપી હતી. અમદાવાદમાં વાઈડ એંગલમાં શુક્રવારથી જ 'હેલ્લારો', 'લવની ભવાઈ','કરસનદાસ પે એન્ડ યૂઝ' જેવી ગુજરાતી ફિલ્મ્સ ફરીથી બતાવવામાં આવશે.
I am Gujarat theaters will open in ahmedabad from october 17
અમદાવાદમાં 17 ઓક્ટોબરથી ખુલશે થિએટર્સ, જોવા મળશે આ ગુજરાતી ફિલ્મ્સ


50% દર્શકોની કેપિસિટી સાથે શરુ થશે થિએટર
કોવિડ-19 મહામારી લોકડાઉન લાગુ થતાં માર્ચથી થિયેટરો અને મલ્ટિપ્લેક્સ બંધ થઈ ગયા હતા. ગુજરાત સરકારે 1 ઓક્ટોબરના રોજ જાહેર કરેલા જાહેરનામામાં પચાસ ટકા ક્ષમતા સાથે 15 ઓક્ટોબરથી થિયેટર્સ ખોલવાની મંજૂરી આપી હતી.

દર્શાવવામાં આવશે જૂની ફિલ્મ્સ
ગુજરાત મલ્ટીપ્લેક્સ એસોસિએશનના સભ્ય નીરજ આહુજાએ બુધવારે પીટીઆઈ ભાષાને જણાવ્યું હતું કે, 'અમે (ગુજરાતના મલ્ટિપ્લેક્સ) આવતીકાલથી નહીં ખોલીએ કારણ કે અમે જૂની ફિલ્મ્સ ફરીથી દર્શાવવા અંગે મુંબઈના ડિસ્ટ્રિબ્યુટર્સ સાથે કોઈ નિર્ણય પર પહોંચ્યા નથી. તેમણે કહ્યું,"અમને આશા છે કે અમે શનિવારથી મોટાભાગની જૂની ફિલ્મ્સ ચલાવીશું."

નવી ફિલ્મ રીલિઝ માટે તૈયાર નહીં ડિસ્ટ્રિબ્યૂટર્સ
તેમણે કહ્યું કે ગુજરાતી ફિલ્મોના ડિસ્ટ્રિબ્યુટર પણ નવી ફિલ્મો રીલિઝ કરવા તૈયાર નથી. દરમિયાન છત્તીસગઢ સરકારે રાજ્યમાં થિયેટર્સ અને મલ્ટિપ્લેક્સ શરૂ કરવા અંગે કોઈ નિર્ણય લીધો નથી. સેન્ટ્રલ સર્કિટ સિને એસોસિએશનના સભ્યએ બુધવારે કહ્યું હતું કે જો લોકડાઉન ચાલુ રહેશે તો તેઓએ તેમના કર્મચારીઓમાં ઘટાડો કરવો પડશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો