નવગુજરાત સમય > અમદાવાદ
ટોરેન્ટ પાવરના ફ્યુઅલ સરચાર્જમાં 0.32 પૈસાનો ઘટાડો કરવામાં આવતાં તેના 30 લાખ ગ્રાહકોને ત્રણ મહિનામાં ~ 75 કરોડ સુધીનો ફાયદો થશે. ટોરેન્ટનો ફ્યુઅલ એન્ડ પાવર પર્ચેસ રેટ એડજસ્ટમેન્ટ (FPPPA) ગત ત્રણ મહિના માટે 1.30 પૈસા હતો, જેમાં ઘટાડો કરીને તેને 0.80 પૈસા કરવામાં આવ્યો છે. આમ FPPPAમાં સીધા 0.50 પૈસાનો ઘટાડો થયો છે. જો કે, ગુજરાત વીજ નિયમન પંચ(જર્ક) દ્વારા ટોરેન્ટને 0.18 પૈસા રેગ્યુલેટરી ચાર્જ વસૂલવાની પરવાનગી આપી હોવાથી ગ્રાહકોને સીધો 0.32 પૈસાનો જ લાભ થશે. વીજ ક્ષેત્રના નિષ્ણાંતોનું માનવું છે કે જે ગ્રાહકોને મહિને 200 યુનિટનો વપરાશ હશે તેના વીજ બિલમાં 115 રૂ. સુધીનો ઘટાડો થઇ શકશે.
ચારે તરફ ફેલાયેલી મોંઘવારી વચ્ચી વીજ બિલમાં હાલના તબક્કે થયેલો ઘટાડો ટોરેન્ટ પાવરના અમદાવાદ, સુરત અને ગાંધીનગરના 30 લાખ ગ્રાહકોને હાશકારો અપાવશે. ટોરેન્ટ પાવર દ્વારા સોમવારે સત્તાવાર રીતે અખબારી યાદી જાહેર કરીને જણાવવામાં આવ્યું છે કે,’વર્ષ 2016-17ના પ્રથમ ક્વાર્ટર(માર્ચ, એપ્રિલ અને જૂન)માં યુનિટ દીઠ ફ્યુઅલ સરચાર્જના ભાવ 1.30 પૈસા હતા. દ્વિતીય ક્વાર્ટર(જુલાઇ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર) માટે આ ચાર્જ 0.80 પૈસા નક્કી કરવામાં આવ્યો છે. 2016ના અંતિમ ક્વાર્ટરમાં ફ્યુઅલ સરચાર્જ 1.98 પૈસા હતો. તે પ્રમાણે અત્યાર સુધીમાં તેમાં 1.18 પૈસાનો જંગી ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઘટાડો થતાં અમદાવાદ, ગાંધીનગર અને સુરતના ઘરેલૂ વીજ ગ્રાહકોને ગત વર્ષની સરખામણીમાં યુનીટ દીઠ 1 રૂ. સુધીનો લાભ થયો છે. જેથી તેમના વીજ બિલમાં 17 ટકા સુધીનો ઘટાડો જોવા મળશે.’ ફ્યુઅલ સરચાર્જના ઘટાના માટે ટોરેન્ટ દ્વારા એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે,’કંપનીએ પોતાની ઓપરેશનલ કાર્યક્ષમતા વધારી છે અને પાવરની ખરીદીમાં કીંમતો ઘટાડવાના પ્રયત્નો કર્યા છે. જેના પરિણામે ફ્યુઅલ સરચાર્જના નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે.’
ઊર્જા ક્ષેત્રના નિષ્ણાંત કે.કે. બજાજનું માનવું છે કે ફ્યુઅલ સરચાર્જમાં 0.32 પૈસાનો ઘટાડો થતાં ટોરેન્ટના 30 લાખ ગ્રાહકોના માથેથી ત્રણ મહિના માટે ~ 75 કરોડ જેટલો બોજો ઓછો થશે. તેમણે જણાવ્યું હતું કે,’ટોરેન્ટનું દર મહિનાનું વીજળીનું વેચાણ 800 મીલીયન યુનિટ છે. જેથી 800 ગુણ્યા 0.32 કરતાં દર મહિને અંદાજિત 25.6 કરોડ રૂપિયાનું લાભ ગ્રાહકોને થશે, એટલે કે ત્રણ મહિના માટે ~ 75 કરોડ સુધીનો ગ્રાહકોનો બોજો ઓછો થઇ શકે છે.’ તેમણે વધુમાં જણાવ્યું હતું કે,’ઊર્જા મંત્રાલયના સસ્તા ભાવનો ગેસ મળવાના લીધે હાલ ફ્યુઅલ સરચાર્જમાં ઘટાડો આવ્યો છે. જેનો સીધો લાભ લાખો ગ્રાહકોને થઇ રહ્યો છે. આગામી દિવસોમાં જીયુવીએનએલ દ્વારા પણ ફ્યુઅલ સરચાર્જ ઘટાડવામાં આવે એવી આશા રાખી શકાય.
18 પૈસાનો લાભ મળતા રહી ગયો તાજેતરમાં જ જર્ક સમક્ષ ટોરેન્ટ દ્વારા તેના અગાઉના બાકી લેણાં ~ 470 કરોડ રિકવર કરવા માટે 45 પૈસા રેગ્યુલેટરી ચાર્જ વસૂલવા માટેની પિટિશન કરવામાં આવી હતી. જો કે, જર્ક દ્વારા આ લેણાની રકમ ઘટાડીને ~ 192 કરોડ ઠેરવી રેગ્યુલેટરી ચાર્જ 18 પૈસા કર્યું હતું. જે 1-7-16થી ટોરેન્ટ દ્વારા વસૂલવામાં આવે છે. આમ 18 પૈસા રેગ્યુલેટરી ચાર્જના લીધે ગ્રાહકોને હાલ ફ્યુઅલ સરચાર્જમાં સીધા 50 પૈસાના બદલે 32 પૈસાનો જ લાભ મળ્યો છે.
રાજયની વીજ કંપનીઓના ભાવમાં પણ ઘટાડો થશે રાજ્યના ઊર્જા મંત્રી સૌરભ પટેલ જણાવ્યું હતું કે હવે ઉર્જા વિકાસ નિગમની સરકારી વીજ કંપનીઓમાં પણ ટૂંક સમયમાં થોડો ઘટાડો થશે. ટોરેન્ટ વીજ કંપની સામે ગુજરાત સરકારે આક્રમક રીતે કાનૂની જંગ ખેલ્યો હતો અને તેમાં જીત મેળવી પ્રજાને સસ્તા ભાવે વીજળી અપાવવામાં સફળતા મેળવી છે. તેમણે જણાવ્યું કે, યુપીએ સરકારમાં 1.98 રૂપિયા યુનિટ દીઠ ફ્યુઅલ સરચાર્જ હતો તે ઘટીને 1.30 રૂપિયા થયો હતો અને હવે તેમાં 50 પૈસાનો ઘટાડો થતા 80 પૈસાનો ફ્યુઅલ સરચાર્જ લાગશે. જેનો અમલ જુલાઇથી સપ્ટેમ્બર માસ માટે થશે. વીજ મથકોના ઇંધણનો ખર્ચ ઓછો થતા ભાવ ઘટાડો થયો છે.
ટોરેન્ટ પાવરના ફ્યુઅલ સરચાર્જમાં 0.32 પૈસાનો ઘટાડો કરવામાં આવતાં તેના 30 લાખ ગ્રાહકોને ત્રણ મહિનામાં ~ 75 કરોડ સુધીનો ફાયદો થશે. ટોરેન્ટનો ફ્યુઅલ એન્ડ પાવર પર્ચેસ રેટ એડજસ્ટમેન્ટ (FPPPA) ગત ત્રણ મહિના માટે 1.30 પૈસા હતો, જેમાં ઘટાડો કરીને તેને 0.80 પૈસા કરવામાં આવ્યો છે. આમ FPPPAમાં સીધા 0.50 પૈસાનો ઘટાડો થયો છે. જો કે, ગુજરાત વીજ નિયમન પંચ(જર્ક) દ્વારા ટોરેન્ટને 0.18 પૈસા રેગ્યુલેટરી ચાર્જ વસૂલવાની પરવાનગી આપી હોવાથી ગ્રાહકોને સીધો 0.32 પૈસાનો જ લાભ થશે. વીજ ક્ષેત્રના નિષ્ણાંતોનું માનવું છે કે જે ગ્રાહકોને મહિને 200 યુનિટનો વપરાશ હશે તેના વીજ બિલમાં 115 રૂ. સુધીનો ઘટાડો થઇ શકશે.
ચારે તરફ ફેલાયેલી મોંઘવારી વચ્ચી વીજ બિલમાં હાલના તબક્કે થયેલો ઘટાડો ટોરેન્ટ પાવરના અમદાવાદ, સુરત અને ગાંધીનગરના 30 લાખ ગ્રાહકોને હાશકારો અપાવશે. ટોરેન્ટ પાવર દ્વારા સોમવારે સત્તાવાર રીતે અખબારી યાદી જાહેર કરીને જણાવવામાં આવ્યું છે કે,’વર્ષ 2016-17ના પ્રથમ ક્વાર્ટર(માર્ચ, એપ્રિલ અને જૂન)માં યુનિટ દીઠ ફ્યુઅલ સરચાર્જના ભાવ 1.30 પૈસા હતા. દ્વિતીય ક્વાર્ટર(જુલાઇ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર) માટે આ ચાર્જ 0.80 પૈસા નક્કી કરવામાં આવ્યો છે. 2016ના અંતિમ ક્વાર્ટરમાં ફ્યુઅલ સરચાર્જ 1.98 પૈસા હતો. તે પ્રમાણે અત્યાર સુધીમાં તેમાં 1.18 પૈસાનો જંગી ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઘટાડો થતાં અમદાવાદ, ગાંધીનગર અને સુરતના ઘરેલૂ વીજ ગ્રાહકોને ગત વર્ષની સરખામણીમાં યુનીટ દીઠ 1 રૂ. સુધીનો લાભ થયો છે. જેથી તેમના વીજ બિલમાં 17 ટકા સુધીનો ઘટાડો જોવા મળશે.’ ફ્યુઅલ સરચાર્જના ઘટાના માટે ટોરેન્ટ દ્વારા એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે,’કંપનીએ પોતાની ઓપરેશનલ કાર્યક્ષમતા વધારી છે અને પાવરની ખરીદીમાં કીંમતો ઘટાડવાના પ્રયત્નો કર્યા છે. જેના પરિણામે ફ્યુઅલ સરચાર્જના નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે.’
ઊર્જા ક્ષેત્રના નિષ્ણાંત કે.કે. બજાજનું માનવું છે કે ફ્યુઅલ સરચાર્જમાં 0.32 પૈસાનો ઘટાડો થતાં ટોરેન્ટના 30 લાખ ગ્રાહકોના માથેથી ત્રણ મહિના માટે ~ 75 કરોડ જેટલો બોજો ઓછો થશે. તેમણે જણાવ્યું હતું કે,’ટોરેન્ટનું દર મહિનાનું વીજળીનું વેચાણ 800 મીલીયન યુનિટ છે. જેથી 800 ગુણ્યા 0.32 કરતાં દર મહિને અંદાજિત 25.6 કરોડ રૂપિયાનું લાભ ગ્રાહકોને થશે, એટલે કે ત્રણ મહિના માટે ~ 75 કરોડ સુધીનો ગ્રાહકોનો બોજો ઓછો થઇ શકે છે.’ તેમણે વધુમાં જણાવ્યું હતું કે,’ઊર્જા મંત્રાલયના સસ્તા ભાવનો ગેસ મળવાના લીધે હાલ ફ્યુઅલ સરચાર્જમાં ઘટાડો આવ્યો છે. જેનો સીધો લાભ લાખો ગ્રાહકોને થઇ રહ્યો છે. આગામી દિવસોમાં જીયુવીએનએલ દ્વારા પણ ફ્યુઅલ સરચાર્જ ઘટાડવામાં આવે એવી આશા રાખી શકાય.
18 પૈસાનો લાભ મળતા રહી ગયો તાજેતરમાં જ જર્ક સમક્ષ ટોરેન્ટ દ્વારા તેના અગાઉના બાકી લેણાં ~ 470 કરોડ રિકવર કરવા માટે 45 પૈસા રેગ્યુલેટરી ચાર્જ વસૂલવા માટેની પિટિશન કરવામાં આવી હતી. જો કે, જર્ક દ્વારા આ લેણાની રકમ ઘટાડીને ~ 192 કરોડ ઠેરવી રેગ્યુલેટરી ચાર્જ 18 પૈસા કર્યું હતું. જે 1-7-16થી ટોરેન્ટ દ્વારા વસૂલવામાં આવે છે. આમ 18 પૈસા રેગ્યુલેટરી ચાર્જના લીધે ગ્રાહકોને હાલ ફ્યુઅલ સરચાર્જમાં સીધા 50 પૈસાના બદલે 32 પૈસાનો જ લાભ મળ્યો છે.
રાજયની વીજ કંપનીઓના ભાવમાં પણ ઘટાડો થશે રાજ્યના ઊર્જા મંત્રી સૌરભ પટેલ જણાવ્યું હતું કે હવે ઉર્જા વિકાસ નિગમની સરકારી વીજ કંપનીઓમાં પણ ટૂંક સમયમાં થોડો ઘટાડો થશે. ટોરેન્ટ વીજ કંપની સામે ગુજરાત સરકારે આક્રમક રીતે કાનૂની જંગ ખેલ્યો હતો અને તેમાં જીત મેળવી પ્રજાને સસ્તા ભાવે વીજળી અપાવવામાં સફળતા મેળવી છે. તેમણે જણાવ્યું કે, યુપીએ સરકારમાં 1.98 રૂપિયા યુનિટ દીઠ ફ્યુઅલ સરચાર્જ હતો તે ઘટીને 1.30 રૂપિયા થયો હતો અને હવે તેમાં 50 પૈસાનો ઘટાડો થતા 80 પૈસાનો ફ્યુઅલ સરચાર્જ લાગશે. જેનો અમલ જુલાઇથી સપ્ટેમ્બર માસ માટે થશે. વીજ મથકોના ઇંધણનો ખર્ચ ઓછો થતા ભાવ ઘટાડો થયો છે.