એપશહેર

ગુજરાતઃ કોરોનાના નવા કેસોનો આંકડો 800ની નીચે આવ્યો

કોરોનાની મહામારીમાં રાજ્યમાં વધુ 7 મોત સાથે જ 4300 પાર પહોંચ્યો મૃત્યુઆંક

I am Gujarat 30 Dec 2020, 7:45 pm
અમદાવાદઃ રાજ્યમાં કોરોના વાયરસના વધતા કહેરને રોકવા માટે રાત્રિ કર્ફ્યૂ અમલમાં છે. મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ પહેલી જાન્યુઆરીથી રાત્રિ કર્ફ્યૂનો સમય 10થી 6 સુધીનો કર્યો છે તો 24 કલાકમાં નવા કેસની સંખ્યા પણ 800ની નીચે નોંધાઈ છે. 24 કલાકમાં કોરોનાના વધુ 799 નવા દર્દીઓ સાથે જ કોરોનાનો કુલ આંકડો પણ 244258 થયો છે. જ્યારે રાજ્યમાં દર્દીઓના સ્વસ્થ થવાનો દર પણ 94.15% થયો છે.
I am Gujarat total 244258 coronavirus cases in gujarat till 30th december
ગુજરાતઃ કોરોનાના નવા કેસોનો આંકડો 800ની નીચે આવ્યો


અન્ય રાજ્યની સરખામણીએ ગુજરાતની સ્થિતિ


800ની નીચે નોંધાયા કેસ
24 કલાકમાં રાજ્યમાં કોરોનાના કુલ 54,708 ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં. જેથી કુલ ટેસ્ટનો આંકડો પણ 95,98,108 થયો છે. રાજ્યમાં 799 નવા દર્દીઓ સામે 834 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેથી સ્વસ્થ દર્દીઓનો આંકડો પણ 2,29,977 એ પહોંચ્યો છે. રાજ્યની વસ્તીને ધ્યાનમાં લેતા દસ લાખની વસ્તી સામે પ્રતિ દિવસે 841.66 ટેસ્ટ થાય છે.

રાજ્યમાં કુલ 9979 એક્ટિવ કેસ
રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 5,03,645 વ્યક્તિઓને ક્વોરન્ટીન કરવામાં આવ્યાં છે. જે પૈકી 5,03,530 વ્યક્તિઓ હોમ ક્વોરન્ટીનમાં છે અને 115 વ્યક્તિઓને ફેસિલિટી ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યાં છે. આ ઉપરાંત રાજ્યમાં કુલ 9979 એક્ટિવ કેસ છે. જેમાંથી 62 દર્દીઓને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે. જ્યારે 9917ની સ્થિતિ સ્ટેબલ છે.

4300 પાર થયો મૃત્યુઆંક
રાજ્યમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે ત્યારે આ સ્થિતિમાં ગત 24 કલાકમાં વધુ 7 દુઃખદ મૃત્યુ નોંધાયા છે. જેમાં રાજકોટ અને સુરત કોર્પોરેશનમાં 1-1, ગાંધીનગરમાં 1 અમદાવાદ કોર્પોરેશનમાં 3 તેમજ વડોદરા કોર્પોરેશનમાં 1 મોત નોંધાયા છે. જેથી હવે રાજ્યમાં કુલ મૃત્યુઆંક પણ 4302 થયો છે.

રાજ્યમાં કુલ એક્ટિવ કેસ અને મૃત્યુઆંક

Read Next Story