એપશહેર

ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 226 નવા કેસ, કુલ 3774 પોઝિટિવ દર્દીઓ

Gaurang Joshi | I am Gujarat 28 Apr 2020, 7:48 pm
અમદાવાદઃ ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1543 કેસ નોંધાયા છે. જેથી કુલ કોરોના વાયરસ સંક્રમિત વ્યક્તિઓની સંખ્યા 29,435 થઈ છે તો રિકવરી રેટ પણ 23.3% સુધી પહોંચ્યો છે. દેશના 17 જિલ્લાઓમાં 28 દિવસથી નવો કોઈ જ કેસ નથી. ગુજરાતમાં પણ 24 કલાકમાં 226 કેસ નોંધાયા છે. જેથી હવે રાજ્યમાં કોરોના પોઝિટિવ વ્યક્તિઓની સંખ્યા 3774એ પહોંચી છે અને વધુ 19 મોત સાથે હવે મૃત્યુઆંક 181 થયો છે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો24 કલાકમાં અમદાવાદમાં સૌથી વધુ કેસનવા આવેલા કુલ 226 કેસમાં અમદાવાદમાં સૌથી વધુ 164 કેસ નોંધાયા છે તો આણંદમાં 9, ભરુચમાં 2, ભાવનગરમાં 1, બોટાદમાં 6 કેસ, ગાંધીનગર જે પહેલા કોરોનામુક્ત થઈ ચૂક્યું હતું તેમાં નવા 6 કેસ, રાજકોટમાં 9 કેસ, સુરતમાં 14 કેસ અને વડોદરામાં 15 કેસનો સમાવેશ થાય છે. કુલ 3774 પોઝિટિવ દર્દીમાંથી 3125ની હાલત સ્ટેબલ છે જ્યારે 34 લોકો વેન્ટિલેટર પર છે. આ ઉપરાંત 434 દર્દીઓ કોરોના સામેનો જંગ જીતીને ઘરે પરત ફર્યા છે.
90 વર્ષના વૃદ્ધે મેળવી કોરોના સામે જીતએકબાજુ અમદાવાદમાં 24 કલાકમાં 19 લોકો મોતને ભેટ્યા છે તો બીજી બાજુ અમદાવાદમાં 29 લોકો સ્વસ્થ થઈને ઘરે પણ પરત ફર્યા છે. જ્યારે આણંદમાં 3, ભાવનગરમાં 1, બોટાદમાં 2, છોટા ઉદેપુરમાં 2, કચ્છમાં 1 અને વડોદરામાં 2 લોકો એમ 24 કલાકમાં કુલ 40 લોકો સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. આ ઉપરાંત આરોગ્ય સચિવ જયંતિ રવિએ ઉમેર્યુ હતું કે, ‘ભાવનગરમાં માળિયા ફડી વડવાના એક વયસ્ક જે 90 વર્ષની ઉંમરના હતાં તેઓ ડિસ્ચાર્જ થઈને પરત ફર્યાં છે. આ વૃદ્ધ 5મી તારીખે હોસ્પિટલમાં સારવાર હેઠળ હતાં અને 28મી તારીખે સારવાર લઈને ઘરે પરત ફર્યાં છે.’
આ ઉપરાંત આરોગ્ય સચિવે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, ‘હોમ ક્વોરન્ટીનમાં 38000 વ્યક્તિઓ, સરકારી ફેસિલિટીમાં 3181 વ્યક્તિઓ અને 236 જેટલા લોકો પ્રાઈવેટ ક્વોરન્ટીમાં એમ સમગ્ર રાજ્યમાં કુલ 41417 લોકો ક્વોરન્ટીનમાં છે.’

ત્રીજી મે પછી કડકાઈ કે છૂટ? લોકડાઉનના ‘એક્ઝિટ પ્લાન’ પર કેન્દ્રએ શરુ કર્યું કામ

Read Next Story