એપશહેર

ગુજરાતઃ 24 કલાકમાં નોંધાયા કોરોનાના 380 કેસ, રિકવરી રેટ 96.74%

ભારતમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા 1,77,266 છે તો ગુજરાતમાં પણ 4086 એક્ટિવ કેસ છે

I am Gujarat 26 Jan 2021, 8:13 pm
અમદાવાદઃ 24 કલાકમાં દેશમાં કોરોનાના 10,000થી ઓછા કેસ સામે આવ્યા છે જ્યારે 24 કલાકમાં 117 લોકોના મોત થયા છે. જેથી મૃત્યુઆંક પણ 1,53,587 થયો છે. ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત થયેલા લોકોની સંખ્યા વધીને 1,06,77,736 થઈ ગઈ છે જેમાંથી 1,03,45,985 લોકો સંક્રમણમુક્ત થઈ ચૂક્યાં છે. ભારતમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા 1,77,266 છે. ગુજરાતમાં પણ કોરોના કેસની એક્ટિવ સંખ્યા 4086 થઈ છે.
I am Gujarat total 4086 active corona case in gujarat till 26th january
ગુજરાતઃ 24 કલાકમાં નોંધાયા કોરોનાના 380 કેસ, રિકવરી રેટ 96.74%

રાજ્યમાં એક્ટિવ કેસ અને મૃત્યુઆંક


24 કલાકમાં વધુ 637 દર્દીઓ થયા સ્વસ્થ
મહામારીમાં રાજ્યમાં નવા 380 કેસ નોંધાયા છે તો 24 કલાકમાં વધુ 637 દર્દીઓ રજા આપવામાં આવી છે. જેથી રાજ્યમાં કુલ 251400 વ્યક્તિઓ સંક્રમણને હરાવીને સ્વસ્થ થયાં છે. જ્યારે હવે રાજ્યમાં રિકવરી રેટ પણ 96.74% થયો છે.

રાજ્યમાં નોંધાયેલા કેસ


રાજ્યમાં નોંધાયા 380 કેસ
રાજ્યમાં નવા કેસમાંથી અમદાવાદમાં 89, સુરતમાં 81, વડોદરામાં 85 તેમજ રાજકોટમાં 48 દર્દીઓનો સમાવેશ થાય છે. જ્યારે રાજ્યમાં કુલ 4086 એક્ટિવ કેસમાંથી 45 દર્દીઓને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે. જ્યારે 4041 સ્ટેબલ છે.

24 કલાકમાં વધુ 2 દર્દીઓના મૃત્યુ
રાજ્યમાં 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં 1 અને સુરત કોર્પોરેશનમાં 1 એમ કુલ 2 મોત સાથે રાજ્યમાં કુલ મૃત્યુઆંક પણ 4381એ પહોંચ્યો છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો