એપશહેર

ગુજરાતઃ 24 કલાકમાં કોરોનાના 490 કેસ નોંધાયા, રિકવરી રેટ 96% પાર

રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 4,69,999 વ્યક્તિઓને ક્વોરન્ટીન કરવામાં આવ્યાં છે

I am Gujarat 20 Jan 2021, 7:36 pm
અમદાવાદઃ ભારતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1,97,201 છે. ભારતમાં 7 ઓગસ્ટના રોજ સંક્રમિત લોકોની સંખ્યા 20 લાખ, 23 ઓગસ્ટના રોજ 30 લાખ અને 5 સપ્ટેમ્બરના રોજ 40 લાખ પાર થઈ હતી. કોરોના વેક્સિનેશનની શરુઆત થઈ ચૂકી છે તેમજ ભારત પાડોશી દેશોને પણ વેક્સિન પહોંચાડશે. આ દરમિયાન કોરોનાનો કહેર મહારાષ્ટ્ર અને દિલ્હીમાં વધુ છે તો ગુજરાતમાં પણ 24 કલાકમાં 490 કેસો નોંધાયા છે અને રિકવરી રેટ 96.07% થયો છે.
I am Gujarat total 5748 active corona case in gujarat till 20th january
ગુજરાતઃ 24 કલાકમાં કોરોનાના 490 કેસ નોંધાયા, રિકવરી રેટ 96% પાર

રાજ્યમાં કુલ એક્ટિવ કેસ અને મૃત્યુઆંક


24 કલાકમાં વધુ 707 દર્દીઓ થયા સ્વસ્થ
રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 4,69,999 વ્યક્તિઓને ક્વોરન્ટીન કરવામાં આવ્યાં છે. જે પૈકી 4,69,893 વ્યક્તિઓ હોમ ક્વોરન્ટીનમાં છે અને 106 વ્યક્તિઓને ફેસિલિટી ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યાં છે. 24 કલાકમાં વધુ 707 દર્દીઓ રજા આપવામાં આવી છે. જેથી રાજ્યમાં કુલ 247223 વ્યક્તિઓ સંક્રમણને હરાવીને સ્વસ્થ થયાં છે.

રાજ્યમાં 24 કલાકમાં કુલ કેસ


24 કલાકમાં વધુ 2 દર્દીઓના મૃત્યુ
રાજ્યમાં નવા કેસમાંથી અમદાવાદમાં 105, સુરતમાં 97, વડોદરામાં 94 તેમજ રાજકોટમાં 65 દર્દીઓનો સમાવેશ થાય છે. જ્યારે રાજ્યમાં કુલ 5748 એક્ટિવ કેસમાંથી 51 દર્દીઓને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે. જ્યારે 5697 સ્ટેબલ છે. રાજ્યમાં 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં 2 મોત સાથે જ રાજ્યમાં કુલ મૃત્યુઆંક પણ 4371 થયો છે.

Read Next Story