અમદાવાદઃ દેશમાં કોરોનાનો ભરડો વધતો જ જઈ રહ્યો છે. લોકડાઉન 3.0 લાગુ કરવામાં આવ્યું હોવા છતાં દેશમાં છેલ્લા 24 કલાકમાં 2553 નવા કેસ આવ્યા છે તો રિકવરી રેટ પણ વધીને 27.5 થયો છે. ગુજરાતમાં પણ કોરોનાના કેસ દિવસેને દિવસે વધતા જ જાય છે. રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યુ હતું કે,’24 કલાકમાં કુલ 376 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેથી હવે રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 5804 થઈ છે.’હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરોરાજ્યમાં કુલ 1195 લોકો થયા સ્વસ્થરાજ્યમાં 5804 પોઝિટિવ કેસમાંથી 4265 કેસ સ્ટેબલ છે જ્યારે 25 દર્દીઓને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે. છેલ્લા 24 કલાકમાં 29 દર્દીઓ મોતને ભેટ્યા છે. જેમાં 16 લોકોનું મોત કોવિડ 19ના કારણે થયું છે. જ્યારે 13 અન્ય લોકો એવા હતાં જેમને ગંભીર બીમારીઓ લાગુ પડી હતી. જ્યારે 24 કલાકમાં 153 લોકો કોરોનાને હરાવીને ઘરે પરત ફર્યા છે. જેથી હવે રાજ્યભરમાં કુલ 1195 લોકોએ કોરોના સામે જીત મેળવી છે. 24 કલાકમાં સામે આવ્યા 376 કેસછેલ્લા 24 કલાકમાં જે કેસ સામે આવ્યા છે તેમાંથી અમદાવાદમાં 256, આણંદમાં 1, ભાવનગરમાં 21, બનાસકાંઠા તથા બોટાદમાં 3, દાહોદમાં 6, ગાંધીનગર અને પંચમહાલમાં 7-7, રાજકોટ અને મહિસાગરમાં 3-3, સુરતમાં 20 અને વડોદરામાં 35 કેસ તેમજ સાબરકાંઠાના 2 કેસનો સમાવેશ થાય છે. જેથી હવે રાજ્યમાં નવા 376 કેસ સાથે જ કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 5804એ પહોંચી છે. જેમાંથી 25 દર્દીઓને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે અને 4265ની હાલત સ્થિર છે. સોલીડારિટી ટ્રાયલના પ્રયોગો હાથ ધરવાની મંજૂરીઅગ્રસચિવ જયંતિ રવિએ એ પણ જણાવ્યું હતું કે, ‘ગુજરાતમાં સોલીડારિટી ટ્રાયલના પ્રયોગો હાથ ધરવા મુખ્યમંત્રીએ વિજયભાઇ રૂપાણીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહને રજુઆત કરી હતી. મુખ્યમંત્રીની રજુઆતનો પ્રતિસાદ આપતાં ભારત સરકારે ગુજરાતમાં આ સોલીડારિટી ટ્રાયલ કરવાની સ્વીકૃતિ આપી છે. આ હેતુસર રાજ્યની બી.જે.મેડિકલ કોલેજને ભારત સરકારે અનુમતિ આપી દીધી છે અને ત્યાં કોવિડ-19 પેશન્ટસના રજીસ્ટ્રેશન ટ્રાયલ ટેસ્ટ માટે શરૂ થઇ ગયા છે’4 દવાઓના થશે પરિક્ષણઆ ઉપરાંત તેમણે ઉમેર્યુ હતું કે, ‘ ભારત સરકાર તરફથી અનુમતિ મળતાં જ હોસ્પિટલોમાં પણ કોવિડ-19 પેશન્ટસ રજીસ્ટ્રેશન કરીને 4 જેટલી દવાઓના ટ્રાયલ ફોર ટ્રીટમેન્ટ-સોલીડારિટી ટ્રાયલ શરૂ કરી દેવાશે. જે 4 દવાઓના આવા પરિક્ષણો થવાના છે તેમાં Remdesivir, Lopinavir, Interferon (beta 1 a) અને hydroxychloroquine અથવા Chloroquine નો સમાવેશ થાય છે. આ પ્રયોગોના પરિણામે સંક્રમિતોના ત્વરિત સાજા થવાની સંભાવનાઓ પણ વધી જશે.’ લોકડાઉન 3.0ના પહેલા દિવસે દિલ્હી, મુંબઈમાં દારુની દુકાનો બહાર લાંબી લાંબી લાઈનો