એપશહેર

ગાંધીનગરમાં દિલ્હીવાળી: વીજ ધાંધિયા સામે ખેડૂતોની ટ્રેક્ટર રેલી, સરકારને 72 કલાકનું અલ્ટિમેટમ

Farmers Tractor Rally In Gandhinagar: ભારતીય કિસાન સંઘે સરકારને અલ્ટિમેટમ આપ્યું છે કે, ગુજરાતમાં કોઈપણ ક્ષેત્રમાં વીજકાપ થતો નથી તો માત્રને માત્ર ખેતીમાં વીજકાપ કેમ? જો હવે અમારી રજૂઆતોને નજરઅંદાજ કરવામાં આવશે તો આગામી સમયમાં UGVCLની તમામ કચેરીઓ એકસાથે તાળાબંધીનો સજ્જડ કાર્યક્રમમાં કરવામાં આવશે. ખેડૂતોની રેલીને લઈને આખું ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાયું છે.

Edited byદીપક ભાટી | I am Gujarat 25 Mar 2022, 4:07 pm
ગાંધીનગર: સમયસર 8 કલાકની વીજળી સહિત અન્ય માંગોને લઈને ખેડૂતોની ટ્રેક્ટર રેલી શુક્રવારે ગાંધીનગર પેથાપુર UGVCLની કચેરી ખાતે પહોંચી હતી. પોલીસે રેલી અટકાવતા ખેડૂતોએ ચક્કજામ કરીને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. ખેડૂતોની રેલીને લઈને આખું ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાયું છે અને કેટલાક ખેડૂતોની અટકાયત પણ કરી હોવાનું જાણવા મળ્યું છે. પોતાની માંગોને લઈને ખેડૂતોએ સરકારને અલ્ટિમેટમ પણ આપ્યું છે કે, 72 કલાકમાં સમસ્યાનું નિરાકરણ ના આવ્યું તો ખેડૂતોનું આંદોલન વધુ ઉગ્ર બનશે.
I am Gujarat Farmer Tractor Rally Gandhinagar
વીજળી ધાંધીયા સામે આક્રોશ: ટ્રેક્ટર રેલી યોજી આવેદન પત્ર આપવા પહોંચ્યા ખેડૂત


ખેડૂતોની માંગ
  • ગાંધીનગર જિલ્લામાં છેલ્લા 3 મહિનાથી વીજ ધાંધિયાથી ખેડૂત પરેશાન થઈ રહ્યા છે
  • નિરંતર જુના ટાઈમ ટેબલ પ્રમાણે 8 કલાક વીજળી આપવામા આવે.
  • સતત બધા ફીડરમાં એકસાથે રાતે વીજળી આપવાથી બોરમાંથી પાણી પૂરતું મળતું નથી
  • ખેતીમાં પુરા વોલ્ટેજ સાથે 8 કલાક વીજળી મળવી જોઈએ.
  • ખેતી વિષયક વીજ મીટર હટાવી સમાન વીજદર કરવો.
  • 6 કલાક વીજળી ખેડૂતોને કોઈપણ સંજોગોમાં માન્ય નથી.

ખેડૂતોનું સરકારને અલ્ટિમેટમ
ભારતીય કિસાન સંઘે સરકારને અલ્ટિમેટમ આપ્યું છે કે, ગુજરાતમાં કોઈપણ ક્ષેત્રમાં વીજકાપ થતો નથી તો માત્રને માત્ર ખેતીમાં વીજકાપ કેમ? જ્યારે ઉનાળું પાક વાવેતર અશત: એટલે કે, 20 ટકા જમીનમાં અંદાજે વાવેતર થાય તો વીજ વપરાશ પ્રમાણમાં ઘણો ઓછો છે. જો હવે અમારી રજૂઆતોને નજરઅંદાજ કરવામાં આવશે તો આગામી સમયમાં UGVCLની તમામ કચેરીઓ એકસાથે તાળાબંધીનો સજ્જડ કાર્યક્રમમાં કરવામાં આવશે.

ટ્રેક્ટર રેલી ગાંધીનગર પહોંચે એ પહેલા અટકાવી
પૂરતી વીજળી ન મળતા ખેડૂતોએ શુક્રવારે પેથાપુર UGVCLની કચેરી ખાતે ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. કિસાન સંઘના આગેવાન ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે, ખેડૂતોને 8 કલાકની જગ્યાએ માત્ર 6 કલાક જ વીજળી મળે છે. જેથી ખેડૂતોએ ગાંધીનગરમાં ટ્રેકટર રેલી યોજી આવેદન પત્ર આપવા આવ્યા છીએ પરંતુ તે પહેલા જ પોલીસ દ્વારા અટકાવી દેવામાં આવ્યા છે.

છોટાઉદેપુરમાં વીજ કંપનીના કર્મચારી-ખેડૂતો વચ્ચે ઘર્ષણતો બીજી તરફ છોટા ઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના ખરમડા ગામે વીજ કંપનીના કર્મચારીઓ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણના અહેવાલ મળ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર વીજ કર્મચારી સાથે આવેલા સુરક્ષાકર્મીઓએ માર માર્યાનો ખેડૂતોએ આરોપ લગાવ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે, તેઓ પૂરતી વીજળી મળે તે માટે રજૂઆત કરવા ગયા હતા અને આ દરમિયાન ઘર્ષણમાં તેમને માર મારવામાં આવ્યો. જેથી ગ્રામજનોએ વીજ કંપની સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો.
લેખક વિશે
દીપક ભાટી
દીપક ભાટી છેલ્લા 7 વર્ષથી પત્રકારના ક્ષેત્રમાં છે. તેઓ ગુજરાત હાયપર-લોકલ, ક્રાઈમ અને પોલિટિકલ ન્યૂઝ-સ્ટોરી લખવા ઉપરાંત એડિટિંગનો અનુભવ ધરાવે છે. તેમણે પોતાનું ગ્રેજ્યુએશન BA (Psychology)કર્યું છે. ત્યારબાદ ડિપ્લોમાં ઈન જર્નાલિઝ્મ કરીને મીડિયા ફિલ્ડમાં જોડાયા. તેઓ સંદેશ (ન્યૂઝ ચેનલ), દિવ્ય ભાસ્કર (Digital)માં કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story