એપશહેર

ઉના પીડિતોએ રાષ્ટ્રપતિને લખ્યો પત્ર, જે દેશમાં ભેદભાવ ન હોય ત્યાં અમને ડીપોર્ટ કરો

Mitesh Purohit | I am Gujarat 13 Jan 2020, 8:35 am
આશિષ ચૌહાણ, અમદાવાદઃ સિટિઝનશિપ અમેન્ડમેન્ટ એક્ટ(CAA)ના વિવાદ વચ્ચે ઉના કાંડના પીડિતોએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર લખીને માગણી કરી છે કે જે દેશમાં ભેદભાવ ન કરવામાં આવતો હોય ત્યાં તેમને ડીપોર્ટ કરી દેવામાં આવે. તેમણે પોતાની ફરિયાદમાં કહ્યું છે કે તેમની સાથે ક્યારેય ભારતના નાગરિક હોય તેવો વ્યવહાર કરવામાં આવ્યો નથી. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: જુલાઈ 2016માં કથિત ગૌ રક્ષકો દ્વારા માર મારવામાં આવેલ અને અર્ધ નગ્ન અવસ્થામાં પરેડ કાઢવામાં આવેલા ચાર પૈકી દલિત ભાઈઓ પૈકી વશરામ સરવૈયાએ આ પ્રકારની માગણી કરી હતી. દલિત સમાજમાંથી આવતા સરવૈયા ભાઈઓએ સાથે આ ઘટના ત્યારે બની જ્યારે તેમણે મૃત ગાયનું ચામડું રોજીરોટી માટે ઉતાર્યું હતું. 7 જાન્યુઆરીના રોજ ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટરની ઉના પ્રાંત ઓફિસને તેમનીઆ અરજી મળી હતી. પીડિતોએ ફરિયાદ કરી કે તેમને માર મારનારા સામે કોઈ જાતના પગલા લેવામાં આવ્યા નથી. તેમણે કહ્યું આ ઘટના બાદ તેમને વાયદો કરવામાં આવ્યો હતો કે ખેતી માટે જમીન, ઘર માટે પ્લોટ અને નોકરી આપવામાં આવશે. કેમ કે આ ઘટના બાદ તેઓ ચર્મ ઉદ્યોગ સાથે જોડાયેલ કામ કરી શકે તેમ નથી. જોકે આ વાયદાઓ ફક્ત કાગળ પર જ રહ્યા અને તેમને હક્કો મળ્યો નથી. મહત્વનું છે કે ઉના કાંડની અસર સમગ્ર દેશમાં જોવા મળી હતી. ગુજરાતથી લઈને દિલ્હી સુધી અનેક રાજનેતાઓથી લઈને વિવિધ સંગઠનોએ આ ઘટનાનો વિરોધ કર્યો હતો. કેટલાય રાજનેતાઓ આ પીડિતોને મળવા તેમના ઘરે આવ્યા હતા અને ન્યાય ચોક્કસ અપાવશે તેવું આશ્વાસન આપ્યું હતું. જોકે હવે વશરામ આરોપ મુકતા કહે છે કે “સરકારી અધિકારીઓ અમારી સાથે એવી રીતે વર્તે છે કે જાણે અમે આ દેશના નાગરિક જ નથી. જો અમને સરકાર નાગરિક તરીકેના મૂળભૂત હક્કો આપવામાં સક્ષમ ન હોય તો અમારી નાગરિક્તા રદ કરીને એવા દેશમાં ડીપોર્ટ કરવામાં આવે જ્યાં ભેદભાવ ન હોય.’

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો