એપશહેર

અનલોક 3: રાજ્ય સરકારે કોઈ સ્પષ્ટતા ન કરતાં શાળા અને કોલેજના શિક્ષકો મૂંઝવણમાં

અનલોક-3 ગઈકાલથી લાગુ થઈ ગયું છે. જો કે, રાજ્ય સરકારે કોઈ સ્પષ્ટતા ન કરતાં શાળા અને કોલેજનો સ્ટાફ મૂંઝવણમાં મૂકાયો છે. શિક્ષણ વિભાગે અગાઉ જાહેર કરેલી ગાઈડલાઈનમાં 31 જુલાઈ સુધી 'વર્ક ફ્રોમ હોમ' માટે કહ્યું હતું. પરંતુ આ વખતે કંઈ કહ્યું ન હોવાથી 31 ઓગસ્ટ સુધી 'વર્ક ફ્રોમ હોમ'ની માગણી પ્રોફેસરો અને શિક્ષકો કરી રહ્યા છે.

TNN 2 Aug 2020, 9:28 am
ગુજરાત સરકાર દ્વારા 'અનલોક 3' માટે હજુ અલગથી ગાઈડલાઈન બહાર પાડવાની બાકી છે, જેના કારણે સ્કૂલો અને કોલેજના પ્રિન્સિપાલ, શિક્ષકો અને અન્ય સ્ટાફ મૂંઝવણમાં મૂકાયા છે. જેઓ મંગળવારથી રાજ્યના કોઈ પણ આદેશ વગર મંગળવારથી કામમાં જોડાવાના છે.
I am Gujarat school


રાજ્ય શિક્ષણ વિભાગની છેલ્લી ગાઈડલાઈન પ્રમાણે, સ્કૂલો અને કોલેજના શિક્ષકોએ 31 જુલાઈ સુધી 'ઘરેથી કામ' કરવું જરુરી હતું.

કેન્દ્ર સરકારે અનલોક-3ને લઈને નવી ગાઈડલાઈન બહાર પાડી છે, જે મુજબ 'ઘરેથી કામ' કરવાની ડેડલાઈન આગળ વધારીને 31 ઓગસ્ટ કરવામાં આવી છે.

રાજ્ય સરકારથી નવા આદેશો ન મળ્યા હોવાથી, ગુજરાત યુનિવર્સિટી એજ્યુકેશનલ અસોસિએશને કેન્દ્રના નિર્દેશોની સાથે રાજ્યમાં પણ 'ઘરેથી કામ' કરવાની તારીખ 31 ઓગસ્ટ સુધી વધારવાની માગ કરી હતી.

અલગ-અલગ કોલેજોના પ્રિન્સિપાલના અસોસિએશને રાજ્યના શિક્ષણ મંત્રીને પત્ર લખીને કોલેજો ફરીથી ખોલવા અંગેની સ્થિતિ સ્પષ્ટ કરવા કહ્યું હતું.

પત્રમાં કહેવામાં આવ્યું હતું કે, પ્રોફેસરો હાલ ઓનલાઈન ભણાવી રહ્યા છે, જે કામ સરળતાથી થઈ રહ્યું છે અને નુકસાન પણ થઈ રહ્યું નથી. ગુજરાત યુનિવર્સિટીના કેટલાક અધિકારીઓ પણ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે તેથી સરકારે તાત્કાલિક સ્કૂલો અને કોલેજો ઓગસ્ટ મહિનાના અંત સુધી બંધ રહે તેવા આદેશો બહાર પાડવા જોઈએ, તેવું સૂત્રોએ જણાવ્યું હતું.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો