એપશહેર

અમદાવાદ: મેમનગરમાં AMC દ્વારા ઉતારાઈ રહેલી જર્જરિત પાણીની ટાંકી ઘર પર પડી

નવરંગ સેન | I am Gujarat 27 Dec 2019, 2:56 pm
અમદાવાદ: શહેરના મેમનગર વિસ્તારમાં પાણીની જર્જરિત ટાંકી એક ઘરની પાછળના ભાગે ધડાકાભેર ધરાશાયી થઈ છે. AMC દ્વારા ટાંકીને ઉતારવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે જ તે તૂટી પડતાં જે ઘર પાસે તે પડી હતી ત્યાં નુક્સાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. સદ્દનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. જોકે, જે ઘર પર ટાંકી પડી છે તેને નુક્સાન ચોક્કસ થયું છે.સ્ટર્લિંગ હોસ્પિટલની નજીક આવેલા સનસેટ રો હાઉસમાં આવેલી કોર્પોરેશનની પાણીની ઓવરહેડ ટાંકીને ઉતારી લેવાની કામગીરી AMC દ્વારા કરવામાં આવી રહી હતી. આજે સવારે ટીમ કામ કરી રહી હતી ત્યારે આ ટાંકી નિર્ધારિત પ્લાન અનુસાર તૂટવાને બદલે બીજી દિશામાં પડતાં તે સોસાયટીના એક ઘરના પાછળના હિસ્સા તરફ પડી હતી. જેના કારણે ઘરનો વરંડાનો ભાગ ડેમેજ થયો હતો.
ટાંકી પડતાં ઘરના પાછળના ભાગે થયું નુક્સાનઅમદાવાદમાં હજુ ગયા મહિને જ ગોતા વિસ્તારમાં આ રીતે જ પાણીની ટાંકી તેને તોડવાની કામગીરી વખતે જ એક ઘર પર તૂટી પડી હતી. શહેરમાં ઓગસ્ટ 2019માં બોપલ વિસ્તારમાં પાણીની ટાંકી તૂટી પડતાં ત્રણ લોકોના મોત થયા હતા. આ ઘટના બાદ તંત્ર દ્વારા તમામ જોખમી ટાંકીઓનો સર્વે કરી તેને ઉતારી લેવાની કામગીરી શરુ કરવામાં આવી હતી.
લેખક વિશે
નવરંગ સેન
નવરંગ સેન 2013થી ટાઈમ્સ ગ્રુપ સાથે સંકળાયેલા છે. ડિજિટલ જર્નાલિઝમમાં 14 વર્ષનો અનુભવ ધરાવતા નવરંગ સેને અગાઉ દિવ્ય ભાસ્કર તેમજ GSTVમાં કામ કર્યું છે. અર્થકારણ, રાજકારણ તેમજ ટેક્નોલોજી અને ઓટોમોબાઈલ તેમના રસના વિષય છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો