એપશહેર

આ વખતે ઉનાળામાં પણ સ્કૂલે જવું પડશે? કોરોનાને કારણે વેકેશન ટૂંકાય તેવી પૂરી શક્યતા

કોરોનાથી કંટાળીને જો ઉનાળુ વેકેશનમાં ક્યાંક બહારગામ જવાનો પ્લાન બનાવ્યો હોય તો રાજ્યના શિક્ષણમંત્રીની વાત યાદ રાખજો

Reported byBharat Yagnik | TNN 26 Jan 2021, 12:19 pm
અમદાવાદઃ કોરોનાના વાયરસના કેસમાં હવે ઘટાડો આવી રહ્યો છે અને બીજી તરફ કોરોનાને હરાવવા માટે રસીકરણ પણ ચાલી રહ્યું છે, આવામાં દેશમાંથી નજીકના સમયમાં કોરોનાથી છૂટકારો મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. કોરોનાના કારણે 2020-21 દરમિયાન બાકી બાબતોની જેમ શૈક્ષણિક મુદ્દે પણ અસર થઈ છે. એટલે કે હવે નવા વર્ષની શરુઆત વેકેશન વગર જ કરવામાં આવી શકે છે. એટલે કે ઉનાળું વેકેશન લગભગ આ વર્ષે નહીવત જેવું હોઈ શકે છે. આ દરમિયાન સ્કૂલ ઓનલાઈન કે ઓફલાઈન શરુ કરવી તે અંગે વિચાર કરવામાં આવશે.
I am Gujarat we have decided not to declare 35 days long summer vacation bhupendrasinh chudasama
આ વખતે ઉનાળામાં પણ સ્કૂલે જવું પડશે? કોરોનાને કારણે વેકેશન ટૂંકાય તેવી પૂરી શક્યતા


રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસ્માએ અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું છે કે, આ વખતે શૈક્ષણિક વર્ષ 2020-21 દરમિયાન ઉનાળાનું વેકેશન 35 દિવસ લાબું નહીં હોય. તેમણે જણાવ્યું કે, "અમે નક્કી કર્યું છે કે વર્ષના અંતમાં આવનારું ઉનાળું વેકેશન 35 દિવસ લાંબુ નહીં હોય. ઉનાળું વેકેશન લગભગ એક અઠવાડિયાનું રાખવામાં આવી શકે છે."

ભુપેન્દ્રસિંહે જણાવ્યું કે, આ અંગેનો અંતિમ નિર્ણય ચર્ચા વિચારણાઓ બાદ લેવામાં આવશે, વેકેશન ઘટાડવા પાછળનું કારણ વર્ષ 2021-22ની શરુઆત સરળ રીતે થઈ શકે તેવું છે.

કોરોના વાયરસની મહામારીના કારણે 10 મહિના જેટલા લાંબા સમય સુધી બાળકોએ સ્કૂલથી દૂર રહેવું પડ્યું છે. ધોરણ-10 અને 12ના બોર્ડના વિદ્યાર્થીઓની પરીક્ષાનું આયોજન દર વર્ષે માર્ચમાં કરવામાં આવતું હોય છે, પરંતુ આ વર્ષે મહામારીના કારણે તે મેમાં યોજવામાં આવી શકે છે.

શિક્ષણમંત્રીએ કહ્યું, બોર્ડની પરીક્ષા પછી ધોરણ-1થી 9ના વિદ્યાર્થીઓની પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. જે પ્રમાણેની વેકેશન અને પરીક્ષા અંગેની વિચારણા કરવામાં આવી રહી છે તેનું સ્કૂલ મંડળો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું છે.

ગુજરાતના સેલ્ફ-ફાઈનાન્સ સ્કૂલ મંડના વાઈસ પ્રેસિડન્ટ જતિન બારેડે આ વિશે વાત કરીને જણાવ્યું છે કે, "અમે રાજ્ય સરકારને રજૂઆત કરી છે ઉનાળુ વેકેશન ઘટાડીને નાનું કરવામાં આવે." જ્યારે ધોરણ 9માં ભણતા વિદ્યાર્થીના વાલી મિલન પટેલ કહે છે કે, તેમણે વેકેશન દરમિયાન બહારગામ ફરવા જવાનો પ્લાન બનાવ્યો છે, જોકે, મહામારી પછી અમે શૈક્ષણિક આયોજન જે થાય તેને મહત્વ આપીશું.
લેખક વિશે
Bharat Yagnik
Bharat Yagnik is special correspondent at The Times of India, Ahmedabad, and reports on education-related issues, including primary school and higher and technical education. His interest areas include travelling and has recently been to Mansarovar.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો