અમદાવાદઃ ટૂંક સમયમાં જ હવે ટ્રેન મારફતે મુંબઈની સફર કરવાનો સમય ઓછો થઈ જશે કારણકે વેસ્ટર્ન રેલવે ટ્રેનની સ્પીડ 110 kmphથી હવે 130 kmph કરવાનું પ્લાનિંગ કરી રહી છે. જેમ સ્પીડ વધશે એ સાથે જ શતાબ્દી એક્સપ્રેસનો સમય પણ ઘટી જશે. વડોદરાથી મુંબઈની સફર આશરે 45 મિનિટ જેટલી વહેલી પૂરી થશે.
અમદાવાદ-વડોદરા વચ્ચે પણ સેમી હાઈસ્પીડ કોરિડોર
ડિવિઝનલ રેલવે મેનેજર દીપક કુમાર ઝાએ કહ્યું કે, અમદાવાદથી વડોદરા વચ્ચેનો સેમી હાઈ સ્પીડ કોરિડોર મંજૂર થઈ ગયો છે અને તેના પર પણ જલદી જ કામ શરુ કરવામાં આવશે. આ ટ્રેક પણ મુંબઈ અને દિલ્હી વચ્ચે સેમી હાઈ સ્પીડ કોરિડોરનો જ પાર્ટ હશે. અમદાવાદ અને વડોદરા વચ્ચેનો ટ્રેક અપગ્રેડ થવાથી મુસાફરીનો સમય પણ ઓછો થઈ જશે. તેમણે એ પણ ઉમેર્યું કે, અમદાવાદ અને વટવા વચ્ચે ત્રીજો ટ્રેક પણ પાથરવાનું કામ લગભગ પૂરું જ થવામાં છે. જોકે, વચ્ચે એક મઝાર છે. જેનો કેસ હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. જ્યાં સુધી કોર્ટનો ફાઈનલ ઓર્ડર ન આવે ત્યાં સુધી કામ પૂરું નહીં થાય.
ત્રીજા ટ્રેકથી મણિનગરને થશે ફાયદો
અધિકારીક સૂત્રોએ એ પણ કહ્યું કે, ત્રીજો ટ્રેક અનેક રેલને મણિનગર સ્ટોપ આપવા માટે મદદરુપ થશે. રોજબરોજની મુસાફરી કરતા યાત્રીઓ માટે આ માંગણી લાંબા સમયથી પેન્ડિંગ હતી. જો આવું થશે તો સ્ટેશન પર ભીડ પણ ઓછી થશે કારણકે અનેક ટ્રેનને એક પ્લેટફોર્મ માટે યાર્ડમાં રાહ જોવી પડે છે. ત્રીજા ટ્રેકની સાથે જ ટ્રેનને કોઈપણ પ્લેટફોર્મ પર ડાઈવર્ટ કરી શકાશે તેમજ વેઈટિંગ સમયની પણ બચત થશે.
આવતા વર્ષથી ચાલુ થશે અમદાવાદ-મહેસાણા બ્રોડગેજ ટ્રેક
દીપક ઝાએ એ પણ ઉમેર્યું કે, અમદાવાદ અને મહેસાણા વચ્ચે બીજો બ્રોડગેજ ટ્રેક આવતા વર્ષથી ચાલુ થઈ જશે. જે પછી મહેસાણા અને પાલનપુર વચ્ચેના ટ્રેકનું જ કામ બાકી રહેશે. જોકે, ડિઝાઈન તો તૈયાર જ છે પરંતુ એકવાર ફાઈનલ એસ્ટિમેટ નક્કી થઈ જાય પછી રેલવે કામ કરવાનું શરુ કરશે. આ એક જ પાર્ટ બાકી રહેશે જે અમદાવાદ અને દિલ્હી વચ્ચે ડબલ ટ્રેકની પ્રતિક્ષા કરી રહ્યું છે. અમદાવાદ ડિવિઝને અત્યાર સુધીમાં રદ કરવામાં આવેલી ટ્રેન તેમજ લોકડાઉન અને પોસ્ટ લોકડાઉન વચ્ચેના સમયગાળા દરમિયાન બુક કરાવવામાં આવેલી ટિકિટોના 72 કરોડ રુપિયા પરત કર્યાં છે.
અમદાવાદ-વડોદરા વચ્ચે પણ સેમી હાઈસ્પીડ કોરિડોર
ડિવિઝનલ રેલવે મેનેજર દીપક કુમાર ઝાએ કહ્યું કે, અમદાવાદથી વડોદરા વચ્ચેનો સેમી હાઈ સ્પીડ કોરિડોર મંજૂર થઈ ગયો છે અને તેના પર પણ જલદી જ કામ શરુ કરવામાં આવશે. આ ટ્રેક પણ મુંબઈ અને દિલ્હી વચ્ચે સેમી હાઈ સ્પીડ કોરિડોરનો જ પાર્ટ હશે. અમદાવાદ અને વડોદરા વચ્ચેનો ટ્રેક અપગ્રેડ થવાથી મુસાફરીનો સમય પણ ઓછો થઈ જશે. તેમણે એ પણ ઉમેર્યું કે, અમદાવાદ અને વટવા વચ્ચે ત્રીજો ટ્રેક પણ પાથરવાનું કામ લગભગ પૂરું જ થવામાં છે. જોકે, વચ્ચે એક મઝાર છે. જેનો કેસ હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. જ્યાં સુધી કોર્ટનો ફાઈનલ ઓર્ડર ન આવે ત્યાં સુધી કામ પૂરું નહીં થાય.
ત્રીજા ટ્રેકથી મણિનગરને થશે ફાયદો
અધિકારીક સૂત્રોએ એ પણ કહ્યું કે, ત્રીજો ટ્રેક અનેક રેલને મણિનગર સ્ટોપ આપવા માટે મદદરુપ થશે. રોજબરોજની મુસાફરી કરતા યાત્રીઓ માટે આ માંગણી લાંબા સમયથી પેન્ડિંગ હતી. જો આવું થશે તો સ્ટેશન પર ભીડ પણ ઓછી થશે કારણકે અનેક ટ્રેનને એક પ્લેટફોર્મ માટે યાર્ડમાં રાહ જોવી પડે છે. ત્રીજા ટ્રેકની સાથે જ ટ્રેનને કોઈપણ પ્લેટફોર્મ પર ડાઈવર્ટ કરી શકાશે તેમજ વેઈટિંગ સમયની પણ બચત થશે.
આવતા વર્ષથી ચાલુ થશે અમદાવાદ-મહેસાણા બ્રોડગેજ ટ્રેક
દીપક ઝાએ એ પણ ઉમેર્યું કે, અમદાવાદ અને મહેસાણા વચ્ચે બીજો બ્રોડગેજ ટ્રેક આવતા વર્ષથી ચાલુ થઈ જશે. જે પછી મહેસાણા અને પાલનપુર વચ્ચેના ટ્રેકનું જ કામ બાકી રહેશે. જોકે, ડિઝાઈન તો તૈયાર જ છે પરંતુ એકવાર ફાઈનલ એસ્ટિમેટ નક્કી થઈ જાય પછી રેલવે કામ કરવાનું શરુ કરશે. આ એક જ પાર્ટ બાકી રહેશે જે અમદાવાદ અને દિલ્હી વચ્ચે ડબલ ટ્રેકની પ્રતિક્ષા કરી રહ્યું છે. અમદાવાદ ડિવિઝને અત્યાર સુધીમાં રદ કરવામાં આવેલી ટ્રેન તેમજ લોકડાઉન અને પોસ્ટ લોકડાઉન વચ્ચેના સમયગાળા દરમિયાન બુક કરાવવામાં આવેલી ટિકિટોના 72 કરોડ રુપિયા પરત કર્યાં છે.