એપશહેર

ઝઘડો થતા પત્ની અને સાસરિયાએ મળીને પતિની હત્યા કરી, ઘરે બોલાવી રચ્યું ષડયંત્ર

પતિ અને પત્ની વચ્ચે અવાર નવાર ઝઘડાએ થતા રહેતા હતા. જેના પરિણામે પત્ની રિસાઈને પિયર જતી રહી હતી. તેવામાં હવે અહીં પહોંચતા જ 2 મહિના સુધીના સમયગાળા દરમિયાન તે ત્યાં જ રહી હતી. હવે જોવાજઈએ તો ઝઘડાને કારણે પત્ની અને સાસરિપક્ષે મળીને આ ષડયંત્ર રચ્યું હોવાનું સામે આવ્યું હતું. ત્યારપછી તેમણે મળીને આની હત્યા કરી દીધી હતી.

Edited byપાર્થ વ્યાસ | I am Gujarat 13 Aug 2023, 9:42 am
અમદાવાદઃ 30 વર્ષીય એક વ્યક્તિની કથિત રીતે તેની પત્ની અને સાસરિયાઓએ બળજબરીથી એસિડ પીવડાવીને હત્યા કરી હતી. ભોગ બનનાર પ્રહલાદ વાઘેલા તેની પત્ની શિલ્પા વાઘેલાના માતાનાં ઘરે ગયો હતો, જ્યારે તેની હત્યા કરવામાં આવી હતી. પીડિતાના ભાઈ જીજ્ઞેશ વાઘેલા દ્વારા માધવપુરા પોલીસ સ્ટેશનમાં શિલ્પા, સકુ પરમાર (તેની માતા), દીપક પરમાર (તેના ભાઈ) અને મનોજ વાઘેલા નામના સંબંધી વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
I am Gujarat file pic
ફાઈલ ફોટો


પતિ પત્ની વચ્ચે થયો ઝઘડો
જિજ્ઞેશે જણાવ્યું કે શુક્રવારે સવારે તેની બહેને તેને કહ્યું કે તેના ભાઈ જેવું કોઈ વ્યક્તિ માધવપુરામાં અર્બન હેલ્થ સેન્ટર પાસે પડેલું છે. તેણે સ્થળ પર જઈને પ્રહલાદને જોયો. તેણે પોલીસને જણાવ્યું કે પ્રહલાદ વ્યથામાં હતો અને તેને કહ્યું કે ગુરુવારે રાત્રે તે શીલ્પાને તેની પાસે પાછા આવવા સમજાવવા ગયો હતો. પ્રહલાદ સાથે ઝઘડા પછી તે લગભગ એક મહિના માટે તેના માતા-પિતાના ઘરે ગઈ હતી. આ દરમિયાન મીડિયા અહેવાલો પ્રમાણે બંને વચ્ચ શાબ્દિક ટપાટપી થઈ હતી. એટલું જ નહીં તેને ઘરે નહીં પરંતુ બહાર મળવા માટે આવ એમ પણ જણાવવામાં આવ્યું હતું.

પ્રહલાદને સિવિલ હોસ્પિટલ ખસેડાયો
પ્રહલાદે જિજ્ઞેશને જણાવ્યું કે શિલ્પાએ તેને કહ્યું કે મને તે વિસ્તારના પેટ્રોલ પંપ પર મળવા. તેણે બોલાવી છે. શિલ્પા, સકુ, દીપક અને મનોજે તેની સામે પેટ્રોલ પંપ પર હુમલો કર્યો અને શુક્રવારે સવારે 3 વાગ્યાના સુમારે તેના ગળામાં જ્વલંત પદાર્થ ફેંકી દીધો હતો.

જીગ્નેશે કહ્યું કે તે પ્રહલાદને સિવિલ હોસ્પિટલ લઈ ગયો, જ્યાં શુક્રવારે રાત્રે તેનું મૃત્યુ થયું હતું. ફરિયાદીએ જણાવ્યું કે શિલ્પા અને પ્રહલાદના લગ્ન 2010માં થયા હતા. તેમને બે દીકરીઓ છે, એક 10 વર્ષની અને એક છ વર્ષની તથા આ બંને પરિવાર માધવપુરામાં એક મકાનમાં રહેતો હતો.
લેખક વિશે
પાર્થ વ્યાસ
પાર્થ વ્યાસ છેલ્લા 3 વર્ષ કરતા વધુ સમયથી પત્રકારત્વ જગતમાં કાર્યરત છે. તેમણે પોતાના કરિયરની શરૂઆત ડેસ્ક સબ એડિટરથી કરી છે. તેઓ ત્યારબાદ સ્પોર્ટ્સ રિપોર્ટર અને સ્પોર્ટ્સ ન્યૂઝ ડેસ્ક પણ સંભાળી ચૂક્યા છે. તેમણે IPL 2021,2022, ભારતની વેસ્ટઈન્ડિઝ સિરીઝ ગ્રાઉન્ડ લેવલે કવર કરી છે. ત્યારપછી પોલિટિકલ ન્યૂઝ પ્રોડ્યૂસર તરીકે પણ તેઓ ફરજ બજાવી ચૂક્યા છે. પાર્થ વ્યાસે ગુજરાત યુનિવર્સિટીથી માસ્ટર ઓફ માસ કોમ્યુનિકેશન અને જર્નલિઝમ કર્યું છે. આ દરમિયાન રેડિયો, વેબસાઈટ, NGOમાં તેમણે ઈન્ટર્નશિપ કરી છે. તેઓ દિવ્યભાસ્કર વેબસાઈટ, ઈન્ડિયા ટૂડે ગ્રુપની ગુજરાત તક વેબસાઈટમાં કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story