અમદાવાદઃ મણિનગર વિધાનસભા ક્ષેત્રમાંથી કોંગ્રેસની ટિકિટ પર આગામી વિધાનસભા ચૂંટણી લડવા ઉભી રહેલી શ્વેતા બ્રહ્મભટ્ટ માત્ર 34 વર્ષની યુવતી છે જે રાજકરણ દ્વારા લોકોની લાઇફમાં ચેન્જ લાવવા માગે છે. હાલ તો શ્વેતા બ્રહ્મભટ્ટના નામની જાહેરાત બાદ કોંગ્રેસ પાર્ટીના જ કેટલાક કાર્યકર્તાઓએ પાર્ટીના નિર્ણયનો વિરોધ કર્યો હતો. જોકે આ બધાથી દૂર શ્વેતા આગામી 14 ડિસેમ્બરે યોજાનારા બીજા તબક્કાની ચૂંટણીમાં પોતાના પ્રતિસ્પર્ધી ભાદપના સુરેશ પટેલને હરાવવા માટે પૂર્ણ તૈયારી સાથે કમરકસીને ચૂંટણી મેદાનમાં ઉતરી ગઈ છે.
લંડનની વેસ્ટમિનિસ્ટર યુનિવર્સિટીમાંથી મેળવી છે મેનેજમેન્ટની ડિગ્રી
શ્વેતા કોંગ્રેસ કાર્યકર્તા નરેન્દ્ર બ્રહ્મભટ્ટની પુત્રી છે, જેમણે વર્ષ 2000માં કોંગ્રસે તરફથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણીમાં ભાગ લીધો હતો. શ્વેતા કહે છે કે પોલિટિક્સમાં આવવા પાછળ તેના પિતા તેની પ્રેરણાસ્ત્રોત છે. તેણે આગળ જણાવ્યું કે પોતે પહેલાથીજ કોર્પોરેટ વિશ્વમાં કારકિર્દી બનાવવા માગતી હતી. આ કારણે તેણે અમદાવાદમાંથી BBAની ડિગ્રી મેળવી MBA માટે લંડનની વેસ્ટમિનિસ્ટર યુનિવર્સિટી પસંદ કરી હતી. જ્યાંથી ડિગ્રી મેળવ્યા બાદ તેણે HSBC અને Darashaw બેંકમાં ઇન્વેસ્ટમેન્ટ બેંકરની જોબ કરી હતી.
IIM બેંગલુરુ ખાતે કર્યો છે પોલિટિકલ લીડરશિપનો સ્પેશિયલ કોર્સ
શ્વેતા કહે છે કે, ‘આ સમયે મારી સામે બે વિકલ્પ હતા એક તો હું મારી કરિયરમાં આગળ વધુ અથવા મારી જે ઇચ્છા હતી તે પોલિટિકલ લીડરશિપનો કોર્સ કરવા IIM બેંગલુરુ જોઇન્ટ કરું અને મે કરિયરની સામે ધ્યેયને પસંદ કર્યું. આ કોર્સ માટે દેશભરમાંથી પસંદ થયેલી 26 મહિલાઓ પૈકી ગુજરાતમાંથી હું એક જ પસંદ થઈ હતી. આ કોર્સનું ધ્યેય ભારતીય સંસદ અને વિધાનસભાઓમાં મહિલાઓની લીડરશિપને વધારવાનું હતું. કોર્સ દરમિયાન અને બાદમાં હું કોંગ્રેસના નેતાઓને મળી હતી. મને આ માટે યુનાઇટેડ નેશનની સ્કોલરશિપ પણ મળી હતી.’
કોર્પોરેટ વર્લ્ડમાં કરિયર બનાવવાની જગ્યાએ આ માટે આવી ગઈ રાજકરણમાં
2012માં પણ શ્વેતા બ્રહ્મભટ્ટને વિધાનસભા ચૂંઠણી લડવાનો ચાન્સ મળ્યો હતો જોકે તે સમયે તે પોતાની કરિયર પર વધુ ફોકસ્ડ કરી રહી હતી. તેણે કહ્યું કે, ‘મે સાણંદ GIDCમાં મહિલા ઉદ્યોગસાહસિકો માટેનો પ્લોટ મેળવ્યો અને આઇસક્રીમનો પ્લાન્ટ સ્થાપ્યો.’ તેણે કહ્યું કે આ એવો સમય હતો કે જ્યારે મને ખબર પડી કે સ્ટેન્ડઅપ ઇન્ડિયા જેવા મહિલા આંત્રપ્રેન્યોર્સને પ્રોત્સાહિત કરવાના કાર્યક્રમ છતા એક લોન લેવા માટે પણ મારે મંત્રી સુધી જવું પડ્યું હતું. હું ધારત તો વિદેશ પણ પરત જઈ શકી હોત.પરંતુ મે અહીં રહીને જ મુશ્કેલીનો સામનો કરવાનું પસંદ કર્યું હતું.
મહિલા અને યુવાનો છે મારી તાકાત
તે સમયે આર્થિક વાતાવરણ પણ યોગ્ય નહોતું. આ સમયગાળા દરમિયાન કોંગ્રેસે મારો સંપર્ક કર્યો હતો. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે મણિનગર તો વર્ષોથી ભાજપના વર્ચસ્વવાળી બેઠક ગણાય છે ત્યારે તેઓ કઈ રીતે પોતાની જીત નિશ્ચિત ધારે છે. તેના જવાબમાં તેમણે કહ્યું કે, ‘મારો તાકાત મહિલા અને યુવા મતદારો છે.’
આ માટે જોડાઈ કોંગ્રેસમાં
બ્રહ્મબટ્ટે કહ્યું કે, ‘વિધાનસભા ક્ષેત્રમાં 75% મતદારો 40થી નીચેની વયના અને મહિલા છે. જ્યારે યુવાનો અને મહિલા સશક્તિકરણ મારા મુખ્ય મુદ્દા છે. જેના પર હું કામ કરવા માગુ છું.’ તેણે વધુમાં કહ્યું કે, ‘હું ભાજપ વિશે કોઈ નિવેદન આપવામાં માનતી નથી. મારુ લક્ષ્ય રાજકરણના નામે થતા નિમ્નકક્ષાની રાજનીતિને અટકાવવાનું છે. લોકો હંમેશા લીડર્સને ફોલો કરે છે ત્યારે આપણા પર જવાબદારી છે કે એક સારુ ઉદાહરણ બનીને દેખાડીએ. રાજકરણમાં પણ નૈતિકતા માટે જગ્યા હોવી જોઈએ.’ કોંગ્રેસમાં જોડવા અંગે તેણે કહ્યું કે, ‘પાર્ટીની લોકતાંત્રીક, સમાજવાદ અને બિનસાંપ્રદાયિકતા ધરાવતી વિચારધારાના કારણે મે કોંગ્રેસને પસંદ કરી છે.’
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.