એપશહેર

સાબરમતી આશ્રમનો શિરસ્તો પાળશે ટ્રમ્પ અને તેમનાં પત્ની? હૃદયકુંજમાં ચપ્પલ કાઢીને જશે?

શિવાની જોષી | TNN 14 Feb 2020, 10:52 am
પરંપરાગત રીતે ગુજરાતમાં કોઈના ઘરે જઈએ ત્યારે જૂતા-ચપ્પલ બહાર કાઢીને જઈએ છીએ. આ રિવાજના મૂળિયા સ્વચ્છતાના આગ્રહ સાથે જોડાયેલા છે. સ્વચ્છતાના આગ્રહી ગાંધીજીએ આ ગુણનો ફેલાવો કર્યો હતો. ઉપરાંત યજમાનના ઘરનો આદર કરવાનું પણ આ રીતમાં છુપાયેલું છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ ગુજરાત આવી રહ્યા છે ત્યારે તેઓ આ શિરસ્તો પાળે છે કે કેમ તે જોવાનું રહેશે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરોગુરુવારે યુએસ કૉન્સ્યુલટે સાબરમતી આશ્રમની મુલાકાત લીધી હતી. ટ્રમ્પ અને તેમનાં પત્ની આશ્રમની મુલાકાત લે ત્યારે કયા પ્રોટોકોલ પાળવા પડશે તેની સમીક્ષા માટે યુએસ કૉન્સ્યુલટ આવ્યા હતા. કૉન્સ્યુલટે પૂછ્યું હતું કે, શું રાષ્ટ્રપ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની મેલાનિયાને ચપ્પલ કાઢવા પડશે? ત્યારે આશ્રમ તરફથી જવાબમાં ‘હા’ કહેવામાં આવી હતી.આશ્રમની મુલાકાત લેનારી ટીમના એક અધિકારીએ કહ્યું, “કથિત રીતે જિજ્ઞાસાવશ પૂછાયેલો સવાલ આવો હતો ‘શું રાષ્ટ્રપ્રમુખ અને પ્રથમ મહિલાને ગાંધીજીના ઘરમાં પ્રવેશતા પહેલા ફરજિયાતપણે ચપ્પલ કાઢવા પડશે?'” જેના જવાબમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતાં અધિકારીઓએ કહ્યું, “વીવીઆઈપી દિગ્ગજો સહિતના મોટાભાગના મુલાકાતીઓ અહીં આવે છે ત્યારે પોતાના જૂતા ઉતારે છે.”
અગાઉ મુલાકાતે આવેલા વિદેશી મહેમાનોએ કાઢ્યા હતા ચપ્પલબી. જે. ઈન્સ્ટીટ્યૂટ ઓફ લર્નિંગ એન્ડ રિસર્ચના પૂર્વ ડાયરેક્ટર પ્રોફેસર રામજી સાવલિયાએ કહ્યું, “આશ્રમમાં આવેલા ગાંધીજીના રૂમ હૃદયકુંજમાં પ્રવેશતા પહેલા પગરખાં કાઢવા સાથે બે વિચાર જોડાયેલા છે. આ વિચાર કોઈપણ ભારતીય ઘર સાથે પણ સંકળાયેલા છે. એક તો ઘરની સ્વચ્છતા સાથે. બહારથી આવતા વ્યક્તિએ કોઈના ઘરમાં અશુદ્ધિ સાથે પ્રવેશ ના કરવો જોઈએ. બીજી મહત્વની લાગણી છે યજમાનના ઘરનો આદર કરવાની.”
જાપાનના વડાપ્રધાન અને તેમના પત્નીએ પણ કાઢ્યા હતા ચપ્પલપ્રોફેસર સાવલિયાએ આગળ કહ્યું, “ઘરમાં રહેતા લોકો માટે તેનું ઘર પવિત્રતમ સ્થળ છે. આપણે ચપ્પલ પહેરીને કોઈ મંદિરમાં પ્રવેશ કરતાં નથી. આ જ વિચારને આગળ ધપાવીએ તો કોઈપણ પરિવારના ડ્રોઈંગ રૂમ (મુખ્ય ખંડ)માં ભગવાનની મૂર્તિ અને માતા-પિતાની તસવીર હોય છે. ચપ્પલ કાઢવા એ ઘરના સભ્યોની માન્યતાને આદરભાવ આપવા સમાન છે.”પ્રોફેસર સાવલિયાએ કહ્યું કે, ગાંધીજીના જીવનકાળ દરમિયાન તેમના દ્વારા ઉપયોગમાં લેવાયેલી કુટીર પણ તેમના અનુયાયીઓ માટે પવિત્ર હતી. તેઓ તેમને મળવા જતા હતા ત્યારે ક્યારેય ચપ્પલ પહેરતા નહોતા. એટલે જ આપણે માનતા હોઈએ કે ગાંધીજી જીવાત્મા રૂપે હૃદયકુંજમાં વસે છે તો ચપ્પલ કાઢવા તેમને આદર આપવાનું પ્રતિક છે.” ટ્રમ્પે કહ્યું હું ભારત જવા માટે ખૂબ ઉત્સાહિત છું
લેખક વિશે
શિવાની જોષી
શિવાની જોષી છેલ્લા સાત વર્ષથી વધુ સમય કરતાં પત્રકારત્વના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાંથી ગ્રેજ્યુએશન (બીકોમ) કર્યું છે. ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીના જ માસ કમ્યુનિકેશન, જર્નાલિઝમ એન્ડ પબ્લિક રિલેશન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી અને પત્રકારત્વના ક્ષેત્રે જોડાયા. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story