એપશહેર

પવનની દિશા બદલાતા રાજ્યમાં આગામી 2-3 દિવસમાં ઘટશે ઠંડીનું જોર

છેલ્લા કેટલાક દિવસથી પવનની દિશા બદલાતા ઠંડીના પ્રમાણમાં ઘટાડો થવાની આગાહી ભારતીય હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

I am Gujarat 1 Jan 2021, 7:51 am
અમદાવાદઃ છેલ્લા કેટલાક દિવસોથી ઉત્તરથી ઉત્તર-પૂર્વીય તરફ પવનની દિશા બદલાતા આગામી દિવસોમાં અમદાવાદ સહિત રાજ્યના કેટલાક ક્ષેત્રોમાં શીત શહેરની સ્થિતિ હળવી થઈ શકે છે. આ આગાહી ગુરુવારે ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા કરવામાં આવી હતી.
I am Gujarat winter


વર્ષના અંતિમ દિવસે શહેરજનોએ કડકડતી ઠંડીનો અનુભવ કર્યો હતો. ગુરુવારે મહત્તમ તાપમાન 24 ડિગ્રી સેલ્સિઅસ હતું, જે સામાન્ય કરતાં 4 ડિગ્રી ઓછું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 12.4 ડિગ્રી સેલ્સિઅસ હતું, જે સામાન્ય કરતાં 0.1 ડિગ્રી વધારે હતું. શહેર માટે કરવામાં આવેલી આગાહીમાં જણાવવામાં આવ્યું હતું કે, શુક્રવારે લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી સેલ્સિઅસની આસપાસ રહેવાની શક્યતા છે.

'ક્ષેત્રમાં આગામી 2-3 દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે', તેવો ઉલ્લેખ IMDની વેબસાઈટમાં કરવામાં આવ્યો છે. આગાહીમાં તેમ પણ જણાવવામાં આવ્યું હતું કે, સાબરકાંઠા અને દાહોદમાં 2 અને 3 જાન્યુઆરીએ હળવો વરસાદ પડી શકે છે.

ગુરુવારે જુનાગઢ અને કચ્છમાં શીત લહેરની સ્થિતિ જોવા મળી હતી. 5 ડિગ્રી લઘુત્તમ તાપમાનની સાથે નલિયા રાજ્યમાં સૌથી ઠંડુગાર રહ્યું. જે બાદ કેશોદમાં 7.6 ડિગ્રી, ડીસામાં 8.3 ડિગ્રી, રાજકોટમાં 8.8 ડિગ્રી અને કંડલામાં 9.4 ડિગ્રી ઠંડી પડી હતી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો