એપશહેર

ગુજરાતઃ 24 કલાકમાં કોરોનાના 1020 નવા કેસ અને 28 મોત, કુલ આંકડો 51476 થયો

Gaurang Joshi | I am Gujarat 22 Jul 2020, 7:38 pm

અમદાવાદઃ દેશમાં કોરોનાનો કુલ આંકડો પણ 12 લાખની નજીક પહોંચ્યો છે. જ્યારે દેશમાં છેલ્લા 24 કલાકમાં 648 લોકોના મોત નીપજ્યાં છે. જેથી દેશમાં મૃત્યુઆંક પણ 28732એ પહોંચ્યો છે. કોરોના સંક્રમિતની સંખ્યાના હિસાબે ભારત દુનિયાનો ત્રીજો સૌથી વધારે પ્રભાવિત દેશ છે. અમેરિકા અને બ્રાઝિલ પછી સૌથી વધારે મૃત્યુ પણ ભારતમાં જ થઈ રહ્યાં છે. મંગળવારે ગુજરાતમાં રેકોર્ડબ્રેક 1026 કેસ નોંધાયા હતા જ્યારે છેલ્લા 24 કલાકમાં વધુ 1020 કેસ સામે આવતા હવે કોરોનાનો કુલ આંકડો 51476એ પહોંચ્યો છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

વધુ 837 દર્દીઓ થયા સ્વસ્થ

I am Gujarat with new 1020 cases in 24 hours total 51476 coronavirus patients in gujarat till date
ગુજરાતઃ 24 કલાકમાં કોરોનાના 1020 નવા કેસ અને 28 મોત, કુલ આંકડો 51476 થયો

નોંધાયેલા કુલ કેસમાંથી સૌથી વધુ સુરત કોર્પોરેશનમાં 201 જ્યારે બીજા નંબરે અમદાવાદ કોર્પેરેશન 181નો સમાવેશ થાય છે. જ્યારે રાજ્યમાં 24 કલાકમાં વધુ 837 દર્દીઓને રજા આપવામાં આવતા હવે કોરોના સંક્રમણથી કુલ 37240 દર્દીઓ સ્વસ્થ થયાં છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 5,76,706 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યાં છે.

24 કલાકમાં નોંધાયા 1020 કેસ

રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 3,33,496 વ્યક્તિઓને ક્વોરન્ટીન કરવામાં આવ્યાં છે. જે પૈકી 3,31,569 વ્યક્તિઓ હોમ ક્વોરન્ટીન છે અને 1,927 વ્યક્તિઓને ફેસિલિટી ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યાં છે.

રાજ્યમાં કુલ મૃત્યુઆંક 2229 થયો
રાજ્યમાં કુલ એક્ટિવ કેસ 12016 થયા છે. જેમાંથી 78 દર્દીઓને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે. જ્યારે 11938 દર્દીઓની હાલત સ્થિર છે. રાજ્યમાં કોવિડ-19ના કારણે સુરત કોર્પોરેશનમાં સૌથી વધુ 12, સુરતમાં 7, અમદાવાદ કોર્પોરેશનમાં 3, બોટાદ તેમજ દાહોદમાં 1-1, જુનાગઢ, જુનાગઢ કોર્પોરેશન, મહેસાણાં તેમજ વડોદરા કોર્પોરેશનમાં પણ 1-1 મૃત્યું થતા હવે રાજ્યમાં કુલ મૃત્યુઆંક પણ 2229એ પહોંચ્યો છે.

Read Next Story