એપશહેર

દાદા-દાદીના મૃત્યુ પછી પિતા અને ફોઈએ ભાઈ-બહેનને ઘરમાંથી કાઢી મૂક્યા, યુવતીએ નોંધાવી FIR

શહેરના ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં એક 22 વર્ષીય યુવતીએ પોતાના પિતા અને ફોઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. યુવતીની ફરિયાદ અનુસાર, તે પોતાના ભાઈ સાથે દાદા-દાદીના ઘરમાં રહેતી હતી. દાદા-દાદીના નિધન પછી પિતા અને ફોઈ તે ઘરમાં રહેવા આવી ગયા અને ભાઈ-બહેનને ખૂબ પરેશાન કરતા હતા. આ વર્તનથી કંટાળીને તેણે જીવ ટૂંકાવવાનો પણ પ્રયત્ન કર્યો હતો.

Edited byZakiya Vaniya | TNN 25 Aug 2022, 8:25 am
અમદાવાદ- શહેરના ઘાટલોડિયા વિસ્તારમા રહેતી એક 22 વર્ષીય યુવતીએ મંગળવારના રોજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેના પિતા અને ફોઈ મળીને તેને ખૂબ પરેશાન કરે છે. એક અપાર્ટમેન્ટને કારણે તેઓ યુવતીને પરેશાન કરી રહ્યા હોવાની ફરિયાદ કરવામાં આવી છે. પિતા અને ફોઈના ત્રાસથી કંટાળીને યુવતીએ જીવન ટૂંકાવવાનો પ્રયત્ન પણ કર્યો હતો.
I am Gujarat ghatlodia police
22 વર્ષીય યુવતીએ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.


અત્યારે પોતાના 17 વર્ષના ભાઈ સાથે શહેરના નવા નરોડા વિસ્તારમાં એક મિત્રના ઘરે રહેતી પ્રાચી પટેલનો આરોપ છે કે, તેના પિતા સંજય પટેલ અને ફોઈ દીપા સેઠે બળજબરીપૂર્વક ઘાટલોડિયા સ્થિત ઘર ખાલી કરાવ્યુ હતું. પ્રાચી પટેલે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર, પ્રાચીના માતા-પિતાના લગ્ન 1999માં થયા હતા. અવારનવાર લડાઈ થતી હોવાને કારણે તેઓ પછીથી અલગ થઈ ગયા હતા. માતા-પિતાના છૂટાછેડા થયા ત્યારે પ્રાચીની ઉંમર છ વર્ષ અને તેના ભાઈની ઉંમર માત્ર 10 મહિના હતી.

અમદાવાદના રસ્તાઓ પરથી સોમવાર સુધીમાં રખડતા ઢોરો દૂર થઈ જશે, ગુજરાત સરકારે હાઈકોર્ટને આપી ખાતરી
છૂટાછેડા પછી પ્રાચી અને તેનો ભાઈ માતા સાથે ખેડા રહેતા હતા. માતાના બીજા લગ્ન થયા પછી ભાઈ-બહેન ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા ન્યુ ભૂમિકા અપાર્ટમેન્ટ્સ ખાતે દાદા-દાદીના ઘરે આવી ગયા હતા. પ્રાચી જણાવે છે કે, તેના દાદા-દાદી કનુ અને હેમલતા પટેલે તેમનો ઉછેર કર્યો હતો. ગત વર્ષે 28મી સપ્ટેમ્બરના રોજ હેમલતા પટેલનું નિધન થયુ હતું જ્યારે 7મી જાન્યુઆરીના રોજ દાદા કનુ પટેલનું નિધન થયુ હતું.

દાદા-દાદીના નિધન પછી સંજય અને દીપા ઘાટલોડિયા સ્થિત ફ્લેટમાં રહેવા આવી ગયા અને ભાઈ-બહેનને પરેશાન કરવાની શરુઆત કરી હતી. તેઓ પ્રાચીને દબાણ કરતા હતા કે તે પોતાના ભાઈ સાથે ઘર છોડીને જતી રહે કારણકે આ ઘર વારસામાં તેમને મળશે. આખરે 13મી જૂનના રોજ સંજય અને દીપાએ ભાઈ-બહેનનો સામાન ઘરની બહાર ફેંકી દીધો અને તેમને ઘરમાંથી કાઢી મૂક્યા.

Navratri Rain Forecast:શું આ વર્ષે નવરાત્રી બગાડશે મેઘરાજા? સપ્ટેમ્બરની આ તારીખોમાં પડશે વરસાદ
પ્રાચી અને તેનો ભાઈ નવા નરોડા વિસ્તારમાં મિત્રના ઘરે જતા રહ્યા. પિતા અને ફોઈના આવા વર્તનથી આહત થયેલી પ્રાચીએ 5મી જૂનના રોજ જીવન ટૂંકાવવાનો નિર્ણય પણ લીધો હતો. તેણે લાંબા મંદિર નજીક ઝેર પીવાનો પ્રયત્ન કર્યો હતો. ભાઈને જાણ થતા તે તાત્કાલિક નારોલ વિસ્તારની એક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયો હતો જ્યાં લગભગ એક અઠવાડિયા સુધી તેને રાખવામાં આવી હતી. સાજી થયા પછી તે ઘાટલોડિયા પોલીસ સ્ટેશન પહોંચી અને ફરિયાદ નોંધાવી.

Read Next Story