નવગુજરાત સમય > અમદાવાદ
– ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી (જીટીયુ) સાથે જોડાયેલી યુનિવર્સલ ઇજનેરી કોલેજોમાં છેલ્લા ત્રણ માસથી ચાલતા વિવાદમાં તાજેતરમાં ચેરિટી કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી. જેમાં ચેરિટી કમિશનર દ્વારા યુનિવર્સલ કોલેજના સત્તાધીશોને નોટિસ આપવામાં આવી છે. આ ઉપરાંત આગામી દિવસોમાં યુનિવર્સલ કોલેજના બેંક એકાઉન્ટ જીટીયુ હસ્તક લેવામાં આવે તેવી પણ શકયતા છે. યુનિવર્સલ કોલેજના ટ્રસ્ટીઓએ છેલ્લા ત્રણ માસથી જે બેંકો મારફતે કોલેજનો વહીવટ થતો હતો તે તમામ બેંકના ખાતા સ્થગિત કરી દેવામાં આવ્યા છે. જેના કારણે અધ્યાપકો સહિત તમામ સ્ટાફનો પગાર ન થતાં અધ્યાપકોએ ભણાવવાનું બંધ કરી દીધું હતું. ટ્રસ્ટીઓના કારણે વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે તેવી સ્થિતિ ઊભી થઇ હતી. આ મુદ્દે વિદ્યાર્થીઓ-અધ્યાપકોએ વારંવાર કરેલી રજૂઆત છતાં જીટીયુ સત્તાધીશોએ કોઇપણ પ્રકારની કાર્યવાહી કરી નહોતી. છેવટે પરિસ્થિતિ કાબૂ બહાર જાય તેવું લાગતાં રહી રહીને જીટીયુએ હવે ચેરિટી કમિશનર સમક્ષ રજૂઆત કરી હતી. જેના અનુસંધાનમાં ચેરિટી કમિશનર દ્વારા યુનિવર્સલ કોલેજને તાકીદે નોટિસ આપીને આગામી સપ્તાહે ટ્રસ્ટીઓને રૂબરૂમાં બોલાવવામાં આવ્યા છે.
– ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી (જીટીયુ) સાથે જોડાયેલી યુનિવર્સલ ઇજનેરી કોલેજોમાં છેલ્લા ત્રણ માસથી ચાલતા વિવાદમાં તાજેતરમાં ચેરિટી કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી. જેમાં ચેરિટી કમિશનર દ્વારા યુનિવર્સલ કોલેજના સત્તાધીશોને નોટિસ આપવામાં આવી છે. આ ઉપરાંત આગામી દિવસોમાં યુનિવર્સલ કોલેજના બેંક એકાઉન્ટ જીટીયુ હસ્તક લેવામાં આવે તેવી પણ શકયતા છે. યુનિવર્સલ કોલેજના ટ્રસ્ટીઓએ છેલ્લા ત્રણ માસથી જે બેંકો મારફતે કોલેજનો વહીવટ થતો હતો તે તમામ બેંકના ખાતા સ્થગિત કરી દેવામાં આવ્યા છે. જેના કારણે અધ્યાપકો સહિત તમામ સ્ટાફનો પગાર ન થતાં અધ્યાપકોએ ભણાવવાનું બંધ કરી દીધું હતું. ટ્રસ્ટીઓના કારણે વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે તેવી સ્થિતિ ઊભી થઇ હતી. આ મુદ્દે વિદ્યાર્થીઓ-અધ્યાપકોએ વારંવાર કરેલી રજૂઆત છતાં જીટીયુ સત્તાધીશોએ કોઇપણ પ્રકારની કાર્યવાહી કરી નહોતી. છેવટે પરિસ્થિતિ કાબૂ બહાર જાય તેવું લાગતાં રહી રહીને જીટીયુએ હવે ચેરિટી કમિશનર સમક્ષ રજૂઆત કરી હતી. જેના અનુસંધાનમાં ચેરિટી કમિશનર દ્વારા યુનિવર્સલ કોલેજને તાકીદે નોટિસ આપીને આગામી સપ્તાહે ટ્રસ્ટીઓને રૂબરૂમાં બોલાવવામાં આવ્યા છે.