એપશહેર

ગુજરાત યુનિ.માં જ્યોતિષ, કર્મકાંડનો કોર્સ શરૂ કરાશે

I am Gujarat 20 Jul 2016, 5:40 am
નવગુજરાત સમય > અમદાવાદ
I am Gujarat youth education 315
ગુજરાત યુનિ.માં જ્યોતિષ, કર્મકાંડનો કોર્સ શરૂ કરાશે


ગુજરાત યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગ દ્વારા જ્યોતિષ, વાસ્તુ અને કર્મકાંડ વિષયમાં સર્ટિફિકેટ કોર્સ તૈયાર કરાયો છે. અભ્યાસ માટે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં કાર્યરત આ વિષયના નિષ્ણાત અધ્યાપકોનો સહયોગ લેવાશે. અભ્યાસ પૂર્ણ થયા બાદ યુનિવર્સિટી દ્વારા પરીક્ષા લેવાશે.

ગુજરાત યુનિવર્સિટીના ભાષા સાહિત્ય ભવનના સંસ્કૃત વિભાગ દ્વારા કોસમો રિસર્સ ફાઉન્ડેશનના સહયોગથી જ્યોતિષ, વાસ્તુ અને કર્મકાંડ વિષયમાં બે સ્તરના સર્ટિફીકેટ કોર્સ ઘડવામાં આવ્યા છે. દર રવિવારે આખો દિવસ ચાલનારા વર્ગોમાં થીયરી સાથે પ્રેક્ટિકલ કાર્ય તથા પ્રોજેક્ટસ પણ કરાવાશે.

આ ત્રણેય કોર્સના વર્ગો ભાષાભવનમાં ચાલશે અને પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓને યુનિવર્સિટીની લાઇબ્રેરી અને કમ્પ્યુટર લેબનો પણ લાભ મળશે. હાલમાં 1. જ્યોતિષ બેઝિક સર્ટિ. કોર્સ (પ્રથમ સ્તર), 2. જ્યોતિષ બેઝિક સર્ટિ. કોર્સ (દ્વિતીય સ્તર), 3. વાસ્તુ બેઝિક સર્ટી. કોર્સ (પ્રથમ સ્તર), 4. વાસ્તુ બેઝિક સર્ટી. કોર્સ (દ્વિતીય સ્તર), 5. કર્મકાંડ બેઝિક સર્ટી. કોર્સ (પ્રથમ સ્તર) અને 6. કર્મકાંડ બેઝિક સર્ટી. કોર્સ (દ્વિતીય સ્તર)ના છ માસના એક એવા કુલ છ કોર્સનો પ્રારંભ કરાશે. ખાનગી ધોરણે ચાલનારા આ કોર્સ માટે બુધવારથી ભાષા ભવન ખાતેથી ફોર્મ મળશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો