એપશહેર

ગીર સોમનાથ: ધૈર્યાની હત્યામાં પરિવારના વધુ બે લોકો સામેલ હોવાનો ચોંકાવનારો ખુલાસો

Dhairya Murder Case: ગીર-સોમનાથના નાયબ પોલીસ અધિક્ષક વી.આર. ખાંગરે જણાવ્યું હતું કે, અર્ચનાએ ફોન પર ભાવેશને ધાર્મિક વિધિઓનું માર્ગદર્શન આપ્યું હતું. આખા કુટુંબનું માનવું હતું કે તેણીનો વળગણ છે. બધી ધાર્મિક વિધિઓ યોગ્ય રીતે કરવામાં આવી છે કે કેમ? તેની ખાતરી કરવા માટે અર્ચના સતત તેના ભાઈઓ સાથે સંપર્કમાં રહેતી હતી.

Edited byદીપક ભાટી | TNN 22 Oct 2022, 5:40 pm
રાજકોટ: ગયા અઠવાડિયે ગીર-સોમનાથ જિલ્લામાં પિતા અને મોટા બાપા દ્વારા 14 વર્ષની બાળકીની નિર્દય હત્યાની તપાસમાં ધૈર્યાની ફોઈ અને દાદાની પણ સંડોવણી સામે આવી છે. શુક્રવારે પોલીસે મૃતક ધૈર્યા અકબારીના દાદા ગોપાલ અને ફોઈ અર્ચના ઉર્ફે જ્યોતિ ઠુમ્મરની ધરપકડ કરી હતી, જે જુનાગઢના કેશોદ શહેરમાં રહે છે.
I am Gujarat Dhairya Murder
પોલીસે ફોઈ અને દાદાની ધરપકડ કરી, ઈનસેટમાં મૃતક ધૈર્યાની ફાઈલ તસવીર


પિતા અને મોટા બાપાએ ક્રૂરતાની તમામ હદો વટાવી
ધૈર્યાને તેના પિતા અને મોટા બાપા દિલીપ દ્વારા ક્રૂરતા આપવામાં આવી હતી. તેઓ માનતા હતા કે ધૈર્યાને કોઈ વળગણ છે જેથી તેઓ પાખંડી ભૂવા પાસે લઈ ગયા હતા. જેણે ધૈર્યા પર કેટલીક વિધિઓ કરવા માટે જણાવ્યું હતું. આ છોકરીને પહેલા બે કલાક અગ્નિની નજીક ઉભા રાખી હતી, ત્યારબાદ તેના શરીરમાં ફોલ્લા હોવા છતાં લાકડી અને વાયર વડે માર મારવામાં આવી હતી.

સતત 3 દિવસના ત્રાસ બાદ માસુમ ધૈર્યાને તોડ્યો હતો દમ
એટલું જ નહીં, તે ખસી ન શકે તે માટે પથ્થર સાથે બાંધવામાં આવી હતી. નરાધમ પિતા અને મોટો બાપાએ ધૈર્યાને ખોરાક અને પાણીથી પણ વંચિત રાખી હતી અને સતત 3 દિવસના ત્રાસ બાદ 1 ઓક્ટોબરના રોજ આખરે ધૈર્યાએ અંતિમ શ્વાસ લીધા હતા.

અર્ચનાએ ભાવેશને ફોન પર વિધિઓ અંગે જણાવ્યું
આ સમગ્ર મામલે ગીર-સોમનાથના નાયબ પોલીસ અધિક્ષક વી.આર. ખાંગરે જણાવ્યું હતું કે, અર્ચનાએ ફોન પર ભાવેશને ધાર્મિક વિધિઓનું માર્ગદર્શન આપ્યું હતું. આખા કુટુંબનું માનવું હતું કે તેણીનો વળગણ છે. બધી ધાર્મિક વિધિઓ યોગ્ય રીતે કરવામાં આવી છે કે કેમ? તેની ખાતરી કરવા માટે અર્ચના સતત તેના ભાઈઓ સાથે સંપર્કમાં રહેતી હતી.

દાદાએ પુરાવાઓ નાશ કરવા પુત્રોની મદદ કરીવધુમાં એવું પણ જાણવા મળ્યું છે કે, ભાવેશના પિતા ગોપાલે ધૈર્યાની બોડીને પ્લાસ્ટિકમાં લપેટવામાં અને પુરાવાઓ નષ્ટ કરવામાં પુત્રોની મદદ કરી હતી.
લેખક વિશે
દીપક ભાટી
દીપક ભાટી છેલ્લા 7 વર્ષથી પત્રકારના ક્ષેત્રમાં છે. તેઓ ગુજરાત હાયપર-લોકલ, ક્રાઈમ અને પોલિટિકલ ન્યૂઝ-સ્ટોરી લખવા ઉપરાંત એડિટિંગનો અનુભવ ધરાવે છે. તેમણે પોતાનું ગ્રેજ્યુએશન BA (Psychology)કર્યું છે. ત્યારબાદ ડિપ્લોમાં ઈન જર્નાલિઝ્મ કરીને મીડિયા ફિલ્ડમાં જોડાયા. તેઓ સંદેશ (ન્યૂઝ ચેનલ), દિવ્ય ભાસ્કર (Digital)માં કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story