એપશહેર

બેચરાજી પાસે છોટા હાથી ઝાડ સાથે અથડાતા એક જ પરિવારના ત્રણ લોકોના મોત

બેચરાજી પાસે છોટા હાથી ઝાડ સાથે ટકરાઈ જવાના કારણે સર્જાયેલા અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ જીવ ગુમાવ્યો છે.

I am Gujarat 6 Sep 2020, 2:07 pm
મહેસાણાના બેચરાજી નજીક એક અકસ્માતમાં 3 લોકોના મોત થઈ ગયા છે. આ અકસ્માત કોઈ અન્ય વાહન સાથે નહીં પરંતુ ઝાડ સાથે વાહન અથડાઈ જવાના કારણે સર્જાયો છે. આ ઘટનામાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ જીવ ગુમાવ્યા હોવાનું સામે આવ્યું છે.
I am Gujarat accident near bechraji 3 family member died in this
બેચરાજી પાસે છોટા હાથી ઝાડ સાથે અથડાતા એક જ પરિવારના ત્રણ લોકોના મોત


બેચરાજીના વાલેવડા ગામ પાસે છોડા હાથી વાહન ઝાડ સાથે અથડાઈ જવાની ઘટના બની છે. ડ્રાઈવરે કોઈ કારણોસર સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યા બાદ અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટના કેટલાક લોકો ઘાયલ થયા છે જેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ અકસ્માત કઈ રીતે સર્જાયો તે અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. અકસ્માત એટલો ભયંકર હતો કે તેમાં છોટા હાથીનો કચ્ચરઘાણ વળી ગયો છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો