એપશહેર

અરવલ્લીમાં બુટલેગરો પાસેથી બક્ષિસ લેવાની મહિલા કોન્સ્ટેબલને સજા મળી!

કોન્સ્ટેબલ મમતા ડામોરની બુટલેગરો સાથે સાંઠગાંઠની ખબર પડતા તેમની સામે કડક પગલા ભરવામાં આવ્યા છે

I am Gujarat 29 Dec 2020, 11:50 am
અરવલ્લીઃ 31મી ડિસેમ્બર નજીક આવી રહી છે ત્યારે પાર્ટીઓ અને દારુના ગેરકાદેસર થતા વેપાર પણ હરકતમાં આવ્યા છે. આવામાં પોલીસ દ્વારા પણ બુટલેગરો પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. આવામાં કેટલાક બુટલેગર પોલીસવાળાના આશીર્વાદના કારણે ધમધમી રહ્યા હોવાનું સામે આવતું હોય છે. આવું જ અરવલ્લીમાં બનેલી એક ઘટનામાં સામે આવ્યું છે. આવા જ પોલીસકર્મી સામે SP (સુપ્રીટેન્ડન્ટ ઓફ પોલીસ) સંજય ખરાટ દ્વારા પગલા ભરવામાં આવ્યા છે. અગાઉ પર શંકાસ્પદ અને બુટલેગરો સાથે સાંઠગાંઠ ધરાવતા પોલીસકર્મીઓ સામે કડક પગલા ભર્યા છે. આવા પોલીસકર્મીઓની અન્ય પોલીસ સ્ટેશન કે હેડક્વાર્ટરમાં બદલી પણ કરવામાં આવી છે.
I am Gujarat aravalli sp sanjay kharat suspend woman police constable mamta damor
અરવલ્લીમાં બુટલેગરો પાસેથી બક્ષિસ લેવાની મહિલા કોન્સ્ટેબલને સજા મળી!


સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ મુજબ અરવલ્લીના નેત્રમમાં વધુ એક મહિલા પોલીસકર્મી કોન્સ્ટેબલ મમતા ડામોરની શંકાસ્પદ ગતિવિધિના કારણે તેમને ફરજ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મમતા ડામોરનો સીધો સંપર્ક કુખ્યાત બુટલેગર અને હત્યારા સુકા ડુંડ સાથે હોવાનું ધ્યાને આવતા સંજય ફરાટ દ્વારા પગલા ભરવામાં આવ્યા છે.

દારુ સહિતની જિલ્લામાં બધી રહેલી બદીઓને નાથવા માટે અરવલ્લી પોલીસના એસપી સંજય ખરાટ અને DySP ભરત બસીયા દ્વારા પગલા ભરવામાં આવી રહ્યા છે જેમાં પોલીસકર્મીઓની સંડોવણી હોય તેમની સામે પણ પગલા ભરવામાં આવી રહ્યા છે. રાજ્યની બોર્ડર પારથી ગુજરાતમાં ઠાલવવામાં આવતા દારુ પર રોક લગાવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે આવામાં કેટલાક ભ્રષ્ટ પોલીસકર્મીઓ અને અધિકારીઓના આશીર્વાદના કારણે આ પ્રકારના ગેરકાયદેસર ધંધા ધમધમતા રહે છે. જેની સામે લગામ લગાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

પગાર સિવાયની ગેરકાયદેસર ધંધા પર પગલા ના ભરવાના બક્ષિસ લેવાનું પોલીસકર્મીઓને ભારે પડી રહ્યું છે આમ છતાં આ પ્રકારની બક્ષિસની લાલચ રાખતા પોલીસકર્મીઓ સામે પોલીસ દ્વારા જ પગલા ભરવામાં આવી રહ્યા છે. ભૂતકાળમાં પણ આવા કેટલાક પોલીસકર્મીઓ સામે પોલીસવડા દ્વારા પગલા ભરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

મમતા ડામોરને પણ બક્ષિસ લેવાનું અને ગેરકાયદેસર ધંધાને ખુલ્લી છૂટ આવવાનું ભારે પડ્યું છે. મમતા સામે ભરાયેલા પગલાથી પોલીસ બેડામાં પણ ચર્ચાનો વિષય બન્યો છે. આ પ્રકારના ખોટા કામ કરતા પોલીસકર્મીઓના કારણે સત્ય અને નિષ્ઠા સાથે પોતાની ફરજ બજાવતા પોલીસકર્મીઓની છબી સામે પણ સવાલ ઉઠે છે ત્યારે ગુનેગારોને છાવરવાનું કૃત્ય કરતા પોલીસકર્મીઓ સામે એસપી અને ડીવાયએસપી દ્વારા પગલા ભરવામાં આવી રહ્યા છે.

Read Next Story