એપશહેર

પાટણઃ રસ્તે રખડતાં કૂતરાનો આતંક, ઘોડિયામાંથી બાળકને ખેંચી જઈ બચકાં ભરતાં મોત

મિત્તલ ઘડિયા | TNN 31 Jul 2019, 8:41 am
પાલનપુરઃ દિવસેને દિવસે રસ્તે રખડતાં કૂતરાઓનો આતંક વધી રહ્યો છે, જેના કારણે કોઈ એવી ઘટના બની જાય કે જેનું દુઃખ જીવનભર રહી જાય. આવો જ કિસ્સો પાટણ જિલ્લાના સિદ્ધપુર શહેરમાં સોમવારે બન્યો હતો. રસ્તે રખડતું કૂતરું છેક ઘર સુધી આવી ગયું હતુ અને ઘોડિયામાં ઊંઘતા દોઢ વર્ષના બાળકને બહાર ખેંચી ગયું હતું. સૌથી દુખદ વાત એ છે કે આ ઘટના બાદ બાળકનું મોત થયું છે. હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો બાળકના પરિવારનાં નજીકના સંબંધીઓના જણાવ્યા પ્રમાણે કેટલાક છોકરાઓ ટ્યૂશનથી ઘરે પરત ફરી રહ્યા હતા તે સમયે તેમણે જોયું કે કૂતરાએ મોંઢાથી બાળકને પકડી રાખ્યું છે. તરત જ તેમણે કૂતરાને ભગાડ્યો હતો અને બાળકનો જીવ બચાવ્યો હતો, બાદમાં બાળકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયું હતું, જો કે માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેની હાલત ખરાબ થઈ હતી જે બાદ તેને મહેસાણા લઈ જવાયો હતો, જ્યાં તેણે શ્વાસ છોડી દીધા હતા. નોકરાણીએ મસાજ કર્યા બાદ બાળક ઘોડિયામાં ઊંઘી ગયું હતું, જ્યારે તેના પિતા તેજસભાઈ ધોરી, માતા અને દાદી ઘરના પહેલા માળ પર કામમાં વ્યસ્ત હતા. સિદ્ધપુર નગરપાલિકાના મુખ્ય અધિકારી જિગર બ્રહ્મભટ્ટે કહ્યું કે દરવાજો ખુલ્લો હોવાથી કૂતરું તેમના ઘરમાં ઘૂસી ગયું હતું અને બાળકને ઘોડિયામાંથી બહાર ખેંચી લાવ્યું હતું. બાળકના માતા-પિતાએ મામલે કોઈ ફરિયાદ નોંધાવી નથી.
લેખક વિશે
મિત્તલ ઘડિયા
મિતલ ગઢીયા છેલ્લા સાત વર્ષ કરતાં વધુ સમયથી પત્રકારત્વ ક્ષેત્ર સાથે જોડાયેલા છે. શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટર તરીકે કામ કરી રહ્યા છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી B.Com અને માસ્ટર ઈન માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુશનની ડિગ્રી મેળવી છે. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા અને ટીવી 9 જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો