એપશહેર

બનાસકાંઠામાં જમીન મામલે બે જૂથ વચ્ચે લોહિયાળ અથડામણ, 3 લોકોના થયા મોત

Banaskantha Group Clash: આ ઘર્ષણમાં અન્ય 7 લોકોને ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. બનાવની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મામલો થાળે પાડીને સ્થિતિ વધુ ન વણસે તે માટે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા બંને પક્ષો સામે ગુનો દાખલ

Edited byદીપક ભાટી | I am Gujarat 27 Sep 2022, 10:02 pm
બનાસકાંઠા: બનાસકાંઠામાં જમીન મામલે બે જૂથ વચ્ચે અથડામણની ઘટના સામે આવી છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ લોહિયાળ જંગમાં બે લોકોના મોત થયાનું જાણવા મળ્યું છે. જો કે, બાદમાં વધુ એકનું મોત થતાં કુલ મૃત્યુઆંક 3 પર પહોંચી ગયો છે. આ ઘર્ષણમાં અન્ય 6 જેટલા લોકોને ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. બનાવની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મામલો થાળે પાડીને સ્થિતિ વધુ ન વણસે તે માટે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા બંને પક્ષો સામે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.
I am Gujarat Banaskantha
બનાવની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે


ગૌચરની જમીનને લઈને થયો વિવાદ
મીડિયા રિપોર્ટ અનુસાર કાંકરેજના અરણીવાડા પાસે આવેલી ગૌચરની જમીનને લઈ બે જૂથ આમને સામને આવી ગયા હતા. ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થતા ગંભીર રીતે ઘવાયેલા 3 લોકોના મોત નીપજ્યા છે.

3 લોકોના થયા મોત
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શિહોરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ છે. ગૌચરની જમીન પ્રશ્ને બંને જૂથ સામ સામે આવી ગયા હતા. અથડામણમાં 3 લોકોના મોત નીપજ્યા છે જ્યારે 6 લોકોને ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયા છે. ગ્રામજનોને શાંતિ જાળવી રાખવા અપીલ કરવામાં આવી છે.

સુરતમાં પણ બે જૂથ વચ્ચે મારામારીશહેરના લિંબાયત વિસ્તારમાં આવેલા પ્રતાપનગર ખાતે નજીવી બાબતમાં બે જૂથ વચ્ચે છુટ્ટાહાથની મારામારી થઈ ગઈ હતી. લારી મૂકવાની જગ્યાનો ઝઘડો મારામારી સુધી પહોંચી ગયો. આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ અંગે પોલીસે પણ દરમિયાનગીરી કરીને જાણવાજોગ ફરિયાદ નોંધીના કાર્યવાહી હાથ ધરી છે.
લેખક વિશે
દીપક ભાટી
દીપક ભાટી છેલ્લા 7 વર્ષથી પત્રકારના ક્ષેત્રમાં છે. તેઓ ગુજરાત હાયપર-લોકલ, ક્રાઈમ અને પોલિટિકલ ન્યૂઝ-સ્ટોરી લખવા ઉપરાંત એડિટિંગનો અનુભવ ધરાવે છે. તેમણે પોતાનું ગ્રેજ્યુએશન BA (Psychology)કર્યું છે. ત્યારબાદ ડિપ્લોમાં ઈન જર્નાલિઝ્મ કરીને મીડિયા ફિલ્ડમાં જોડાયા. તેઓ સંદેશ (ન્યૂઝ ચેનલ), દિવ્ય ભાસ્કર (Digital)માં કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story