એપશહેર

મહેસાણામાં પુત્રની નજર સામે જ પિતાનું મર્ડર, મૃતદેહને કૂવામાં નાખી હત્યારાઓ ફરાર

Mehsana Crime News: સતલાસણાના તખતપુરા ગામે એક મજૂરે ખેડૂત માલિકની હત્યા કરી ભાગી ગયો. આ મર્ડરમાં એક અન્ય શખસે પણ સુરેશનો સાથ આપ્યો હતો. સમગ્ર ઘટના ખેડૂતના પુત્રની સામે જ બની. તે પિતાને બચાવા માટે પણ ગયો પરંતુ હત્યારાઓ ધમકી આપીને ખેડતૂને લોહીલુહાણ હાલતમાં કૂવામાં ફેંકીને ભાગી ગયા હતા. પોલીસે ગુનો દાખલ કરીને હત્યારાઓની શોધખોળ હાથ ધરી છે.

Edited byદીપક ભાટી | I am Gujarat 11 Mar 2023, 4:35 pm

હાઈલાઈટ્સ:

  • મહેસાણાના સતલાસણા તાલુકાના તખતપુરા ગામની ઘટના
  • ઘઉં ભેગા કરવા માટે કહેતા મજૂરે ખેડૂત માલિકની હત્યા કરી
  • પુત્ર બચાવવા જતા ધમકી આપી હત્યારાઓ ફરાર થઈ ગયા
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat Mehsana
મહેસાણાના તખતપુરા ગામે બનેલી ઘટના- પ્રતિકાત્મક તસવીર
મહેસાણા: મહેસાણામાં એક ખેડૂતની હત્યા થતાં ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત માહિતી અનુસાર સતલાસણા તાલુકાના તખતપુરા ગામે ખેડૂતે મજૂરને ખેતરમાં પડેલા ઘઉં ભેગા કરવાનું કહેતા ઉશ્કેરાયેલા મજૂરે કૂહાડીના ઘા ઝીક્યા બાદ હત્યા કરી લોહીલુહાણ હાલતમાં કૂવામાં ફેકી દીધો. મીડિયા રિપોર્ટ દરમિયાન હુમલા દરમિયાન ખેડૂતનો પુત્ર ખેતરમાં સમગ્ર ઘટના જોતા પિતાને છોડાવવા ગયો હતો. પરંતુ તેણે પણ જાનતી મારી નાખવાની ધમકી આપી હત્યારો ત્યાંથી ફરાર થવામાં સફળ રહ્યા. બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
કેવી રીતે બની સમગ્ર ઘટના?
મીડિયા રિપોર્ટ અનુસાર તખતપુરા ગામના મહમદભાઈ મોમીને પોતાની જમીન દાંતા તાલુકાના ખેર સુરેશભાઈને 6 મહિના પહેલા વાવવા આપી હતી. જ્યાં ખેર સુરેશભાઈ હોળી પર પોતાના વતન ગયો હતો. આ દરમિયાન વરસાદ પડતા ખેડૂત મહમદભાઈએ તેણે ફોન કરી ઘઉં લેવા માટે ખેતરે બોલાવ્યો હતો. સુરેશ ખેતરે આવતા ખેડૂત તેણે ઘઊં ભેગા કરવા માટે કહીને પોતે થ્રેશર લેવા ગયા હતા.

થ્રેશર લઈને પરત આવ્યા બાદ જોયું તો ઘઉં આમ જ પડ્યા હતા. જેથી ખેડૂતે સુરેશને હજી સુધી ઘઉં કેમ ભેગા નથી કર્યા કહેતા સુરેશ ઉશ્કેરાઈ ગયો અને દોડીને ઓરડીમાં ગયો હતો અને કૂહાડી લઈ આવીને ખેડૂત પર તૂટી પડ્યો હતો. જેમાં એક મિત્રએ પણ હત્યારા સુરેશનો સાથ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે. હત્યા કરીને આરોપીઓ ફરાર થતાં પુત્રએ સંબંધી-પરિવારજનોને બોલાવતા બધા ખેતરે દોડી ગયા હતા અને આ દરમિયાન સતલાસણા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે.

નાણાં ન આપતા યુવકને છરી મારીબીજી ઘટના: બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તુલાકાના યાવરપુરા ગામના ગણાજી હરદાજી ઠાકોરના નાના દીકરી નિલાભાઈને પોતાના જ ગામના ઉત્તમભાઈ ઠાકોરે પૈસા માટે બોલાવતા નિલાભાઈ ગામના ગોંદરે આવ્યા હતા. જ્યાં ઉત્તમભાઈ તથા ભૂરાભાઈ રબારીએ નાણા માગ્યા હતા, પરંતુ નિલાભાઈએ ના પાડતા ભુરાભાઈએ છરી માથાના ભાગે મારી જાનથી મારી નાખવાની ધમકી આપીને ભાગી ગયા હતા. લોહીલુહાણ હાલતમાં નિલાભાઈને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. સમગ્ર મામલે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો છે.
લેખક વિશે
દીપક ભાટી
દીપક ભાટી છેલ્લા 7 વર્ષથી પત્રકારના ક્ષેત્રમાં છે. તેઓ ગુજરાત હાયપર-લોકલ, ક્રાઈમ અને પોલિટિકલ ન્યૂઝ-સ્ટોરી લખવા ઉપરાંત એડિટિંગનો અનુભવ ધરાવે છે. તેમણે પોતાનું ગ્રેજ્યુએશન BA (Psychology)કર્યું છે. ત્યારબાદ ડિપ્લોમાં ઈન જર્નાલિઝ્મ કરીને મીડિયા ફિલ્ડમાં જોડાયા. તેઓ સંદેશ (ન્યૂઝ ચેનલ), દિવ્ય ભાસ્કર (Digital)માં કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story