એપશહેર

કડી: તિરંગા રેલીમાં પૂર્વ DyCM નીતિન પટેલને રખડતી ગાયે અડફેટે લેતા ઢીંચણમાં થઈ ઈજા

મહેસાણાના કડી વિસ્તારમાં આજે તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પણ તિરંગા રેલીમાં હાજર રહ્યા હતા. આ દરમિયાન તિરંગા રેલી કડીના કરણપુર શાક માર્કેટ પાસેથી પસાર થઈ હતી. ત્યારે એક ચોંકાવનારી ઘટના બની હતી. અહીં રસ્તે રઝળતી એક ગાયે નીતિન પટેલને અડફેટે લીધા હતા. જે બાદ તેઓને ઢીંચણના ભાગે ઈજા પહોંચી હતી અને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

Authored byમનીષ કાપડિયા | I am Gujarat 13 Aug 2022, 4:05 pm

હાઈલાઈટ્સ:

  • કડીમાં યોજાયેલી તિરંગા રેલીમાં પૂર્વ ડે.સીએમ નીતિન પટેલ થયા ઈજાગ્રસ્ત
  • કરણપુર શાક માર્કેટ પાસે ગાયે નીતિન પટેલને અડફેટે લેતા થઈ ઈજા
  • ઢીંચણમાં ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
હાઈલાઈટ ટેક્સ્ટ

કડીઃ
પંદરમી ઓગસ્ટને હવે ગણતરીના જ કલાકો બાકી રહી ગયા છે. ત્યારે રાજ્યમાં ઠેર ઠેર તિરંગા રેલીનું (Tiranga rally in Kadi) આયોજન કરવામાં આવી રહ્યું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં આ રીતે તિરંગા રેલી યોજાઈ ગઈ છે અને હજુ પણ ઉજવણી ચાલી રહી છે. ત્યારે મહેસાણાના કડી વિસ્તારમાં પણ આ રીતે તિરંગા રેલી યોજાઈ હતી. આ તિરંગા રેલીમાં પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પણ હાજર રહ્યા હતા. આ સિવાય મોટી સંખ્યામાં લોકો પણ ઉમટ્યા હતા. આ તિરંગા રેલી દરમિયાન એક ચોંકાવનારી ઘટના બની હતી. અહીં રખડતી ગાયે નીતિન પટેલને અડફેટે (Nitin Patel injured by Cow) લીધા હતા. જે બાદ નીતિન પટેલને ઢીંચણમાં ઈજાઓ પહોંચી હતી. જેથી તેઓને તાત્કાલિક સરવાર માટે હોસ્પટિલમાં ખસેડવામાં આવ્યા હતા. હજુ તેમની તબિયત કેવી છે એને લઈને રિપોર્ટ સામે આવ્યા નથી.

કરણપુર શાક માર્કેટમાં બની ઘટના
બનાવની વિગતો એવી છે કે, રાજ્યમાં ઠેર ઠેર હાલ તિરંગા રેલીનું આયોજન થઈ રહ્યુ છે. બીજી તરફ, ઘર ઘર તિરંગા અભિયાન પણ ચાલી રહ્યું છે અને પંદરમી ઓગસ્ટને હવે ગણતરીના જ કલાકો બચ્યા છે. ત્યારે રાજ્યમાં પંદરમી ઓગસ્ટની ઉજવણી હાલથી જ શરુ થઈ ચૂકી છે. આ દરમિયાન મહેસાણાના કડી વિસ્તારમાં પણ તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યુ છે. આ તિરંગા રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સાથે જ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ તિરંગા રેલીમાં ઉપસ્થિત રહ્યા હતા. આ રેલી કરણપુર શાક માર્કેટ પાસે પહોંચી હતી. ત્યારે અહીં કેટલીક રખડતી ગાયો પણ નજરે પડી હતી. જેમાંથી એક રખડતી ગાયે નીતિન પટેલને અડફેટે લીધા હતા. જે બાદ તેઓને પગના ઢીંચણમાં ઈજા પહોંચી હતી. એ પછી તાત્કાલિક ધોરણે નીતિન પટેલને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
Pics: વલસાડના દરિયામાં આવેલી ભરતીએ દાંતી ગામને ખેદાન-મેદાન કરી નાખ્યું, ચારેકોર તબાહી
ઢીંચણના ભાગે થઈ ઈજા
એવા પણ રિપોર્ટ સામે આવ્યા છે કે, નીતિન પટેલની અધ્યક્ષતામાં કડીમાં આ તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા અને સાથે કેટલાંક રાજકીય નેતાઓનો પણ હતા. ત્યારે આ તિરંગા રેલી કરણપુર શાક માર્કેટ પાસેથી પસાર થઈ હતી. એ દરમિયાન અહીં રસ્તે રઝળતી એક ગાયે નીતિન પટેલને અડફેટે લીધા હતા. જે બાદ અહીં સમગ્ર વિસ્તારમાં અફરા તફરી મચી ગઈ હતી. થોડી વાર માટે તિરંગા રેલી સ્થગિત થઈ ગઈ હતી. જો કે, ગાયે અડફેટે લેતા નીતિન પટેલને પગના ઢીંચણના ભાગે ઈજા પહોંચી હતી. એટલે તેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
હોસ્પિટલમાંથી અપાઈ રજા
જો કે, ઈજાગ્રસ્ત નીતિન પટેલને કડીથી ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હાલ તેમની તબિયત કેવી છે એ રિપોર્ટ હજુ સુધી સામે આવ્યો નથી. પણ તેમની તબિયત સ્થિર હોવાનું જણાઈ રહ્યું છે. એવા પણ રિપોર્ટ સામે આવ્યા છે કે, હોસ્પિટલમાં તેઓને સારવાર આપ્યા બાદ રજા આપી દેવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતા સ્થાનિક આગેવાનો પણ તરત હોસ્પિટલે પહોંચ્યા હતા અને ખબર અંતર પૂછ્યા હતા.
ગુજરાતમાં ધોધમાર વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે
ક્યારે આવશે ઉકેલ?
તો આ ઘટના બાદ કોંગ્રેસમાં એવી ચર્ચાઓ થવા લાગી હતી કે, ગાય માતા કેમ ભાજપના જ નેતાઓને અડફેટે લે છે. મહત્વનું છે કે, રાજ્યમાં રસ્તે રઝળતી ગાયોનો આતંક સામે આવ્યો છે. ભૂતકાળમાં એવા કિસ્સા બની ચૂક્યા છે કે જેમાં ગાયે સ્થાનિક લોકોને અડફેટે લેતા મોત નીપજ્યા હતા. તાજેતરમાં જ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવી જ બે ઘટનાઓ બની હતી. જેમાં રસ્તે રઝળતી ગાયે બે ટુ વ્હીલર ચાલકોને અડફેટે લેતા મોત નીપજ્યા હતા. ત્યારે હવે ખુદ નીતિન પટેલ રસ્તે રઝળતી ગાયનો શિકાર બન્યા હતા.
લેખક વિશે
મનીષ કાપડિયા
મનીષ કાપડિયા છેલ્લાં 13 વર્ષ કરતા પણ વધુ સમયથી પત્રકારત્વના ક્ષેત્રમાં કાર્યરત છે. કારકિર્દીની શરુઆતથી ક્રાઈમ, આર.ટી.ઓ., સ્પેશિયલ સ્ટોરીનું રિપોર્ટિંગ અને ફોટોગ્રાફીનો અનુભવ ધરાવે છે. આ સિવાય ન્યૂઝ એડિટિંગ અને પેજ મેકિંગનોનો પણ અનુભવ ખરો. ઉપરાંત ન્યૂઝ ચેનલમાં કોપી એડીટર, બુલેટિન પ્રોડ્યુસર અને શિફ્ટ હેન્ડલ કરવાનો પણ અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કૉલેજમાંથી ગ્રેજ્યુએશન (બી.એ.) કર્યુ છે. ત્યારબાદ ગૂજરાત વિદ્યાપીઠમાંથી માસ્ટર ઓફ જર્નલિઝમ કર્યા પછી પત્રકારાત્વના ક્ષેત્રમા્ં જોડાયા. તેઓ સંદેશ, ગુજરાત સમાચાર, સંદેશ પૂર્તિ જેવા અખબારો તથા જીએસટીવી, વીટીવી, બુલેટિન ઈન્ડિયા જેવી ન્યૂઝ ચેનલ સાથે પણ કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story