એપશહેર

પ્રેરણાદાયી કિસ્સોઃ ઈજાગ્રસ્ત શિક્ષકના ખબર પૂછવા આવેલી વિદ્યાર્થીનીઓની આંખોમાં આંસુ આવી ગયા

મોબાઈલ અને ઈન્ટરનેટના આધુનિક યુગમાં ગુરુ અને શિષ્ય વચ્ચેનો અતૂટ નાતો હોવાનો ઉદાહરણો ભાગ્યે જ જોવા મળે છે. જોકે પાલનપુરના મડાણાની એક પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકને પગમાં ફ્રેક્ચર થયું હતું, જેને લીધે તેઓ પથારીવશ થઈ ગયા હતા અને શાળાએ આવી શકતા ન હતા, આ સંજોગોમાં વર્ગની વિદ્યાર્થીનીઓ તેમના ગુરુજીના ખબર અંતર પૂછવા આવી હતી.

I am Gujarat 15 Sep 2022, 7:55 pm

હાઈલાઈટ્સ:

  • શિક્ષકને પગમાં ફ્રેક્ચર થતા પથારીવશ થઈ ગયેલા
  • વિદ્યાર્થીનીઓએ જલદી સાજા થાય તે માટે પ્રાર્થના કરી
  • શિક્ષક પણ દીકરીઓની આ લાગણીને જોઈ ગદગદિત થઈ ગયા
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat teacher
શિક્ષકની પીડા જોઈ વિદ્યાર્થીનીઓન આંખમાં આંસુ આવી ગયા
ગુરુ અને શિષ્ય વચ્ચેનો સંબંધ અનેરો હોય છે. પાલનપુરમાં એક શિક્ષક ઈજાગ્રસ્ત થતા તેમના પગમાં ફ્રેક્ચરને લીધે પથારીવશ થયા હતા, જ્યારે શાળાના નાના ભૂલકાઓ તેમના ખબર અંતર પૂછવા માટે આવ્યા ત્યારે લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા. શિક્ષકને પથારીમાં જોઈ બાળકોની આંખમાં આંસુ આવી ગયા હતા. સૌ વિદ્યાર્થીઓએ તેમના શિક્ષક જલ્દીથી સાજા અને સ્વસ્થ થઈ જાય તે માટે પ્રાર્થના પણ કરી હતી.
મોબાઈલ અને ઈન્ટરનેટના આધુનિક યુગમાં ગુરુ અને શિષ્ય વચ્ચેનો અતૂટ નાતો હોવાનો ઉદાહરણો ભાગ્યે જ જોવા મળે છે. જોકે પાલનપુરના મડાણાની એક પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકને પગમાં ફ્રેક્ચર થયું હતું, જેને લીધે તેઓ પથારીવશ થઈ ગયા હતા અને શાળાએ આવી શકતા ન હતા, આ સંજોગોમાં વર્ગની વિદ્યાર્થીનીઓ તેમના ગુરુજીના ખબર અંતર પૂછવા આવી હતી.

તે સમયે શિક્ષકને જોઈ અનેક બાળકીઓ રડવા લાગી હતી, શિક્ષક પણ દીકરીઓની આ લાગણીને જોઈ ગદગદિત થઈ ગયા હતા અને ખાતરી આપી હતી કે તેઓ જલ્દીથી શાળાએ પરત ફરશે. તેમણે દીકરીઓને આ સાથે એવી પણ ખાતરી આપી કે તેમનું સ્વાસ્થ સુધરી રહ્યું છે અને તેઓ ચિંતા ન કરે.
આ અંગેનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને લોકો શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચેના આ સ્નેહની પ્રશંસા કરી રહ્યા છે.

આજના યુગમાં શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે એક માનવીય અને લાગણીસભર સંબંધ ભાગ્યે જ જોવા મળતો હતો. ત્યારે નાના ભૂલકાઓનો નિર્દોષ સ્નેહ સૌને માટે હૃદય સ્પર્શી બની ગયા હતા. ભારતીય સંસ્કૃતિ અને ભારતીય સામાજીક વ્યવસ્થામાં ગુરુ અને શિષ્ય વચ્ચેનો નાતો પ્રાચીન કાળથી જોવા મળ્યો છે. માનવ જીવનમાં સૌથી વધારે જો યાદગીરી રહેતી હોય તો તે તેમના વિદ્યાર્થી જીવનકાળની યાદો અને શિક્ષકો સાથે જોડાયેલી યાદો હોય છે.

Read Next Story