પાલનપુર/ઉદયપુરઃ રાજસ્થાનના ઉદયપુરમાં બુધવારે એક હોલટના રૂમમાં મોડાસાના એક પરિવારે ઝેરી દવા ગટગટાવી લેતા વેપારી અને તેની પત્નીનું મોત નીપજ્યું છે, જ્યારે તેના બે સગીર બાળકો હાલમાં ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મૃતક દંપતિની ઓળખ નૈનેશ હસમુખલાલ શાહ અને તેની દામિની શાહ તરીકે કરાઈ છે. જ્યારે તેમનો 15 વર્ષનો દીકરો નંદ હાલમાં ગંભીર છે જ્યારે 13 વર્ષની દીકરી રીતિની હાલત સ્થિર છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: હોટલના રેકોર્ડ મુજબ શાહ પોતાના પરિવાર સાથે બુધવારે બપોરે ઉદયપુરમાં આવ્યા હતા. તેઓ અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરના લિમડા ચોક વિસ્તારના રહેવાસી છે. ઉદયપુરના SP કૈલાશ ચંદ્ર બિશ્નોઈએ જણાવ્યું કે, ‘પ્રાથમિક દ્રષ્ટિએ સમગ્ર મામલો આત્મહત્યાનો લાગી રહ્યો છે. તેમણે કહ્યું, જોકે તેમ છતાં મૃત્યુનું કારણે હજુ સુધી જાણી શકાયું નથી. અમે તેમના સંબંધી સાથે વાત કરી હતી જેણે જણાવ્યું કે વ્યક્તિ પ્રોપર્ટી ડિલરનું કામ કરતો હતો અને કેટલાક સમયથી આર્થિક મુશ્કેલીમાં હતો.’ આ પરિવાર બુધવારે 12.15 વાગ્યે અમદાવાદ-ઉદયપુર હાઈવે પર આવેલી હોટલ હર્ષ પેલેસમાં રીક્ષામાં આવ્યો હતો. તેમણે હોટલના પહેલા ફ્લોર પર રૂમ લીધો હતો. હોટલના મેનેજરે પોલીસને કહ્યું કે, પરિવારે પહેલા એક કલાક આરામ કરવાનું કહ્યું અને બાદમાં સાઈટ સીઈંગ માટે જશે તેમ જણાવ્યું હતું. જોકે એક કલાક બાદ હોટલ સ્ટાફે તેમની દીકરીને વોમિટ કરતા સીડીથી નીચે ઉતરતા જોઈ. છોકરીએ હોટલ સ્ટાફને જણાવ્યું કે, તેણે અને સમગ્ર પરિવારે ઝેર ગટગટાવી લીધું છે. હોસ્પિટલ સ્ટાફે તેને તાત્કાલિક પરિવારને સરકારી હોસ્પિટલમાં એડમિટ કરાવ્યો, જ્યાં સારવાર દરમિયાન કપલનું મોત થઈ ગયું. મૃતદેહોને શબઘરમાં મોકલાયા છે અને સંબંધીઓને આ વિશે જાણ કરવામાં આવી છે. SP બિશ્નોઈએ જણાવ્યું કે, ‘આ પ્લાનિંગ મુજબનો આપઘાત હોય તેમ લાગી રહ્યું છે. નૈનેશે પરિવારને નાથદ્વારા દર્શન કરવા માટે જવાનું કહીને મોડાસાથી ઉદયપુર લઈ આવ્યો. સ્ટાફે છોકરીને જોઈ નહીં ત્યાં સુધી તેઓ હોટલ રૂમમાંથી બહાર જ નહોતા નીકળ્યા. હાલમાં કેસ નોંધીને અમે સમગ્ર મામલાની તપાસ કરી રહ્યા છીએ.’