એપશહેર

ડીસાઃ કોલેજમાં ભણતી દીકરીને પ્રેમજાળમાં ફસાવી રફુચક્કર થઈ ગયેલા યુવકે કરી 25 લાખની ડિમાન્ડ!

ડીસામાં રહેતી એક યુવતી કૉલેજ કરતી હતી એ સમયે અન્ય કોમના એક યુવક સાથે પરિચયમા આવી હતી. યુવક તેના ઘરે આવતો હતો અને બાદમાં યુવતીને ફસાવી હતી. એ પછી યુવતી અને તેની માતા અને ભાઈને પોતાના વશમાં કરી લીધા હતા. માતા પણ પોતાની દીકરીના લગ્ન તેની સાથે કરાવવા માગતી હતી. યુવકે ત્રણેયના ધર્મ પરિવર્તનની વાત કરીને 25 લાખ રુપિયા માગ્યા હતા. જે બાદ પિતાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

Edited byમનીષ કાપડિયા | I am Gujarat 29 Aug 2022, 12:51 pm

હાઈલાઈટ્સ:

  • ડીસામાં રહેતી યુવતી અને તેની માતા તથા ભાઈને લઈ અન્ય કોમનો યુવક ફરાર
  • ત્રણેયને ધર્મ પરિવર્તન માટે તૈયાર કરીને રુપિયા 25 લાખ માગતા પિતા ટેન્સનમાં
  • આખરે પિતાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે ખસેડાયા
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat deesa muslim youth converted hindu girl family
યુવકે યુવતીના પિતાને પણ ધર્મ પરિવર્તન કરી લેવા માટે દબાણ કર્યુ હતુ. પરિવારજનો પરત મેળવવા માટે 25 લાખ માગ્યા હતા.
પાલનપુરઃ ડીસામાંથી ધર્મ પરિવર્તન કરાવવાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અન્ય કોમના એક યુવકે યુવતીને ફસાવીને તેની માતા અને ભાઈને પણ વશમાં કરી લીધા હતા. એટલું જ નહીં યુવતી, માતા અને ભાઈને પરત કરવા માટે યુવકે રુપિયા 25 લાખની (young man converted a family) ખંડણી પણ માગી હતી. આ ઘટના બાદ યુવતીના પિતા સતત ટેન્શનમાં રહેતા હતા. તેઓ પોતાના પરિવારને પરત મેળવવા માગતા હતા પણ છેવટે પિતાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જે બાદ તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આખરે (Deesa News) આખો મામલો પોલીસ પાસે પહોંચી હતો. જે બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરીને અન્ય કોમના (Palanpur News) બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
કૉલેજ વખતે પરિચયમાં આવી હતી યુવતી
સ્થાનિક પોલીસ સ્ટેશનમાં થયેલી ફરિયાદ મુજબ, ડીસામાં રહેતી એક યુવતી કૉલેજ કરતી હતી ત્યારે એઝાજ મુસ્તુફા શેખ નામના યુવક સાથે પરિચયમાં આવી હતી. એઝાજ યુવતીના ઘરે પણ આવતો જતો હતો. એઝાજે લાલચ આપી કે અન્ય કોઈ કારણોથી યુવતીને પોતાના વશમાં કરી લીધી હતી. બાદમાં યુવતી પણ એઝાજ સાથે રહેવા માટે જીદ કરવા લાગી હતી. જેના કારણે પિતાએ એઝાજને પોતાના ઘરે ન આવવાનું કહી દીધુ હતુ. એ પછી એઝાજે યુવતીના પિતાને જણાવ્યું હતું કે, યુવતીના ફોટા અને વિડીયો મારી પાસે છે અને મેં તેને વશમાં કરી લીધી છે. એને મારી પાસે આવવા સિવાય બીજો કોઈ રસ્તો નથી.
ગોધરા કાંડમાં 4 વર્ષનો દીકરો ગુમાવનારા પરિવારને 22 વર્ષે મળ્યું વળતર, કહ્યું- 'લડત રૂપિયા માટે નહીં પણ હકની હતી'
યુવતી, માતા અને ભાઈને વશમાં કરી લીધા
એટલું જ નહીં એઝાજે યુવતીની માતા અને ભાઈને પણ વશમાં કરી લધા હતા. જે બાદ માતા એવું કહેતી હતી કે મારી દીકરીને એઝાજ સાથે જ પરણાવીશ. એઝાજે યુવતી, માતા અને તેના ભાઈના ધર્મ પરિવર્તનની પણ વાત કરી હતી. ત્યારે યુવતીના પિતાએ તેના ઘરે ગયા હતા અને પરિવારજનોને મળીને વાત સમજાવી હતી. તેમ છતા તેઓ દ્વારા ઉડાઉ જવાબ મળ્યો હતો. તેઓએ એવું કહ્યું કે, અમારો ધર્મ અંગીકાર કરે તેમાં વાંધો શું છે, એવા આક્ષેપો ફરિયાદમાં કરવામાં આવ્યા છે.

હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી
સાથે જ ચાર મહિના પહેલાં એઝાજ યુવતી, તેની માતા અને ભાઈને લઈને એક ગામમાં ભાડાના મકાનમાં રહેવા લાગ્યો હતો. બે ત્રણ દિવસ ત્યાં રહ્યા બાદ તેઓને પરત લાવવામાં આવ્યા હતા. એઝાજે અંગ્રેજીમાં કેટલાંક લખાણો તૈયાર કરાવ્યા હતા અને સહીઓ પણ કરાવી હતી. જે બાદ હાઈકોર્ટમાં પિટિશન પણ દાખલ કરવામાં આવી હતી. કોર્ટેના હુકમ બાદ યુવતી, માતા અને ભાઈને પોલીસે હાજર કર્યા હતા. ત્યારે આ લોકોએ સ્વતંત્ર રહેવાની રજૂઆત કરી હતી.
રાજસ્થાન પોલીસની વર્દી પહેરી યુવક દારુની હેરાફેરી કરતો, ચાંદખેડામાં ગેમ થઈ ગઈ
યુવક ત્રણેયને લઈ જતો રહ્યો
એ પુછી એઝાજ ત્રણેયને લઈને ક્યાંક ચાલ્યો ગયો હતો. હાલ તેઓ ક્યાં છે એ વાત પિતા જાણતા નથી. પણ તેઓને શોધવા પ્રયાસો ચાલુ રાખ્યા હતા. યુવતીના પિતાએ એઝાજના પરિવારજનો અને સંબંધીઓને પણ વિનંતી કરી. ત્યારે એવો જવાબ મળ્યો કે તમે પણ ધર્મ અંગીકાર કરી લો તો તમારો પરિવાર તમારી પાસે આવી જશે. આ લોકો વારંવાર ધર્મ પરિવર્તન કરાવવાનું દબાણ કરતા હોવાથી પિતા પણ સતત ડિપ્રેશનમાં રહેવા લાગ્યા હતા.

પિતાએ ઝેરના પારખા કર્યા
આ ઘટના બાદ શનિવારે યુવતીના પિતા પાલનપુરમાં ઝેરી દવા પી લઈ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. એટલે તેઓને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. બાદમાં વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના બાદ યુવતીના કાકાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. યુવતીના કાકાએ એજાજ મુસ્તુફા શેખ, મુસ્તુફા પાપાભાઈ શેખ, આલમ પાપાભાઈ શેખ, સત્તાર અબ્દુલ હાજી અને સોહીલ સત્તાર શેખ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે પાંચમાંથી બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
લેખક વિશે
મનીષ કાપડિયા
મનીષ કાપડિયા છેલ્લાં 13 વર્ષ કરતા પણ વધુ સમયથી પત્રકારત્વના ક્ષેત્રમાં કાર્યરત છે. કારકિર્દીની શરુઆતથી ક્રાઈમ, આર.ટી.ઓ., સ્પેશિયલ સ્ટોરીનું રિપોર્ટિંગ અને ફોટોગ્રાફીનો અનુભવ ધરાવે છે. આ સિવાય ન્યૂઝ એડિટિંગ અને પેજ મેકિંગનોનો પણ અનુભવ ખરો. ઉપરાંત ન્યૂઝ ચેનલમાં કોપી એડીટર, બુલેટિન પ્રોડ્યુસર અને શિફ્ટ હેન્ડલ કરવાનો પણ અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કૉલેજમાંથી ગ્રેજ્યુએશન (બી.એ.) કર્યુ છે. ત્યારબાદ ગૂજરાત વિદ્યાપીઠમાંથી માસ્ટર ઓફ જર્નલિઝમ કર્યા પછી પત્રકારાત્વના ક્ષેત્રમા્ં જોડાયા. તેઓ સંદેશ, ગુજરાત સમાચાર, સંદેશ પૂર્તિ જેવા અખબારો તથા જીએસટીવી, વીટીવી, બુલેટિન ઈન્ડિયા જેવી ન્યૂઝ ચેનલ સાથે પણ કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story