એપશહેર

સામ્રાજ્ય ફાર્મહાઉસ હત્યાકાંડ: ખાવા-પીવાની પાર્ટીને લઈને થયો હતો ઝઘડો

'આ કઈ પાર્ટી નથી...આનાથી સારી હું આપું'ની બબાલે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને પ્રવીણ માણીયાની હત્યા થઈ હોવાનું હાલની તપાસે જણાઈ રહ્યું છે: પોલીસ

I am Gujarat 21 Sep 2021, 1:55 pm

હાઈલાઈટ્સ:

  • શુક્રવારે રાતે દારૂની મહેફિલ દરમિયાન પ્રવીણ માણીયાની હત્યા કરવામાં આવી હતી
  • તપાસના ભાગરૂપે સીસીટીવી એફએસએલમાં મોકલાયા હોવાનું પોલીસે જણાવ્યું છે
  • પ્રવીણ માણીયાની હત્યા કરી ફરાર થયેલા મુખ્ય આરોપીઓ હજી પોલીસ પકડથી દૂર
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat 3
ગાંધીનગર: ગાંધીનગર ખાતે સામ્રાજ્ય ફાર્મહાઉસમાં જમીન દલાલ પ્રવીણ માણીયા હત્યા કેસમાં પોલીસ તપાસ ચાલી રહી છે. જેમાં લેટેસ્ટ અપડેટ મુજબ સામ્રાજ્ય ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ માણવા ભેગા થયેલા મિત્રો વચ્ચે ખાવા-પીવાની પાર્ટીને લઈને બોલાચાલી થઈ હતી અને ઝઘડો ઉગ્ર બનતા પ્રવીણ માણીયાની હત્યા કરવામાં આવી હોવાનું હાલ સેવાઈ રહ્યું છે તેવું ગાંધીનગર સેક્ટર- 7 પોલીસ સ્ટેશનના પીઆઈએ જણાવ્યું છે.
સેક્ટર-7 પોલીસ સ્ટેશનના પીઆઈ ચૌધરીએ iamgujarat.com સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે, હજી કઈ ક્લીયર નથી થયું. બે મુખ્ય આરોપી હજી પકડાયા નથી. હાલ તો ખાવા-પીવાની પાર્ટી આપવા બાબતનું કારણ જણાઈ રહ્યું છે. 'આ કઈ પાર્ટી નથી, એનાથી સારી હું આપું', તે બાબતે બોલાચાલી થતાં આરોપીઓ ઉગ્ર બન્યા અને ફાયરિંગ કર્યું હોવાનું હાલ જણાઈ રહ્યું છે. તપાસના ભાગરૂપે ફાર્મહાઉસની સીસીટીવી FSLમાં મોકલ્યા છે અને ક્લીયર થઈને આવશે.
ગાંધીનગર જમીન દલાલ હત્યાકેસ: હિસાબની ચર્ચાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું!
બંને મુખ્ય આરોપી હજી પોલીસ પકડથી દૂર
વાસણા હડમતિયાના સામ્રાજ્ય ફાર્મહાઉસમાં શુક્રવારની મોડી રાત્રે 8 મિત્રોની દારૂની મહેફિલ ચાલી હતી. જેમાં મૃતક પ્રવીણ માણિયા અને તેમના મિત્રો જયદીપસિંહ સોનુસિંહ ગોહિલ, તરૂણસિંહ અશોકસિંહ ઝાલા, હરપાલસિંહ જશવંતસિંહ સરવૈયા, જનક અનકભાઇ વિંછીયા, સંતોષ સોડાભાઇ ચોસલા, મોહિત અમરતભાઇ રબારી અને જયરાજસિહ દિગ્વિજયસિંહ રાણા હાજર હતા. બાદમા સામાન્ય બબાલમા જયદીપસિંહ અને તરૂણસિંહ ઝાલાએ પ્રવીણ માણીયા પર ફાયરિંગ કરીને મોતને ઘાટ ઉતાર્યા હતા. જો કે, હાલ બંને મુખ્ય આરોપીઓ પોલીસ પકડથી દૂર છે.

પ્રવીણભાઈ માણીયાની ગોળી મારીને હત્યા
પ્રાપ્ત અહેવાલો અનુસાર સમગ્ર મામલે FSLની ટીમ હત્યાકાંડવાળી ઓફિસની લંબાઈ પહોળાઈ માપવા માટે સામ્રાજય ફાર્મ હાઉસ પર પહોંચી હતી. આ ઉપરાંત પોલીસ ફાર્મહાઉસના સીસીટીવીના આધારે પણ તપાસ કરી રહી હોવાનું જાણવા મળ્યું છે. સરગાસણમાં વૈભવી ફ્લેટમાં રહેતા પાટીદાર સમાજમાં આગવી ઓળખ ધરાવતા કોંગ્રેસ અગ્રણી પ્રવીણભાઈ માણીયાની ગોળી મારી થયેલી નિર્મમ હત્યા થતાં પરિવારજનો આઘાતમાં છે.
ગાંધીનગર: દારૂની મહેફિલમાં મિત્રો વચ્ચે માથાકુટ થતાં એકની ગોળી મારીને હત્યા
કોંગ્રેસના અગ્રણી હતા પ્રવીણભાઈ માણીયાગાંધીનગરમાં સ્થાયી થયેલા પ્રવીણભાઈ રાજકીય રીતે કોંગ્રેસ સાથે સંકળાયેલા હતા. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર તેઓ અગાઉ બે વાર કોંગ્રેસમાંથી ભાવનગર જિલ્લા પંચાયતની ચૂંટણી લડ્યા હતા પરંતુ તેઓ હારી ગયા હતા. તેમના પરિવારમાં પત્ની અને બે સંતાનો છે. જેમાંથી દીકરીના લગ્ન થઈ ચૂક્યા છે અને તે અમેરિકામાં સ્થાયી થયેલી છે. જ્યારે દીકરો સરગાસણમાં રહે છે. એટલું જ નહીં, તેમના ફાર્મહાઉસમાં પાટીદાર આંદોલનની બેઠકો પણ યોજાતી હતી.

Read Next Story