એપશહેર

સોસાયટીમાં પાણી ભરાવાના મુદ્દે મોડાસામાં બબાલ

TNN 28 Jul 2017, 8:42 am
અમદાવાદસોસાયટીમાં પાણી ભરાઈ જવાના મુદ્દાએ મોડાસામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. રોષે ભરાયેલા લોકોએ મ્યુનિસિપાલિટી સામે આક્રોશ વ્યક્ત કરવા રસ્તા બ્લોક કરી દેતા અરવલ્લી જિલ્લા પોલીસે લાઠી ચાર્જ અને ટીયર ગેસનો સહારો લેવો પડ્યો હતો. આ વિસ્તારની વિવિધ સોસાયટીઓમાં ભરાઈ ગયેલા પાણી ઉતારવાનુ કામ મ્યુનિસિપાલિટી સાવ ગોકળગાય ગતિએ આગળ ધપાવતી હોવાથી અનેક સોસાયટીના લોકો ભેગા મળીને ધનસુરા-મોડાસા હાઈવે પર ઉતરી આવ્યા હતા અને મ્યુનિસિપાલિટી સામે વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધને કારણે રસ્તા પર ખૂબ જ ટ્રાફિક જામ થઈ ગયો હતો. પોલીસે તેમને મ્યુનિસિપાલિટીમાં જઈને ચીફ ઑફિસરને મળવાની સલાહ આપી હતી.સૂત્રોના જણાવ્યા મુજબ ડુંગરવાડા ચાર રસ્તા પાસે રહેતતા લોકો ત્રણ દિવસથી તેમની સોસાયટીમાં ભરાઈ ગયેલા પાણીથી ત્રાસી ગયા હતા. અનેક વાર રજૂઆત છતાંય મ્યુનિસિપાલિટીએ કોઈ પગલા ભર્યા નહતા. અરવલ્લીના સુપ્રિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ કે.એન ડામોર જણાવે છે, “અમે તેમને જણાવ્યું કે તેમની પાસે મુખ્ય રસ્તા પર બેસીને વિરોધ કરવાની કોઈ પરમિશન નથી. અમે તેમને ખસેડવાની કોશિશ કરી ત્યારે ટોળાએ અમારા પર પથ્થરમારો કર્યો હતો. અમારી ટીમના એક પોલીસકર્મીને માથામાં ઈજા પણ થઈ હતી.”પોલીસે પછી લાઠીચાર્જ કરવો પડ્યો હતો અને ટોળાને વિખેરવા માટે છ જેટલા ટિયર ગેસ છોડવા પડ્યા હતા. ડામોરે જણાવ્યું કે અમે 1500 જેટલા લોકો સામે ફરિયાદ દાખલ કરી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો