એપશહેર

પતિને અંધારામાં રાખીને પત્નીએ ખેલ્યો છૂટાછેડાનો ખેલ, બીજે પરણી પણ ગઈ

I am Gujarat 24 Jan 2021, 11:44 am
બનાસકાંઠાના દિયોદરમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બોગસ ડોક્યુમેન્ટ બનાવી પત્નીએ પતિ પાસેથી છૂટાછેડા લઈ બીજાને પરણી હતી. પરિણીત મહિલાએ તેના પતિની જાણ બહાર ખોટી સહી કરી છૂટાછેડા લીધા હતા. જોકે, પત્નીને સાસરે લેવા જતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો.
I am Gujarat wife divorce husband by forging bogus documents and married to another person
પતિને અંધારામાં રાખીને પત્નીએ ખેલ્યો છૂટાછેડાનો ખેલ, બીજે પરણી પણ ગઈ


આ અંગે મળતી માહિતી પ્રમાણે, દિયોદરના ફોરણા ગામની પરિણીતા 21 ડિસેમ્બરના રોજ પિયરમાં જવાનું કહીને ગઇ હતી. પત્ની તેના પતિની જાણ બહાર પતિના તમામ ડોક્યુમેન્ટ લઈ વકીલ મારફતે બોગસ દસ્તાવેજો બનાવીને છૂટાછેડા લઈ લીધા હતા. જે બાદ તેણે તેની જ જ્ઞાતિના અન્ય શખ્સ સાથે બીજા લગ્ન કરી દીધા હતા. ફોરણા ગામે રહેતા વિક્રમભાઈ રમાભાઇ ચૌધરીના લગ્ન ત્રણ વર્ષ પહેલા કાંકરેજ તાલુકાના ખોડા ગામે રહેતી મોંઘીબેન ચૌધરી સાથે સમાજના રીતરિવાજ મુજબ થયા હતા.

21 ડિસેમ્બરના રોજ મોંઘીબેન પોતાના પિયરમાં જવાનું કહીને નીકળી હતી. ત્યારે બીજા દિવસે તેમની પત્ની તેમને રસ્તામાં મળી હતી, ત્યારે તેણે પતિને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે તે ઘરે પાછી નહિ આવે. આ વાક્યો સાંભળીને પતિ શોક્ડ થઈ ગયો હતો. તેણે ઘરે જઈને પોતાના પરિવારને વાત કરી હતી. આ અંગે વાત મોંઘીબેનના પરિવાર સુધી પહોંચી ત્યારે જાણવા મળ્યું કે, તેણે છૂટાછેડાના ખોટા કાગળો બનાવીને તેના પર પતિની સહી લઈ લીધી હતી. વિક્રમભાઈએ સમગ્ર ઘરમાં તપાસ કરતાં પત્ની તમામ ડોક્યુમેન્ટ પોતાની સાથે લઈ ગઈ હતી. અને પતિને અંધારામાં રાખી વકીલ મારફતે બોગસ સ્ટેમ્પ કરી છૂટાછેડા લઈ લીધા હતા.

પતિએ વધુ તપાસ કરી તો તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. કારણ કે, છૂટાછેડા લઈને પત્નીએ બીજે સંસાર પણ માંડી લીધો હતો. પત્નીએ બીજે લગ્ન કરી લીધા હતા. મહિલાએ દિયોદર તાલુકાના છાપરા ગામના ભરત ચૌધરી સાથે બીજા લગ્ન કર્યા હતા. જોકે, આ વાતથી વિક્રમ ચૌધરી અને તેનો પરિવાર સાવ અજાણ હતો. તેને અંધારામાં રાખીને પત્નીએ આખો ખેલ ખેલ્યો હતો.

પતિએ સમગ્ર મામલે પત્ની અને તેની સાથે લગ્ન કરનાર ઈસમ, નોટરી અને સાક્ષી સામે પોલીસ ફરિયાદ કરી છે. હાલ તો સમગ્ર મામલે પોલીસે પતિની ફરિયાદ લઇ તપાસ હાથ ધરી છે. ભરત ચૌધરીએ ફરિયાદમાં લખાવ્યું કે, મારા પત્ની મોંઘીબેન એ મારી જાણ બહાર અમારા સમાજના જ એક યુવક સાથે પુનર્લગ્ન કરી દીધેલ છે જે અંગેની જાણ મને 22 ડિસેમ્બર 2020 ના રોજ થઇ હતી પરંતુ સામાજિક રીતે સમાધાન થઇ મારી પત્ની મને પરત મળે તે હેતુસર રાહ જોયા બાદ સમાધાન ન થતાં આખરે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

પતિએ પોલીસ સ્ટેશનમાં મોંઘીબેન કાળાભાઈ ચૌધરી, ભરત મેઘાભાઈ ચૌધરી, આર કે બારોટ એડવોકેટ તથા પ્રતાપભાઈ બી ઠાકોર સામે ફરિયાદ નોંધાવી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો