એપશહેર

CAA પર ચર્ચા માટે કોઈ પણ આવી શકે છે, ત્રણ દિવસમાં આપીશ સમયઃ અમિત શાહ

નવરંગ સેન | TNN 13 Feb 2020, 10:33 pm
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે જેને પણ નાગરિકતા સુધારા કાયદા (સીએએ)ને લઈને વાંધો છે તેની સાથે તેઓ વાત કરવા માટે તૈયાર છે. શાહે કહ્યું છે કે આવનારા લોકોને ત્રણ દિવસનો સમય આપવામાં આવશે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરોસીએએને લઈને દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે પરંતુ અમિત શાહે કહ્યું છે કે આપણે તે પણ જોવાની જરૂર છે કે આ પ્રદર્શન કોના દ્વારા અને કયા સ્તર પર થઈ રહ્યા છે. મને આજ સુધી એવો કોઈ વ્યક્તિ નથી મળ્યો જે મને સમજાવી શકે કે સીએએની કઈ જોગવાઈ અંતર્ગત આ એન્ટી-મુસ્લિમ લાગે છે. આ વિરોધ ફક્ત ભાજપના નામ પર થઈ રહ્યો છે.શાહે કહ્યું છે કે આશંકાના નામે આંદોલન થતાં નથી, જ્યારે એનઆરસી આવશે ત્યારે આ લોકોએ વિરોધ કરવો જોઈતો હતો. અમિત શાહે તે પણ સ્પષ્ટ કર્યું છે કે ગત કોંગ્રેસ અને જનતા પાર્ટીની સરકારો હિંદુઓ અને શિખોને લોંગ ટર્મ વિઝા આપી ચૂકી છે. તેની શરૂઆત 30 માર્ચ 1964થી શરૂ થઈ ચૂકી હતી, ત્યારે ભાજપ સત્તામાં ન હતી. આ કામ કોંગ્રેસ કરે છે ત્યારે તે સેક્યુલર છે અને ભાજપ કાયદો બનાવે છે તો ખોટો થઈ જાય છે.સીએએ આવ્યા બાદ પાકિસ્તાનથી આવેલા લઘુમતી સમુદાયના 74 લોકોને રાજસ્થાનના જોધપુર અને જૈસલમેરના કલેક્ટરે નાગરિકતા આપી છે. ત્યાં કોંગ્રેસ પાર્ટીની સરકાર છે. શાહે કહ્યું છે કે અમારું મન શુદ્ધ છે, અમે ક્યારેય પણ ધર્મના નામે ભેદભાવ કર્યો નથી. સીએએમાં કોઈ એવી જોગવાઈ નથી જે મુસ્લિમોની નાગરિતા છીનવી શકે. આ દેશનું વિભાજન કોંગ્રેસ પાર્ટીએ ધર્મના આધારે કર્યું છે.શાહે કહ્યું છે કે મહાત્મા ગાંધીએ 12 જૂલાી 1947ના રોજ કહ્યું હતું કે જે લોકોને પાકિસ્તાનથી ભગાડવામાં આવી રહ્યા છે તેમને ખ્યાલ હોવો જોઈએ કે તેઓ સંપૂર્ણ પણે ભારતના નાગરિક છે. તેમને ખ્યાલ આવવો જોઈએ કે તેઓ ભારતની સેવા કરવા માટે જન્મ્યા છે તેથી ભારત તેમને સ્વીકારવા માટે તૈયાર છે. તેણે કહ્યું હતું કે સીએએને લઈને જેને પણ કોઈ વાંધો હોય તે અમારી પાસે આવે, અમે ત્રણ દિવસનો સમય આપીશું. શાંતિપૂર્ણ વિરોધ કરવો તમામ લોકોનો અધિકાર છે અને અમે તેમનું સમર્થન કરીએ છીએ.સીએએ પર સવાલો ઉઠાવનારા લોકોથી હું પૂછવા ઈચ્છું છું કે પાકિસ્તાનમાં લઘુમતીઓની 30 ટકા વસ્તી ઘટીને ત્રણ ટકા પર કેવી રીતે આવી ગઈ છે. તે લોકો ક્યાં જતા રહ્યા. તે લોકોને મારી નાંખવામાં આવ્યા કે ધર્મ પરિવર્તન કરી દેવામાં આવ્યું કાં તો તેઓ ભારતી શરણમાં આવી ગયા છે. જ્યારે ભારતમાં લઘુમતીની સંખ્યા ઘટી નથી પરંતુ તેમાં વૃદ્ધિ થઈ છે, તેમ અમિત શાહે જણાવ્યું હતું.
લેખક વિશે
નવરંગ સેન
નવરંગ સેન 2013થી ટાઈમ્સ ગ્રુપ સાથે સંકળાયેલા છે. ડિજિટલ જર્નાલિઝમમાં 14 વર્ષનો અનુભવ ધરાવતા નવરંગ સેને અગાઉ દિવ્ય ભાસ્કર તેમજ GSTVમાં કામ કર્યું છે. અર્થકારણ, રાજકારણ તેમજ ટેક્નોલોજી અને ઓટોમોબાઈલ તેમના રસના વિષય છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો