એપશહેર

રાજકોટઃ ભાજપ નેતા પરેશ રાવલે ભાંગરો વાટ્યો, કરણી સેના કરશે પૂતળાદહન

Yogesh Gajjar | I am Gujarat 25 Nov 2017, 10:34 pm
I am Gujarat paresh raval compares kings with a monkeys during bjp office inauguration in rajkot
રાજકોટઃ ભાજપ નેતા પરેશ રાવલે ભાંગરો વાટ્યો, કરણી સેના કરશે પૂતળાદહન


રાજકોટમાં પરેશ રાવલની લપસી જીભ

શનિવારે સાંજે રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ પર ભાજપના કાર્યલાયનું ઉદ્ઘાટન કરવા બોલિવુડના જાણીતા એકટર પરેશ રાવલ પહોંચ્યા હતા. ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે પરેશ રાવલની જીભ લપસી હતી અને તેમણે રાજા મહારાજાઓને વાંદરા સાથે સરખાવી દીધા હતા. જે બાદ ભારે ધમાલ મચી ગઈ છે. હાલમાં પરેશ રાવલનો રાજકોટના પ્રવચનની વિડિયો ક્લિપ ભારે વાઈરલ થઈ રહી છે.

આવતીકાલે કરાશે પૂતળા દહન

હકિકતમાં કાર્યાલયના ઉદ્ધાટન માટે આવેલા પરેશ રાવલ સરદાર પટેલે દેશને એક કરવા માટે કરેલા કાર્યોની વાત કરી રહ્યા હતા. જેમાં તેમણે દેશના રાજાઓની સરખામણી વાંદરાઓ સાથે કરી હતી. જે બાદ કરણી સેનાએ ગુજરાતમાં આજે (રવિવારે) ભાજપ સાંસદ પરેશ રાવલના પૂતળા દહનનું એલાન આપ્યું છે.

પરેશ રાવલે શું કહ્યું સાંભળો…

ઉલ્લેખનીય છે કે પરેશ રાવલ અમદાવાદ પૂર્વના સાંસદ છે અને હાલમાં વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે ગુજરાતમાં છે. અને શનિવારે રાજકોટ ખાતે પહોંચ્યા હતા. પરેશ રાવલે શું કહ્યું સાંભળો…https://www.youtube.com/watch?v=sz2IKqjhdJ0&feature=youtu.be

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો