અમદાવાદ: ગુજરાતના વડનગરમાં ચાની જે દુકાન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના બાળપણમાં ચા વેચતા હતા, તેને કેન્દ્ર સરકારે નવું રૂપ આપવાનો નિર્ણય લીધો છે. હવે આ જગ્યા પર્યટન સ્થળ બનાવાય તેવી શક્યતા છે. વડનગર રેલવે સ્ટેશનના એક પ્લેટફોર્મ પર ચાની આ દુકાન છે. મહેસાણા જિલ્લામાં આવેલા મોદીના જન્મસ્થળ વડનગરને દુનિયાના નક્શા પર લાવવાની વ્યાપક પરિયોજના અંતર્ગત ચાની આ દુકાનને પર્યટન કેન્દ્રમાં ફેરવવાની યોજના છે.
કેન્દ્રિય મંત્રી મહેશ શર્માએ લીધી હતી મુલાકાત
સંસ્કૃતિ અને પર્યટન મંત્રાલય અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (એએસઆઈ)ના અધિકારીઓએ રવિવારે શહેરની મુલાકાત લીધી હતી. અધિકારીઓની ટીમની આગેવાની કેન્દ્રિય મંત્રી મહેશ શર્માએ કરી, જેમણે બાદમાં જાહેરાત કરી કે તેને આધુનિક સ્વરૂપ આપતા તેને મૂળ સૌંદર્યને સંરક્ષિત રાખવામાં આવશે. શર્માએ ગાંધીનગરમાં પત્રકારોને જણાવ્યું કે, ‘આપણા વડાપ્રધાનનું જન્મસ્થળ હોવાની સાથે જ વડનગર એક મહત્વપૂર્ણ ઐતિહાસિક કેન્દ્ર છે, જ્યાં પ્રસિદ્ધ શર્મિષ્ઠા તળાવ અને એક વાવડી છે. એએસઆઈને હાલમાં જ ત્યાં ખોદકામ દરમિયાન એક બૌદ્ધ મઠના અવશેષ મળ્યા હતા. ઉત્ખનન કાર્ય હજુ પણ ચાલી રહ્યું છે.’
વડનગર અને આસપાસના ઐતિહાસિક સ્થળોને વિકસાવાશે
વડનગર રેલવે સ્ટેશનની ફાઈલ તસવીર 2014ની લોકસભા ચૂંટણીઓથી પહેલા મોદી સભાઓમાં અવાર-નવાર એ વાતનો ઉલ્લેખ કરતા હતા કે તેઓ નાનપણના દિવસોમાં વડનગર રેલવે સ્ટેશન પર પોતાના પિતાની સાથે ચા વેચતા હતા. શર્માએ કહ્યું કે, ‘વડનગર રેલવે સ્ટેશનમાં એક નાની ચાની દુકાન છે, જ્યાંથી વડાપ્રધાને પોતાની જીવન યાત્રા શરૂ કરી હતી. અમે એ ચાની દુકાનને પર્યટન સ્થળ તરીકે વિકસાવવા માગીએ છીએ. હમે ટી સ્ટોલને આધુનિક સ્વરૂપ આપવાની સાથે તેના મૂળ સૌંદર્યને પણ સંરક્ષિત રાખીશું. અમારો ઉદ્દેશ્ય વડનગરને વિશ્વ પર્યટનના નક્શા પર લાવવાનો છે.’ અમદાવાદ મંડળના ડીઆરએમ દિનેશ કુમારે પણ પહેલા કહ્યું હતું કે, વડનગર અને મહેસાણા જિલ્લામાં તેની આસપાસના વિસ્તારોના વિકાસની સંપૂર્ણ પરિયોજના 100 કરોડ રૂપિયાથી વધુ હશે. કુમારે કહ્યું હતું કે, ‘વડનગર રેલવે સ્ટેશનનો વિકાસ તેમજ વડનગર, મોઢેરા અને પાટણને પર્યટન સ્થળો તરીકે વિકસિત કરવાની 100 કરોડ રૂપિયાની પરિયોજનાનો એક ભાગ છે. હાલમાં પર્યટન મંત્રાલયે રેલવે સ્ટેશનના વિકાસ માટે રાજ્ય પર્યટન વિભાગને આઠ કરોડ રૂપિયા આપ્યા છે.’
વિપુલ પટેલ છેલ્લા 19 વર્ષ કરતા વધુ સમયથી પત્રકારના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતમાં ક્રાઈમ, કોર્ટ અને મ્યુનિસિપલ કોર્પોરેશનનું રિપોર્ટિંગ કરવા ઉપરાંત તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો પણ બહોળો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન (બીએ વિથ ઈંગ્લિશ) કર્યું છે. ત્યારબાદ ડિપ્લામા ઈન જર્નાલિમઝ કરી પત્રકારના ક્ષેત્રમાં જોડાયા. તેઓ વેસ્ટર્ન ટાઈમ્સ, આજકાલ, સંદેશ અને દિવ્ય ભાસ્કર જેવા અખબારોમાં એડિટિંગનું કામ અને દિવ્ય ભાસ્કરની વેબસાઈટમાં પણ કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.