એપશહેર

અમરનાથ યાત્રા પર ગયેલા ગુજરાતી યુવકનું મોત, વિમાનમાં વતન લવાયો મૃતદેહ

15મી જુલાઇએ પાટણના ચાર મિત્ર હાર્દિક રામી, આશિત તન્ના, નિશુ ઠક્કર અને ક્રિશ પ્રજાપતિ અમરનાથ યાત્રા માટે રવાના થયા હતા. મંગળવારે બર્ફાની બાબાની ગુફાથી 10 કિમી દૂર જ પહોંચ્યા હતા કે, હાર્દિક રામી તબિયત લથડી અને ઘોડા ઉપર જ ઢળી પડ્યો હતો. આ જોઈને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને મેડિકલ સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યું હતુું.

Edited byદીપક ભાટી | I am Gujarat 21 Jul 2022, 6:03 pm
પાટણ: ચારધામ યાત્રા દરમિયાન સેંકડો લોકોના મોતના થયા છે, ત્યારે અમરનાથ યાત્રા પર ગયેલા પાટણના એક યુવકના મોતના સમાચાર મળ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર પાટણના ચાર યુવક અમરનાથ દર્શન કરવા ગયા હતા. દરમિયાન હાર્દિક રામી નામના યુવકનું ઓક્સિજન લેવલ ઘટી ગયું હતું અને તેને શ્વાસની તકલીફ ઊભી થતાં તે ઘોડા પર જ ઢળી પડ્યો હતો. અમરનાથ યાત્રા દરમિયાન મોત થયું હોવાથી હાર્દિકનો મૃતદેહ સરકારની મદદથી શ્રીનગરથી અમદાવાદ ખાતે લવાયો હતો. જ્યાંથી પાટણ પહોંચતા પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો છે.
I am Gujarat Patan News
મૃતક યુવક હાર્દિક રામીની મોત પહેલાની તસવીર


મૂળ પાટણના યુવકનું મોત થયું
મીડિયા રિપોર્ટ અનુસાર 15મી જુલાઇએ પાટણના ચાર મિત્ર હાર્દિક રામી, આશિત તન્ના, નિશુ ઠક્કર અને ક્રિશ પ્રજાપતિ અમરનાથ યાત્રા માટે રવાના થયા હતા. મંગળવારે બર્ફાની બાબાની ગુફાથી 10 કિમી દૂર જ પહોંચ્યા હતા કે, હાર્દિક રામી તબિયત લથડી અને ઘોડા ઉપર જ ઢળી પડ્યો હતો. આ જોઈને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને મેડિકલ સારવાર મળે તે પહેલા જ મોત થતાં મૃતદેહને સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો.

સરકારની મદદથી મૃતદેહ વતન લવાયો
ઘટના અંગે પાટણના લોકો પાસેથી જાણવા મળ્યું છે કે, હાર્દિકનું મોત થયું ત્યારે તેના મિત્રો તેનાથી થોડે દૂર હતા. જો કે, બનાવની જાણ થતાં તેઓ પણ તાત્કાલિક દોડી આવ્યા હતા અને પરિવારને જાણ કરી હતી. બાદમાં હાર્દિકનો મૃતદેહ પોલીસને સોંપવામાં આવ્યો અને પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું અને ત્યાંથી ડેડબોડીને સરકારની મદદથી વિમાન મારફતે પહેલા અમદાવાદ અને ત્યાંથી રોડ માર્ગે પાટણ લાવવામાં આવ્યો હતો.

પરિવાર માથે આભ ફાટી પડ્યું
વ્હાલસોયા દીકરાનો મૃતદેહ જોઈને પરિવાર, સગા સંબંધીઓ અને સ્થાનિકોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ત્યારબાદ હાર્દિકના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ વખતની ચારધામ યાત્રામાં અનેક ગુજરાતીઓ મોતને ભેટ્યા હોવાનું જાણવા મળ્યું છે.
લેખક વિશે
દીપક ભાટી
દીપક ભાટી છેલ્લા 7 વર્ષથી પત્રકારના ક્ષેત્રમાં છે. તેઓ ગુજરાત હાયપર-લોકલ, ક્રાઈમ અને પોલિટિકલ ન્યૂઝ-સ્ટોરી લખવા ઉપરાંત એડિટિંગનો અનુભવ ધરાવે છે. તેમણે પોતાનું ગ્રેજ્યુએશન BA (Psychology)કર્યું છે. ત્યારબાદ ડિપ્લોમાં ઈન જર્નાલિઝ્મ કરીને મીડિયા ફિલ્ડમાં જોડાયા. તેઓ સંદેશ (ન્યૂઝ ચેનલ), દિવ્ય ભાસ્કર (Digital)માં કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story