એપશહેર

લો બોલો! પાંચ વર્ષ સુધી શાળામાં ગેરહાજર રહેનારા ભીખા પટેલ હવે અન્ય શિક્ષકોને તાલીમ આપશે

પાટણના ગઢા ગામની સરકારી શાળામાં એક શિક્ષક પાંચ વર્ષથી હાજર નથી થતા. એમ કહી શકાય કે નિમણૂક થઈ ત્યારપછી એક પણ દિવસ તેઓ વિદ્યાર્થીઓને ભણાવવા શાળાએ આવ્યા નથી. અનેક ફરિયાદો કર્યા પછી આખરે મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો. પરંતુ આ શિક્ષક વિરુદ્ધ કાર્યવાહી થવાને સ્થાને ઉપરથી તેમનું પ્રમોશન કરવામાં આવ્યું છે.

Edited byZakiya Vaniya | TNN 20 Sep 2022, 9:19 am
અમદાવાદ- રાજ્ય સરકાર સંચાલિત પ્રાથમિક શાળાના એક શિક્ષક જે પાછલા પાંચ વર્ષથી શાળાનું પગથિયું નથી ચઢ્યા તેમની વિભાગ તરફથી બઢતી કરવામાં આવી છે. સામાન્યપણે આ પ્રકારની લાપરવાહી બદલ જે તે કર્મચારી પર કાર્યવાહી થતી હોય છે, પરંતુ અહીં આ શિક્ષકને ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ(GCERT) ખાતે તાલીમ માટે પસંદ કરવામાં આવ્યા છે. ટૂંકમાં, હવે આ શિક્ષક અન્ય શિક્ષકોને તાલીમ આપશે.
I am Gujarat bhikha patel
ગ્રામ પંચાયતે મુખ્યમંત્રીને પત્ર લખી ફરિયાદ કરી.


રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા વિવાદાસ્પદ પ્રમોશન મેળવનારા આ શિક્ષકનું નામ ભીખા પટેલ છે. આ પહેલા પાટલ જિલ્લાના ગઢા ગામમાં આવેલી સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે તેમની નિમણૂક કરવામાં આવી હતી. આ જ વર્ષે 18મી જુલાઈના રોજ, ગ્રામ પંચાયત તરફથી મુખ્યમંત્રીને પત્ર લખીને શિક્ષક વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદ અનુસાર, 21 એપ્રિલ 2017ના રોજ તેમની નિમણૂક થઈ હતી પરંતુ એક પણ દિવસ તેઓ શાળાએ આવ્યા નહોતા.

એક સાંધેને તેર તૂટે તેવી સ્થિતિઃ ચૂંટણી નજીક આવીને ઉભી છે ત્યારે આંદોલન બેકાબૂ!
પત્રમાં લખવામાં આવ્યું કે, ગ્રામ પંચાયત તરફથી તાલુકા અને જિલ્લાના શિક્ષણ અધિકારીઓનો સંપર્ક કરવામાં આવ્યો પરંતુ ભીખા પટેલ વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવી. પત્રમાં મુખ્યમંત્રીને વિનંતી કરવામાં આવી હતી કે હવે તેઓ આ બાબત પર ધ્યાન આપે અને શિક્ષક વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવે. પરંતુ અહીં તો અલગ જ પરિણામ સામે આવ્યું. શિક્ષક વિરુદ્ધ પગલાં તો ના લેવાયા, ઉપરથી રાજ્યના શિક્ષણ વિભાગ તરફથી તેમની નિમણૂક તાલીમ કેન્દ્રમાં કરી દેવામાં આવી.

પાટણના જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ 16મી સપ્ટેમ્બરના રોજ ભીખા પટેલની આ GCERT ખાતે નિમણૂકનો ઓર્ડર મોકલ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભીખા પટેલને જે નવું પદ આપવામાં આવ્યું છે તે કોઈ કાર્યવાહી કે સજા નહીં ઈનામ હોય તેમ લાગી રહ્યું છે. હવે તેમની પાસે ઘણી સત્તા હશે. આટલુ જ નહીં, સૂત્રોનું કહેવું છે કે શિક્ષકો જ્યારે સરકારનો વિરોધ કરી રહ્યા હતા ત્યારે સમાધાન કરાવવામાં ભીખા પટેલનો મહત્વનો ફાળો હતો અને કથિત ધોરણે સરકારે તેનું જ ઈનામ આપ્યું છે.

માલધારીઓ સામે ઝૂકી રાજ્ય સરકાર! ઢોર નિયંત્રણ કાયદો રદ કરવામાં આવે તેવી શક્યતા
ઉલ્લેખનીય છે કે ભીખા પટેલ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ છે. આ શિક્ષકોનું એક ગ્રુપ છે, જે ગત શુક્રવારના રોજ સરકાર સાથે સમાધાન કરવા પહોંચ્યુ હતું અને માસ લીવના અભિયાનને રદ્દ કરવાનો નિર્ણય લીધો હતો. ઉલ્લેખનીય છે કે જૂની પેન્શન યોજના ફરીથી લાગુ કરવા સહિતની વિવિધ માંગ સાથે શિક્ષકો વિરોધ કરી રહ્યા છે અને તેમણે એક સાથે રજા પર ઉતરવાની પણ યોજના ઘડી હતી.

Read Latest Patan News And Gujarati News

Read Next Story