એપશહેર

રાજકોટઃ સિવિલના ડોક્ટરની ભાવનગર બદલી થતાં 10 સાથી તબીબો નારાજ, આપ્યા રાજીનામા

મિત્તલ ઘડિયા | TNN 29 May 2020, 7:57 am
રાજકોટઃ શહેરની પંડીત દિનદયાળ ઉપાધ્યાય (PDU)મેડીકલ કોલેજના અસોસિએટ પ્રોફેસર ડો. એસ.કે. ગઢવીચારણની ટ્રાન્સફર થતાં મેડિસિન વિભાગના 10 ડોક્ટરો નારાજ થયા હતા અને ગુરુવારે સાંજે તેમણે રાજીનામું ધરી દીધું હતું.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: કોરોના વાયરસના કારણે ગઢવીચારણની ટ્રાન્સફર ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં કરાતા ડોક્ટરોએ વિરોધ નોંધાવ્યો હતો. જો કે, તેમની અચાનક ટ્રાન્સફર કરવાનું કોઈ કારણ નહોતું. ગઢવીચારણ સીક લીવ પર હતા ત્યારે જ તેમને ટ્રાન્સફર ઓર્ડર મળ્યો હતો.ગઢવીચારણની બદલી કરાઈ હોવાની વાત ફેલાતા જ મેડિસિન વિભાગના ડોક્ટરોએ વિરોધ નોંધાવ્યો હતો અને હોસ્પિટના સત્તાધીશોને રાજીનામું આપી દેવાની ચીમકી ઉચ્ચારી હતી.ગુરુવારે મોડી સાંજે રાજીનામું ધરી દેનાર 10 ડોક્ટરોમાં મેડિસિન વિભાગના ચાર અસોસિએટ પ્રોફેસર અને છ આસિસ્ટન્ટ પ્રોફેસર સામેલ છે.અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાતચીત કરતાં PDUના ડીન ડો. ગૌરવી ધ્રુવે આ વાતની પુષ્ટિ કરી હતી. ‘તે લોકોએ રાજીનામું કેમ આપ્યું તેની મને જાણ નથી. વધારે માર્ગદર્શન માટે મેં તેમના રાજીનામા ગાંધીનગરમાં રાજ્યના આરોગ્ય વિભાગને મોકલ્યા છે’. તેમણે તેમ પણ કહ્યું કે, રાજીનામા હજુ સુધી સ્વીકાર્યા નથી અને ડોક્ટરો પણ હોસ્પિટલમાં ફરજ બજાવી રહ્યા છે.કોરોના વાયરસના કેસની વાત કરીએ તો, રાજકોટ જિલ્લામાં 104 લોકો સંક્રમિત થયા છે, જેમાં 83 કેસ શહેરના છે.
લેખક વિશે
મિત્તલ ઘડિયા
મિતલ ગઢીયા છેલ્લા સાત વર્ષ કરતાં વધુ સમયથી પત્રકારત્વ ક્ષેત્ર સાથે જોડાયેલા છે. શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટર તરીકે કામ કરી રહ્યા છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી B.Com અને માસ્ટર ઈન માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુશનની ડિગ્રી મેળવી છે. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા અને ટીવી 9 જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો