એપશહેર

સ્પર્ધાત્મક પરીક્ષામાં ડમી ઉમેદવાર તરીકે બેસતા લોકો પર ભાવનગર પોલીસની તવાઈ,36 સામે ફરિયાદ

ભાવનગર પોલીસે વિવિધ સરકારી પરીક્ષામાં ડમી વિદ્યાર્થી તરીકે બેસતા કુલ 36 ઉમેદવારોને ઝડપી પાડ્યા છે. યુવરાજસિંહે 5 એપ્રિલના દિવસે ડમી વિદ્યાર્થીનો પર્દાફાશ કર્યો હતો અને 4 ડમી વિદ્યાર્થીના નામ પણ જાહેર કર્યા હતા. યુવરાજસિંહના ઘટસ્ફોટ બાદ રાજ્ય સરકારે તપાસના આદેશ આપ્યા હતા. ત્યારે ભાવનગર પોલીસે કુલ 46 ડમી ઉમેદવારોને ઝડપી પાડીને ગુનોં નોંધ્યો છે.

Edited byમિહિર સોલંકી | I am Gujarat 14 Apr 2023, 11:14 pm

હાઈલાઈટ્સ:

  • 2012થી 2023 સુધીની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષામાં બેઠા હતા આ ઉમેદવારો
  • પોલીસે 36 ઉમેદવારોની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરી, હજુ આંકડો વધે તેવી શક્યતા
  • યુવરાજ સિંહે કુલ 4 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat પ્રતિકાત્મક તસ્વીર
પ્રતિકાત્મક તસ્વીર
ભાવનગર: વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે 5 એપ્રિલના દિવસે ડમી ઉમેદવાર કાંડનો પર્દાફાશ કર્યો હતો અને 4 ડમી ઉમેદવારોના નામ પણ જાહેર કર્યા હતા. ત્યારે આ મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ભાવનગર પોલીસે એક બે નહીં કુલ 36 ડમી લોકોને શોધી નાંખ્યા છે. આરોપી વિરુદ્ધ LCBના ઈન્ચાર્જ PI બી.એચ.શીંગરખીયાએ ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી અનુસાર, વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે 5 એપ્રિલના રોજ 4 ડમી વિદ્યાર્થીના નામ જાહેર કર્યા હતા. જેમાં પશુધન નિરીક્ષક વર્ગ-3ની પરીક્ષામાં ભાવેશ જેઠવાની જગ્યાએ મીલન ઘૂઘાભાઈ, પશુધન નિરીક્ષક વર્ગ 3ની પરીક્ષઆમાં કવિ રાવની જગ્યાએ મીલન ઘૂઘાભાઈ તથા ગ્રામસેવક વર્ગ 3ની પરીક્ષામાં અંકિત લકૂમની જગ્યાએ વિમલ તથા ગ્રામ સેવક વર્ગની પરીક્ષામાં જપદીપ રમણાની બદલે કલ્પેશ પંડ્યાએ પરીક્ષા આપી હતી. યુવરાજસિંહે ડમીકાંડનો પર્દાફાશ કર્યો ત્યારે રાજ્ય સરકારે તપાસના આદેશ આપ્યા હતા. સમગ્ર મામલે ભાવનગર પોલીસ ખૂબ ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવી હતી. મળતી જાણકારી મુજબ, 2012થી 2023 સુધીની સ્પર્ધાત્મક પરીક્ષા સહિત પરીક્ષાઓમાં ઉમેદવારની હોલ ટિકિટ તથા આધારકાર્ડ ઉપરના ફોટા સાથે ચેડા કરીને ડમી ઉમેદવાર બેસડવામાં આવ્યા હતા. આવા કુલ 36 ડમી ઉમેદવારોને ઝડપી પાડવામાં આવ્યા છે.

2016 પછીની તમામ ભરતી પ્રક્રિયા ચેક કરાય: યુવરાજસિંહ
સમગ્ર ડમી ઉમેદવારના કાંડને પર્દાફાશ કરતા યુવરાજસિંહે કહ્યુ હતુ કે, આ કૌભાંડ કરવા માટે સૌ પ્રથમ ફોટો મર્જ કરવામાં આવે છે. ઓજસમાં જ્યારે ફોર્મ ભરવામાં આવે ત્યારે આજ ફોટોનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ જે ઉમેદવાર ડમી તરીકે બેસવાનો હોય તે પોતાનું આધારકાર્ડ ખોટું બનાવે છે અને તેનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત જે નામો જાહેર કરવામાં આવ્યા હતા તે તમામ ઉમેદવારોને ક્રોસ ચેક કરવાની માગ કરવામાં આવી હતી.ખાસ કરીને 2016 પછીની તમામ ભરતીમાં પાસ થયેલા ઉમેદવારોને ક્રોસ ચેક કરવામાં આવે.
લેખક વિશે
મિહિર સોલંકી
મિહિર સોલંકી છેલ્લા 4 વર્ષ કરતા વધુ સમયથી પત્રકારના ક્ષેત્રમાં છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી માસ્ટર ઈન ડેવલોપમેન્ટ કમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે અને દિવ્યભાસ્કર, મંતવ્ય ન્યૂઝ, ગુજરાત ફર્સ્ટ અને વીટીવી ન્યૂઝ સાથે તેમણે અગાઉ કામ કર્યું છે.... વધુ વાંચો

Read Next Story