એપશહેર

ગોંડલ: ફાટકમેનની બેદરકારીના કારણે સર્જાયો અકસ્માત, કારચાલકનું ઘટનાસ્થળે મોત

ગોંડલના સાંઢિયાપુલ નજીક ટ્રેન અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. ફાટકમેનની ભૂલના કારણે ટ્રેન આવી રહી હોવા છતાં જાણ નહીં થતાં અકસ્માત સર્જાયો.

I am Gujarat 22 Nov 2020, 7:14 pm
ગોંડલ, રાજકોટ: ગોંડલમાં ફાટકમેનની બેદરકારીના કારણે અકસ્માત સર્જાતા એક કારખાનેદારનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. ગોંડલના સાંઢિયાપુલ નજીક ટ્રેન અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ, ફાટકમેનની ભૂલના કારણે ટ્રેન આવી રહી હોવા છતાં જાણ નહીં થતાં અકસ્માત સર્જાયો હતો. ગોંડલ નજીક સાંઢીયાપુલ પાસે ફાટક ખુલ્લો રહી જતાં ટ્રેને કારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.
I am Gujarat q9


આ દુર્ઘટનામાં કારચાલકનું ઘટનાસ્થળે મોત નીપજ્યુ હતુ. આ ઘટનાના પગલે લોકોના ટોળેટોળા ત્યાં એકઠા થયા હતા. અકસ્માતની ઘટનાની જાણ થતા પોલીસ ત્યાં દોડી આવી હતી અને મૃતકના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડાયો હતો. ઘટનાસ્થળે હાજર લોકોના જણાવ્યા અનુસાર ફાટકમેનની બેદરકારીના કારણે આ અકસ્માત સર્જાયો છે.

અકસ્માતનો ભોગ બનનાર કારચાલકને એ વાતની જાણકારી નહોતી કે ટ્રેન આવી રહી છે, જેની પાછળનું કારણ ફાટકમેનની બેદરકારી હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે કારચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં રેલવે પોલીસ દોડી આવી અને તાપસ હાથધરી હતી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો